કપાસ

કપાસમાં પાંદડાઓનું લાલ થવું

Leaf Reddening

અન્ય

5 mins to read

ટૂંકમાં

  • કપાસમાં પાંદડાઓનું લાલ થવું એ એક શારીરિક રોગ છે, જે અતિશય શારીરિક તાણ અને પોષક તત્વોની કમીના કારણે થઈ શકે છે.
  • ઋતુના અંતમાં, તે કુદરતી પ્રક્રિયા છે અને તેની કોઈ ચિંતા કરવી ન જોઈએ, પરંતુ જો ઋતુની શરૂઆતમાં આમ થાય છે, તો પગલાં લેવા જરૂરી છે.

માં પણ મળી શકે છે

1 પાક

કપાસ

લક્ષણો

કારણ અને પાકના તબક્કા પર આધારિત રહી પાંદડાઓના રંગ બદલાવાની પ્રક્રિયામાં ફેરફાર હોઈ શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં, પાંદડાના માર્જિન્સ પહેલા લાલ પડી જાય છે અને પછી વિકૃતિકરણ બાકીના પાંદડામાં ફેલાય છે. અન્ય લક્ષણોમાં છોડનું નમી જવું, દાંડી લાલ રંગની થવી, નબળો વિકાસ, પાંદડા અને ફળની ખરી પડવું અને છોડના વિકાસમાં અવરોધ શામેલ હોય છે. ઋતુના અંત દરમિયાન વિકૃતિકરણ એ કુદરતી પ્રક્રિયા છે, જે સામાન્ય રીતે સમગ્ર ખેતરમાં જોવા મળી શકે છે. નાઇટ્રોજનની કમી ઉપરાંત, પાંદડાનું લાલ થવું એ સૂર્યપ્રકાશ, ઠંડા તાપમાન અને પવનના નુકસાનના કારણે પણ થઈ શકે છે. તે કિસ્સામાં, વિકૃતિકરણ સમગ્ર ક્ષેત્રને બદલે અમુક પાંદડાઓને અસર કરે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

તાણ અને વિકાસના તબક્કા પર આધાર રાખીને, છોડ પર કાર્બનિક ખાતરોનો ઉપયોગ ફાયદાકારક થઈ શકે છે. જો પાંદડાઓનું લાલ થવાનું ઋતુના અંતમાં શરૂ થાય અથવા શારીરિક પરિબળો દ્વારા અસરગ્રસ્ત થાય તો જૈવિક નિયંત્રણ જરૂરી નથી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાંઓ સાથે જૈવિક સારવારનો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. કપાસના પાકમાં પાંદડાના લાલ થવાને અટકાવવા માટે કોઈ રાસાયણિક નિયંત્રણ ઉપલબ્ધ નથી. ખાતરનો સારો પુરવઠો, યોગ્ય સિંચાઇ કાર્યક્રમ અને સંતુલિત પોષક તત્વો આપવાથી સમસ્યા ટાળવામાં મદદ થઈ શકે છે. જો ઋતુની શરૂઆતમાં આમ થઈ રહ્યું હોય, તો પોષક તત્વોમાં સુધારો કરવાથી સમસ્યાને હલ કરી શકાય છે. જો પ્રથમ ફૂલના ખુલવાના સમયે જ લક્ષણો શરૂ થાય, તો કોઈ પગલાં લેવાની જરૂર નથી.

તે શાના કારણે થયું?

પાણી, તાપમાનનાં તણાવ અથવા જમીનમાં પોષક તત્વોની કમી જેવા પરિબળોના કારણે આમ થઈ શકે છે. કેટલીક જાતો અથવા હાયબ્રીડ અન્ય કરતા વધુ સંવેદનશીલ હોય છે. એન્થોસિઆનીન નામના લાલ રંગદ્રવ્યમાં વધારો અને પાંદડાઓમાં લીલા હરિતદ્રવ્યમાં ઘટાડો થવાને કારણે તે લાલ થાય છે. અન્ય કારણ મૂળનું નેક્રોસિસ પણ હોઈ શકે છે, જે છોડની પાણી અને પોષક તત્વો લેવાની ક્ષમતાને ઘટાડે છે. ઋતુના અંત દરમિયાન, આ પ્રક્રિયા કુદરતી છે અને ઉપજ પર કોઈ નકારાત્મક અસર થતી નથી. ઋતુની શરૂઆતમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમની ખામી કે અન્ય કારણ હોઈ શકે છે(મેગ્નેશિયમ શામેલ હોવાનું લાગતું નથી). તદુપરાંત, સૂર્યપ્રકાશ, પવન અને ઠંડુ તાપમાન પણ પરિબળ બની શકે છે અને વિકૃતિકરણને ઉત્તેજિત કરી શકે છે.


નિવારક પગલાં

  • ફળ આવવાના સમયે માટીના ઉચ્ચ તાપમાનને ટાળવા માટે આગ્રહણીય સમય પર વાવણી કરો.
  • છોડ વચ્ચે બરાબર અંતર રાખો.
  • શારીરિક તાણ સામે પ્રતિરોધક કપાસની જાતનો ઉપયોગ કરો.
  • જમીનમાં પર્યાપ્ત ખાતર નાખો.
  • પાકને શારીરિક તાણ ઉદા.
  • તરીકે સીધાં પવનના નુકસાન જેવા પરિબળોથી સુરક્ષિત કરો.
  • છોડની જરૂરિયાતો અનુસાર યોગ્ય સિંચાઇની યોજના બનાવો.
  • માટીમાં પોષક તત્વોનું નિરીક્ષણ કરો અને સંતુલિત પોષક સંચાલન રીતો લાગુ કરો.
  • લણણી પછી જમીનને બરાબર ખેડી મિશ્રિત કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો