અન્ય

અર્ધગોળાકાર ઈયળ

Autographa nigrisigna

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાંની સપાટી અને શીંગો પર ખોરાકને કારણે થયેલ નુકસાન.
  • પાંદડા પર ગોળી જેવા કાણા વાળો દેખાવ.
  • લીલા લાર્વા ની હાજરી.
  • છોડ પર રાખોડી ભાતના ફૂદાં.


અન્ય

લક્ષણો

અર્ધગોળાકાર ઈયળ પાંદડાં અને શીંગો પર નભે છે. યુવાન લાર્વા પાંદડાં પર ઉઝરડા પાડે છે, જ્યારે મોટા થયેલ કળીઓ, ફૂલો, શીંગો ને નુકશાન કરી, મુખ્ય દીંટાનો સાથે શીંગની દાંડીના મૂળભૂત ભાગને છોડી જાય છે. શીંગોનો ખોરાક તરીકે ઉપયોગમાં લીધા, જ્યારે ઈયળ શીંગની છાલ પર ખરબચડો અને અનિયમિત નુકસાન છોડી જાય છે. પાંદડાઓ કાણાં વાળા દેખાય છે અને ભારે ઉપદ્રવ દરમિયાન, પાંદડા હાડપિંજર જેવા બની શકે છે. ગંભીર કિસ્સાઓમાં, છોડના પાંદડાં સંપૂર્ણપણે ખરી શકે છે. સામાન્ય રીતે, લક્ષણો પક્ષીથી નુકસાન થયું હોય તેવા લાગે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જંતુનાશકોના ઉપયોગને ટાળી, કરોળિયા, લેસવિંગ, કીડીઓ અને અન્ય કુદરતી દુશ્મનો જેવી શિકારી પ્રજાતિઓને પ્રોત્સાહિત કરો. ચાર અઠવાડિયા માટે, અઠવાડિયે એક વાર @ 1.5 લાખ/હેકટર ટ્રાયકોગ્રામા ચીલોનીસ નો ઉપયોગ કરવો. એનપીવી (ન્યુક્લીઓપોલિહેડ્રો વાયરસ) , બેસીલસ થુરીનજેનેસીસ અથવા બેઉવેરીયા બાસિયાના પર આધારિત જૈવિક-જંતુનાશકો પણ અર્ધવર્તુળ ઈયળના નિયંત્રણમાં મદદ કરી શકે છે. જંતુને નિયંત્રિત કરવા લીમડાના અર્ક અને મરચાંની અથવા લસણ અર્ક જેવા વનસ્પતિજન્ય ઉત્પાદનોને પાંદડાં છાંટી શકાય છે. ફૂલ આવવાથી શરુ કરીને 10-15 દિવસના અંતરાલે 0.1% ટીપોલ સાથે એનપીવી 250 એલઈ/હેકટર અને 0.5% ગોળથી ત્રણ વાર લાગુ કરી શકાય. લીમડાનું તેલ અથવા પુંગામ તેલ ને 80 ઇસી @ 2મિલી/લી લાગુ કરી શકાય.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો 10 છોડ દીઠ 2 કરતાં વધુ લાર્વા જોવા મળે, તો નિયંત્રણના પગલાં શરૂ કરી દેવા જોઈએ. અર્ધગોળાકાર ઈયળની વસ્તી ઘટાડવા માટે ક્લોરોપાયરીફોસ અને કવિનેલફોસ ના ઉપયોગ માટે સૂચન કરાય છે.

તે શાના કારણે થયું?

ઓટોગ્રાફા નિગ્રીસિંગનાં ના લાર્વા ના કારણે નુકસાન થાય છે. અર્ધગોળાકાર ઈયળના ફૂદાં ભાતવાળી પાંખો ધરાવે છે. ઇંડા ગોળાકાર હોય છે અને પાંદડાં પર 40 ના સમૂહમાં મૂકવામાં આવે છે. લાર્વા અને અર્ધગોળાકાર ઈયળ રંગે લીલા હોય છે. એક પેઢી વિક્સિત થવા માટે લગભગ 4 અઠવાડિયા લે છે. ઈંડાનો સમયગાળો 3-6 દિવસોનો અને લાર્વાનો સમયગાળો 8-30 દિવસોમાં પૂર્ણ થાય છે, જ્યારે પુપે 5-10 દિવસનો સમયગાળો ધરાવે છે.


નિવારક પગલાં

  • સહનશીલ જાતોની પસંદગી કરો.
  • નજીકના અંતરે વાવેતર અને વાવણી મોડેથી ન કરો.
  • સારા ખાતર અને સિંચાઇ યોજના સાથે છોડને મોટા અને મહત્વપૂર્ણ રીતે વધારવા માટે પ્રયાસ કરો.
  • તમારા છોડનું અઠવાડિયે એક વાર નિરીક્ષણ કરો અને લાર્વાની હાજરી માટે તપાસ કરો.
  • ફૂદાંની વસ્તી જાણવા અને મારવા પ્રકાશિત અને ફેરોમોન છટકાં સ્થાપિત કરી શકાય છે.
  • 2 હેકટર દીઠ એક પ્રકાશિત છટકું ગોઠવવું જોઈએ તથા ફેરોમોન છટકાં 50 મીટરના અંતરે, @ 5 છટકાં/હેકટર રાખવા જોઈએ.
  • તમે હિંસક પક્ષીઓ માટે ઊંચા ચબુતરા @ 50 / હેકટર સ્થાપિત કરી શકો છો.
  • પક્ષી માટે જૈવિક માળા તરીકે પાકની સરખામણીએ જુવાર ને ઉંચી વિકસાવી શકાય છે.
  • શક્ય હોય તે હદે લાર્વા અને પુખ્ત ફૂદાંને ભેગા કરી અને નાશ કરવો.
  • જંતુને શિકારી માટે ખુલ્લા કરવા, લણણી પછી તમારા ખેતરની ખેડ કરવી.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો