કપાસ

વનસ્પતિનાશક બ્લીચ

Herbicides Photosynthesis Inhibitors

અન્ય

5 mins to read

ટૂંકમાં

  • નસો વચ્ચેના પાંદડાના ભાગોનું પીળા પડવું.
  • પાંદડાની કિનારીઓ પીળી થઇ જાય છે અને ઉપર તરફ વળી જાય છે.
  • વધુ ગંભીર કિસ્સામાં, 'બ્લીચીંગ' અને પેશીઓનું મૃત્યુ થાય છે.
  • સંપૂર્ણ સૂર્યપ્રકાશમાં લક્ષણો ખુબ ઝડપથી વિકસે છે.

માં પણ મળી શકે છે


કપાસ

લક્ષણો

લક્ષણો વપરાયેલ ઉત્પાદન, છંટકાવનો સમય અને તેના ડોઝ પર આધારીત હોય છે. નવા પાંદડા કરતાં જૂનાં પાંદડા પણ વધુ અસર જોવા મળે છે. નસો વચ્ચેની પેશીઓ પીળી થવાની સાથે પાંદડા પર આંતરિક ક્લોરોસિસ અથવા mottlingનો વિકાસ થાય છે. પર્ણની કિનારીઓ પીળી થાય છે અને પછી ઉપર તરફ વળવાનું શરૂ કરે છે. ધીરે ધીરે, પાંદડા તૂટી જાય છે, અને બે થી પાંચ દિવસની અંદર ખરી શકે છે, જે પ્રક્રિયા સંપૂર્ણ સૂર્યપ્રકાશ ("કાગળની થેલી" જેવો દેખાવ થાય છે)માં તીવ્ર બને છે. પાંદડા પર તેમની ઝડપી અને હાનિકારક અસરને લીધે, તેઓને ઘણીવાર 'બ્લીચર્સ' તરીકે ઓળખવામાં આવે છે

Recommendations

જૈવિક નિયંત્રણ

નુકસાન માટે કોઈ જૈવિક નિયંત્રણ ઉપાયો ઉપલબ્ધ નથી. પ્રાથમિક ઈલાજ તરીકે સારી ખેતી પદ્ધતિ અને નિવારણ ચાવીરૂપ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલા સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. હર્બિસાઇડ સ્પ્રેની યોજના બનાવતા પહેલા, તમે કયા પ્રકારનાં નીંદણને લક્ષ્ય બનાવી રહ્યા છો તેના વિશે માહિતી મેળવો(મૂળભૂત રીતે પહોળા પાંદડાવાળી નીંદણ કે ઘાસ) અને આ લક્ષ્ય માટે અન્ય કોઈ પદ્ધતિ આનાથી વધુ યોગ્ય છે કે નહી તે જાણો. કાળજીપૂર્વક હર્બિસાઇડને પસંદ કરો, લેબલ વાંચો અને સૂચનો પ્રમાણે ડોઝને અનુસરો.

તે શાના કારણે થયું?

આ નુકસાન PSII ઇન્હિબિટર્સના જૂથના હર્બિસાઇડ્સ (વનસ્પતિનાશક) ને કારણે થાય છે, અન્યમાં એટ્રાઝિન, બ્રોમોક્સિનિલ, ડ્યુરોન અને ફ્લૂમેટ્યુરનનો સમાવેશ થાય છે. તેઓ પ્રકાશસંશ્લેષણને અવરોધિત કરે છે અને કોષોમાં રહેલા લીલા રંગદ્રવ્યોનો નાશ કરે છે, આમ વિકૃતિકરણને ઉત્તેજન આપે છે. પૂર્વ ઉદ્ભવિત હર્બિસાઇડ્સ (નીંદણ દેખાય તે પહેલાં) જે જમીનમાં હાજર હોય છે, તે મૂળિયા દ્વારા શોષાય છે અને જળમાર્ગે ઉપર અંકુરની તરફ આગળ વધે છે. અંતે તેઓ પાંદડા પર એકઠા થાય છે, ખાસ કરીને કિનારીઓ પર એકઠા થાય છે. ઉદભવ પછીના હર્બિસાઇડ્સ છોડની પેશીઓને સ્થાનિક રૂપે નુકસાન પહોંચાડે છે અને છોડના અન્ય ભાગોમાં જતા નથી. પ્રતિકારના વિકાસની સમસ્યાઓ ઘણા પ્રકારના નીંદણમાં જોવા મળે છે (ઘાસ, સરસવ, જંગલી મૂળો વગેરે).


નિવારક પગલાં

  • તમે કયા પ્રકારનાં નીંદણનો ઉપાય કરી રહ્યા છો તેની ખાતરી કરો.(સામાન્ય રીતે પહોળા પાંદડાવાળું નીંદણ અથવા ઘાસ).
  • જે તમારા હેતુને શ્રેષ્ઠ રીતે બંધબેસે તેવા વનસ્પતિનાશકની કાળજીપૂર્વક પસંદગી કરો.
  • કાળજીપૂર્વક લેબલ વાંચો અને સૂચનોનું પાલન કરો, સૂચવ્યા પ્રમાણે ડોઝ વાપરો.
  • સ્પ્રે કન્ટેનરને યોગ્ય રીતે સાફ કરો, જેથી બે અલગ અલગ વનસ્પતિનાશકોનું સંયોજન ન થાય.
  • અન્ય જગ્યાએ ન ફેલાય તે માટે ભારે પવનની સ્થિતિમાં છંટકાવ કરવાનું ટાળો.
  • તે આજુબાજુમાં ઉડીને ફેલાય નહી, તે માટે આવતા વિશિષ્ટ સ્પ્રે નોઝલનો ઉપયોગ કરો, જે નીંદણને વધુ સારી રીતે લક્ષ્ય બનાવે છે.
  • પરિણામો મોનીટર કરવા માટે ગોચર અને પરાગરજ ક્ષેત્રોમાં હર્બિસાઇડનો પ્રયાસ કરો અને પરીક્ષણ કરો.
  • હવામાનની આગાહી કાળજીપૂર્વક તપાસો અને વરસાદ આવવાના સમયે છંટકાવ ન કરો.
  • છંટકાવની તારીખ, ઉત્પાદન, ખેતરની જગ્યા અને હવામાનની સ્થિતિ સાથે પ્રવૃત્તિઓની નોંધ રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો