અન્ય

ડુંગળીમાં ઈયળ

Delia platura

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ઈયળ ફણગા આવતા રોપા ઉપર કે બીજ પર નભે છે, અને વધતી પેશીઓને નુકસાન પહોંચાડે છે.
  • જેનાથી ઓછી ઉપજ સાથે, રોપાઓ કરમાઇ ગયેલા, અટકેલા વિકાસવાળા, અને વિકૃત દેખાય છે.

માં પણ મળી શકે છે


અન્ય

લક્ષણો

ઈયળ જમીનમાંની જૈવિક વસ્તુઓ અને ફણગા આવેલા રોપાઓ પર નભે છે. તેઓ ઘણીવાર બીજમાં દર કરી, વધતી પેશીઓનો નાશ કરે છે અને અંકુરણ ફૂટતા અટકાવે છે. અને જો તેનો વિકાસ થાય તો, તેના નવા પાંદડા પર ઈયળના ખાવાના કારણે થયેલ નુકસાન સ્પષ્ટ જોઈ શકાય છે. પેશીઓમાં સડો ઉદ્દભવી શકે છે. રોપાઓ કરમાઇ જાય, વિકાસ અટકે, વિકૃત બને છે જે નીચી ગુણવત્તાવાળા બીજનું નિર્માણ કરે છે અને એકંદરે ઓછી ઉપજ આવે છે. જો જમીન ભીનીહોય અને ઠંડુ અને ઊંચા ભેજવાળું વાતાવરણ લાંબા સમય સુધી રહેવાનું હોય તો, નોંધપાત્ર નુકસાન થઇ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

તેના ભૂગર્ભ જીવનના કારણે, સિડકોર્ન ઈયળના કુદરતી દુશ્મનોનો મોટો આંકડો નથી. જોકે, જમીનના વંદા, કરોળિયા અને પક્ષીઓ દ્વારા પુખ્તોનો શિકાર થાય છે. લાર્વા પર ફૂગજન્ય રોગો દ્વારા અસર થઇ શકે છે. જોકે, શિકારી તેમજ ફુગજન્ય રોગો પૂરતા પ્રમાણમાં નિયંત્રણ પૂરી પાડતા નથી. માખીઓ કુદરતી રીતે તેજસ્વી રંગો પ્રત્યે આકર્ષાય ધરાવે છે, તેથી તેઓને તેજસ્વી રંગની ડોલમાં સાબુના પાણી ભરી ફસાવી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા જૈવિક સારવાર ઉપલબ્ધ હોય તો સાથે બંને અટકાવવાના એક સંકલિત અભિગમ વિચારો. ઈયળને દૂર રાખવા બીજને જંતુનાશક દવા સાથે સારવાર આપી શકાય છે. જંતુનાશક ઉપયોગ કરી શકો છો, પરંતુ તમારા દેશમાં અમલમાં હોય તેવા પ્રતિબંધથી પરિચિત રહો. માટીમાં લાગુ પડતા જંતુનાશકો પણ વાપરી શકાય છે.

તે શાના કારણે થયું?

ડેલીયા પ્લાચુરા અને ડી. એન્ટિકા માખીની ઈયળને કારણે લક્ષણો નિર્માણ થાય છે. પુખ્ત માખીનો રંગ ઘરની માખી જોડે મળતો આવે છે, પરંતુ તે વધુ નાની અને પાતળી હોય છે. તે જૂના મૂળ અને પાકના કચરાની નજીક જમીનમાં શિયાળા દરમ્યાન ટકી રહે છે. પુખ્ત કીડા વસંતની શરૂઆતમાં બીજ રોપાયાંની સાથે જ બહાર આવે છે. માદા ભેજવાળી જમીનમાં, જ્યાં મોટા જથ્થામાં સડો પામતી સામગ્રી અથવા ખાતર હોય ત્યાં ઇંડા મૂકે છે. લગભગ એક સપ્તાહ બાદ, પીળાશ પડતા સફેદ, પગ વગરના લાર્વા બહાર આવે છે અને પછી સડો પામતાં કાર્બનિક પદાર્થોનું અને રોપાઓને ખાવાનું શરૂ કરે છે. ઠંડા, ભેજવાળા હવામાનની પરિસ્થિતિમાં, જંતુનું જીવન ચક્ર અને તેની ખોરાક પ્રવૃત્તિને તરફેણ કરતુ હોવાથી, તેમાં નુકસાન વધારે હોય છે. હુંફાળું અને સૂર્યપ્રકાશવાળું હવામાન ઇંડાના સ્થાપનને અવરોધે અને જેનાથી છોડ ઝડપી અને ખડતલ વિકસે છે.


નિવારક પગલાં

  • સૂકી જમીનમાં થોડી કાર્બનિક સામગ્રી સાથે વાવેતર કરો.
  • ગરમ અને સૂર્યપ્રકાશ વાળા ખુલ્લા વાતાવરણ દરમિયાન છીછરી વાવણી કરો.
  • જો ખાતર નાખતા હોવ તો, વાવણી કરતા પહેલા થોડા અઠવાડિયા સુધી રાહ જુઓ.
  • ઘાસ જેવા આરછાદિત પાકનો ઉપયોગ કરો.
  • બીજને કાળજી સાથે સંભાળો, જેથી તેને ઇજા પહોંચે નહિ.
  • ખેતરોમાં અને આસપાસના વિસ્તારમાંથી નીંદણ દૂર કરો.
  • તમારા ક્યારા પર ઝીણી જાળી વાળી નેટ રાખવાથી ઈયળને દૂર રાખી શકાય છે.
  • પાકના કચરાની ખેડ કરી અને જમીનમાં ઊંડે દાટી દો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો