કપાસ

પેરાવિલ્ટ

Parawilt

અન્ય

5 mins to read

ટૂંકમાં

  • પેરાવિલ્ટ એક શારીરિક રોગ છે, જે મોટેભાગે પાણી ભરાયેલા ખેતરમાં ઝડપી વૃદ્ધિ પામતા છોડને અસર કરે છે.
  • પાંદડાંનું વળવું અને વિકૃતિકરણ એ તેના લક્ષણો છે.
  • જેમ તેની અસર વધે છે તેમ પાંદડાનો રંગ ક્લોરોટિકથી કાંસ્ય અથવા લાલમાં બદલાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

કપાસ

લક્ષણો

પેરાવિલ્ટ, જેને 'અચાનક છોડનું નમી જવું' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ખેતરમાં અસામાન્ય અને અકલ્પનીય રીતે વિતરિત થાય છે. આ રોગની કોઈ ખાસ પેટર્ન નથી અને તેને ઘણીવાર ચેપથી થતાં રોગ જેવો માનવામાં આવે છે. મુખ્ય લક્ષણોમાં પાંદડાઓનું નમી જવું અને વિકૃતિકરણ છે. પાંદડાનો રંગ ક્લોરોટિકથી કાંસ્ય અથવા લાલમાં બદલાય છે અને ત્યારબાદ તે પેશીઓને સૂકવી નાખે છે. આ રોગ ખાસ કરીને ઝડપી વિકસિત થતા, વિશાળ છત્ર ધરાવતા અને ફળનું ભારે વજન ધરાવતા છોડને અસર કરે છે. પાંદડાઓ અને ફૂલો શરૂઆતમાં ખરી પડે છે અને ફૂલ પાક્યા વિના ખુલી જાય છે. છોડ ફરીથી સાજા થઈ શકે છે પરંતુ ઉપજ પર નકારાત્મક પ્રભાવ થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

પેરાવિલ્ટ માટે કોઈ જૈવિક નિયંત્રણના પગલાં નથી. આ રોગને ટાળવા માટે, કપાસના છોડની સિંચાઇ અને ખાતરનું સરખું આયોજન કરવું અને ડ્રેનેજની સારી યોજના કરવી આવશ્યક છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાંઓ સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. પેરાવિલ્ટ માટે કોઈ રાસાયણિક સારવાર નથી. જો કે, તમે ડ્રેનેજ ચેનલ દ્વારા વધારાનાં પાણીને દૂર કરીને શરૂઆત કરી શકો છો. પછી ૧૫ ગ્રામ યુરિયા, ૧૫ ગ્રામ પોટાશ મ્યુરેટ અને ૨ ગ્રામ કોપર ઓક્સિચનું ૧ લિટર પાણીમાં સોલ્યુશન તૈયાર કરો. છોડના મૂળની નજીક ૧૦૦-૧૫૦ મીલી પાણીનો છંટકાવ કરો. આ ઉપાય છોડને તાત્કાલિક પોષક તત્વો પૂરાં પાડે છે અને ફૂગનાશક ફૂગના ચેપને અટકાવે છે.

તે શાના કારણે થયું?

પેરાવિલ્ટ એક શારીરિક રોગ છે, જેનો અર્થ છે કે કોઈ ફૂગ, બેક્ટેરિયા, વાઇરસ સમાન કંઈ શામેલ નથી. અન્ય રોગો કે જે કપાસના છોડમાં સમાન લક્ષણોનું કારણ બને છે તેનાથી વિપરીત, પેરાવિલ્ટ કલાકોના સમયગાળામાં અને કોઈ વિશિષ્ટ પેટર્ન વિના વિકાસ પામે છે. છૂટાછવાયા વિતરણ અને અનિશ્ચિત રીતે આમ થવું એ પેરાવિલ્ટના લાક્ષણિક ચિહ્નો છે. હવે જાણવામાં મળ્યું છે કે આ રોગ એ મૂળની આસપાસ પાણીનાં ભરાવા (વધુ સિંચાઈ કે વરસાદ) બાદ ગરમ તાપમાન અને તડકાના કારણે થાય છે. છોડની ઝડપી વૃદ્ધિ અને પોષક તત્વોનું અસંતુલન પણ આમાં સામેલ છે. ઉચ્ચ માટી સામગ્રી અથવા ગંદા પાણીવાળી જમીનની માટીમાં આ રોગના વિકાસની શક્યતા વધારે છે.


નિવારક પગલાં

  • છોડની જાતો અથવા હાયબ્રીડ પેરાવિલ્ટથી સહનશીલ હોય છે.
  • પાણીના ભરાવાને અટકાવવા માટે ખેતરમાં ડ્રેનેજ બરાબર વ્યવસ્થા કરો.
  • ચોક્કસ વૃદ્ધિ તબક્કા અને/અથવા સૂકી પરિસ્થિતિઓને કારણે જરૂરી હોય તો જ સિંચાઈ કરો, નહીતર વધારે પડતી અથવા વારંવાર સિંચાઇ ટાળો.
  • પાકની નિયમિતપણે દેખરેખ કરો, ખાસ કરીને જયારે ભારે વરસાદ પડે અને પછી ઊંચું તાપમાન થાય કે તડકો નીકળે ત્યારે પાકનું ખાસ ધ્યાન રાખો.
  • વધારે પડતા પ્રમાણમાં ખાતર નાખવાથી પણ ઉત્પાદન ઓછું થાય છે(દા.ત.
  • મોટી છત્ર અને ફૂલોનું વજન).
  • તેની અસરને ઘટાડવા (ભારે વરસાદ અને તડકો)ના પ્રમાણે વાવણીની તારીખોમાં ફેરફાર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો