મગફળી

કાળા ભીંગડાં

Aspergillus niger

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • છોડ પર કાળા રંગનું, દ્રવ્ય દેખાય છે.
  • પાણીપચ્યા ભીંગડા નિર્માણ થાય છે.
  • પાંદડાની નસોની પાસે રજકણોનું જમા થવું.
  • બીજ અને ગાંઠ પાસે સડાના લક્ષણો.

માં પણ મળી શકે છે


મગફળી

લક્ષણો

અંકુરણ પામ્યા અગર જ બીજ સડે છે અને જો અંકુરણ થાય તો ગાંઠની આસપાસ પાણીપચ્યા ભાગ જેવો સડો થાય છે. છોડના નુકસાનગ્રસ્ત ભાગમાં પણ પાણીપચ્યા ઘા જોવા મળે છે. અસરગ્રસ્ત પાકના આધારે લક્ષણો અલગ અલગ હોય છે. ડુંગળીમાં, અંકુરણની શરૂઆતના સમય દરમિયાન રોપાઓની ગાંઠમાં સડો નિર્માણ થાય છે. કાળા રંગનું આવરણ કાંડના ગરની પેશીઓની સાથે વધે છે. મગફળીમાં, ફૂગના કારણે ગાંઠ અથવા ટોચ પર સડો થાય છે, જેના કારણે મૂળનો ભાગ વળે છે અને છોડની ઉપલા ભાગમાં વિકૃતિ નિર્માણ થાય છે. વેલામાં, ચેપગ્રસ્ત જગ્યાએ લાલ રંગના ટાંકણીની ટોચ જેટલા ટપકાં જોવા મળે છે. વાવણી પછી નુકસાનીના કારણે કેટલાક પાકમાં રંગમાં વિકૃતિ, ઓછી ગુણવત્તા અને વેપારી મૂલ્યમાં ઘટાડો થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

માટીમાં ટ્રાયકોડર્મા (એફઆઈએમથી ​​સમૃદ્ધ) ઉમેરો. લીમડાની કેક ફૂગ વિરોધી ગુણધર્મો ધરાવે છે અને એ. નાઇજરના ફેલાવાને નિયંત્રિત કરવા માટે તેનો પણ ઉપયોગ કરી શકાય છે. રોપણી કરતાં પહેલા બિયારણની 60 ડિગ્રી સેલ્સિયસ ગરમ પાણી સાથે 60 મિનિટ સુધી સારવાર કરો. લાલ ડુંગળીમાં રહેલ ફેનીલિક સંયોજનો હોવાથી તે ફૂગ વિરોધી ગુણધર્મો ધરાવે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો ફૂગનાશકની જરૂર હોય, તો સ્થાનિક રીતે મૅન્કોઝબ અથવા મૅન્કોઝબ અને કાર્બેન્ડઝિનના સંયોજનનો ઉપયોગ કરો, વૈકલ્પિક રીતે થિરમનો ઉપયોગ કરો. અન્ય સામાન્ય સારવાર તરીકે ટ્રાયઝોલ અને ઇચીનોકોન્ડિન ફુગનાશકનો સમાવેશ થાય છે.

તે શાના કારણે થયું?

કાળા રંગનું આવરણ નિર્માણ કરતી ફૂગ સામાન્ય રીતે વિવિધ સ્ટાર્ચયુક્ત ફળો અને શાકભાજી માં દેખાય છે. આના પરિણામે ખાદ્ય ભાગમાં બગાડ અને નુકશાન થાય છે. એસ્પરગીલસ નાઇજર ફૂગ હવા, જમીન અને પાણી દ્વારા ફેલાય છે. સામાન્યરીતે તે સૅપ્રોફાઈટ છે, જે નાશ પામેલ અને ક્ષીણ થતી વસ્તુ પર નભે છે પરંતુ ક્યારેક તંદુરસ્ત છોડ પર પણ જીવી શકે છે. આ ફૂગ ભૂમધ્ય, ઉષ્ણકટિબંધીય અને પેટા ઉષ્ણકટિબંધીય પ્રદેશોની માટીમાં જોવા મળવી સામાન્ય છે. 20-40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે તેનો વિકાસ થાય છે અને 37 ડિગ્રી સેલ્સિયસ તેના માટે શ્રેષ્ઠ રહે છે. ઉપરાંત, ફળોની સૂકવણીની પ્રક્રિયા દરમિયાન, ભેજની માત્રામાં ઘટાડો થાય છે અને ખાંડમાં વધારો થાય છે, જેનાથી ફૂગના વિકાસ માટે અનુકૂળ માધ્યમમાં મળી રહે છે.


નિવારક પગલાં

  • પાણીનો નિકાલ સરખી રીતે થઇ શકે તેવી જગ્યા પસંદ કરો.
  • રોપા બીજ રોગના કણથી મુક્ત અને તંદુરસ્ત હોય તેની ખાતરી કરો.
  • લાલ રંગની છાલની ડુંગળી જેવી પ્રતિકારક જાતોનો ઉપયોગ કરો.
  • ભીના હવામાન દરમિયાન પાકની લણણી કરશો નહીં.
  • પરિવહન દરમિયાન તેમજ ડુંગળીને જ્યારે કોઠારમાં કે કોઠારમાંથી બહાર લઇ જાવ ત્યારે ચોક્કસ તાપમાન અને ઓછો ભેજ જાળવી રાખો.
  • લણણી પછી, લણણીના કારણે નીકળેલ તમામ કચરો એકત્રિત કરીને બાળી નાખો.
  • લણણી પછી અને સંગ્રહ તથા વેચાણ પહેલાં ડુંગળીને કાળજીપૂર્વક સૂકવી લો.
  • ગરમ આબોહવામાં, 80%થી ઓછો ભેજ હોય તેની ખાતરી કરો.
  • સંવેદનશીલ પાક અને તેને સંબંધીત પ્રજાતિ વચ્ચે દર 2-3 વર્ષે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો