કાકડી

કાકડીમાં પવનથી થતું નુકસાન

Wind Damage on Cucumber

અન્ય

5 mins to read

ટૂંકમાં

  • ખાસ કરીને રેતાળ જમીન પર ઉગવવામાં આવતી કાકડી પવન અને રેતીથી થતાં નુકસાનથી સંવેદનશીલ હોય છે.
  • ફળો પર નાના ખીલ જેવા જખમ થાય છે, જ્યાં રેતીના કણ બાહ્ય ત્વચાને નુકસાન પહોંચાડે છે અને આંતર નેક્રોસિસનું કારણ બને છે.

માં પણ મળી શકે છે

1 પાક

કાકડી

લક્ષણો

આ સ્થિતિમાં જોવા મળતાં લક્ષણોમાં છોડની હાલત ગંભીર દુષ્કાળની સ્થિતિમાં ઉગાડવામાં આવેલા છોડ જેવી દેખાય છે. પવનનાં ભારે વેગના કારણે હાલમાં જ વાવેલ બીજ ઊડી જાય છે. નવા ઉગેલા રોપાઓ રેતીની ડમરીઓના કારણે નુકસાન પામી શકે છે. પુખ્ત છોડમાં, સતત પવનનાં કારણે પાંદડા વળી જાય છે, આખરે સુકાઈને બરડ થઈ જાય છે. પર્ણસમૂહ આંતર નેક્રોસિસના સંકેતો પણ જોવા મળી શકે છે અને ગંભીર કેસોમાં કાપલી અને છોડની હાલત ચીંથરેહાલ થઇ જાય છે. જો છોડ સતત પવનમાં રહે તો છોડનો વિકાસ રૂંધાય છે. પછીની ઋતુમાં, ફૂલોનું ખરી પડવું, ફળ પર ઉઝરડા કે ઘા એ લક્ષણોની સૂચિમાં શામેલ છે. ખીલ જેવા જખમવાળા ફળ વેચવા યોગ્ય રહેતા નથી. ફૂલો ટકતા નથી અને ફળની ગુણવત્તામાં ઘટાડો થવાથી ઉપજમાં ખોટ આવી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

પવનના નુકસાન સામે કોઈ જૈવિક નિયંત્રણ ઉપાયો નથી. નિવારક પગલાં, ઉદાહરણ તરીકે પવન અવરોધો જ આ નુકસાનને ટાળવા માટે મદદ કરશે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશાં ધ્યાનમાં રાખો. પહેલા નુકસાનનું મૂલ્યાંકન કરવું અને પાકને બચાવી શકાય કે કેમ તે નક્કી કરવું મહત્વપૂર્ણ છે. સંભવિત ઉપચાર પણ છોડની વૃદ્ધિના તબક્કા પર આધારિત છે. ગંભીર કિસ્સાઓમાં સારવાર ફંગલ અને બેક્ટેરિયલ રોગોના નિવારણ પર કેન્દ્રિત હોવી જોઈએ, ઉદાહરણ તરીકે નુકસાન થયેલા છોડના ભાગોને કાપવા અને ફૂગનાશક તથા એન્ટીબેક્ટેરિયલ ઉત્પાદનોનો ઉપયોગ કરવો.

તે શાના કારણે થયું?

ખાસ કરીને સતત તીવ્ર પવન ધરાવતા વિસ્તારો અને પવન અવરોધ લગાવ્યાં વગરના ખેતરોમાં આ લક્ષણો ખાસ જોવા મળે છે. છોડના ભાગો પર માટીના કણો અથવા ડાળીઓના હલનચલનના કારણે પણ છોડને નુકસાન થાય છે. પવનની ગતિ, સમયગાળો અને છોડનાં વિકાસનો તબક્કો લક્ષણોની તીવ્રતા નક્કી કરે છે. રેતાળ જમીન પર ઉગાડવામાં આવેલા કાકડીના નાના છોડ ખાસ કરીને રેતીના કારણે ઘર્ષણ અને ઈજા દ્વારા સંવેદનશીલ હોય છે. ડાળીઓની હલનચલન પાંદડા અને ફળની સપાટી પર ઘા કરે છે. બેક્ટેરિયા અને ફૂગ છોડની ક્ષતિગ્રસ્ત પેશીઓને પર વસાહત બનાવે છે અને તેને સડાવી દે છે. આ લક્ષણોની સારવાર છોડની વૃદ્ધિના તબક્કા અને જમીનમાં ભેજના પ્રમાણ તેમજ હવામાન પર આધારિત છે.


નિવારક પગલાં

  • જ્યાં વધુ પડતો પવન ન આવતો હોય એવા વિસ્તારોમાં વાવણી કરો.
  • યુવાન રોપાઓ પર આવરણ ઢાંકીને તેમનું રક્ષણ કરો.
  • પવનની ગતિ, દિશા અને આવર્તનના આધારે કાયમી અથવા પ્રાસંગિક પવન અવરોધો લગાવો.
  • તમારા ખેતરની આસપાસ પાક કરતાં ઊંચા અથવા ગાઢ વૃદ્ધિવાળા છોડ વાવો, દા.ત.
  • મકાઈ અથવા રાઈ.
  • આવી જ લાક્ષણિકતાઓ ધરાવનાર પાકનો ઉપયોગ આંતર પાક તરીકે કરો.
  • ભારે પવન અથવા જુદી જુદી દિશાઓમાં પવન હોય તો, તમે એક કે વધુ પવન અવરોધો પણ લગાવી શકો છો.
  • કાપણીનાં સાધનો દ્વારા ક્ષતિગ્રસ્ત પાંદડા અને ફળો દૂર કરો.
  • નવી વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે જ્યાં જરૂર હોય તે ભાગોમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકાય છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો