તરબૂચ

ફળનું ફાટવું

Physiological Disorder

અન્ય

5 mins to read

ટૂંકમાં

  • ફળની સપાટી પર ઠંડીથી ઈજા, ત્વચાનો તણાવ, દાણા, ફૂલેલી અને ફાટેલા ફાળો જોવા મળે છે.
  • ત્રણ અલગ અલગ પ્રકારે ફાટવું: ગોળાકારે, બારીક અથવા ઊંડી તિરાડો.

માં પણ મળી શકે છે


તરબૂચ

લક્ષણો

ડાળીના મુખ્ય ભાગથી શરુ કરી ફળના કેન્દ્ર સુધી, ફળોમાં મુખ્ય તિરાડ નિર્માણ થાય છે. ફળ કિરણોત્સર્ગથી પીડાય છે. ફળ પર દેખાતા કેન્દ્રિત વર્તુળોથી ફળ પર તિરાડ નિર્માણ થાય છે. ફળમાં તિરાડ થવી એ ધીમી પ્રક્રિયા છે, અને તે ત્રણ તબક્કામાં થાય છે: ફળના પ્રારંભિક, મધ્ય અને અંતિમ ચરણમાં તિરાડ. ફળમાં તિરાડના પ્રારંભિક તબક્કે, ફળ સપાટી પર કથ્થાઈ રંગની પટ્ટીઓ અને બાહ્ય ત્વચા પર અસ્થિભંગ દેખાવાનું શરૂ થાય છે. પછી, તિરાડ દેખાવા લાગે છે, અને તૈલી ગ્રંથીઓ તૂટવાનું શરૂ થાય છે. તેલ ગ્રંથીઓ ગંભીર તૂટી જવાથી પછીથી ફળની સપાટી પરની પેશીઓ અને કોષોને ગંભીર નુકસાન થાય છે અને તૂટી ગયેલ છાલની કોશિકાઓ વચ્ચે મોટી જગ્યા હોય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ભારે નુકશાન ઘટાડવા નાજુક સમયગાળા પહેલા અને તે દરમ્યાન વધારાનું ધ્યાન આપો. ઝાડને પૂરતું પાણી અને પોષક તત્વો પુરા પાડવા જોઈએ. જમીનની પરિસ્થિતિ સુધારવા માટી અને ખાતર ઉમેરવા જોઈએ. પોષક તત્વોનો અચાનક વધારો રોકવા, વૃક્ષને પોષણ આપવા ખાતર ધીમે ધીમે આપો અને કોપોસ્ટ નો ઉપયોગ કરો. ઘાસ પાથરીને બાષ્પીભવન ઘટાડવું અને માટીમાં ભેજ જાળવી રાખવો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ફળમાં તિરાડ ઓછી કરવા યુવાન ફળો પર 120 પીપીએમ પ્રમાણે કેલ્શિયમ સંયોજનો અથવા જીએ3 નો છંટકાવ કરવો. ફળ પર નોંધપાત્ર રીતે કરચલી ઓછી કરવા માટે પોટેશિયમ, કેલ્શિયમ, અને બોરોન યુક્ત ખાતરનો છંટકાવ કરવો. ફળની છાલનો વિકાસ, છાલની જાડાઈ વધારવા, ફળમાં તિરાડ પ્રત્યે પ્રતિકાર ક્ષમતા વધારવા અને લણણી પહેલા ફળમાં તિરાડ ઘટાડવા, ફળના વિકાસના શરૂઆતના તબક્કે પોટેશ્યમ લાગુ કરો.

તે શાના કારણે થયું?

તાપમાન, ભેજ જેવી પ્રતિકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓ અને સંભાળની પધ્ધતિ કારણે લણણી પછી ગેરવ્યવસ્થા ઉભી થઇ શકે છે જ્યારે, લણણી પહેલાની ગેરવ્યવસ્થા માટે ના પરિબળોમાં બોરોન, કોપર, અને મેંગેનીઝ જેવા સૂક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપ કારણભૂત હોઇ શકે છે. ફળનું કદ અને આકાર પણ ખાટાં ફળમાં તિરાડને અમુક અસર કરે છે. વિશાળ ફળો તિરાડની ઘટના વધુ અનુભવે તેવી શક્યતા છે. ખાટાં ફળોની છાલમાં કરચલી અને તિરાડ એ છોડ પર ચડાવેલ આંખ(કલમ) નો પરોક્ષ પ્રભાવ છે. દૈનિક રીતે પ્રકાશની તીવ્રતા અને સંપર્કમાં વિવિધતા ને ફળ પર દૈનિક રીતે દેખાતી કરચલીમાં વિવિધતા સાથે સીધો સંબંધ છે. ફળની છાલ પરની કરચલીમાં દૈનિક ફેરફારના દરને પ્રકાશની તીવ્રતામાં થતા દૈનિક ફેરફાર સાથે હકારાત્મક સંબંધ છે. ફળ ખરવાના સમયગાળા પહેલાંનો સરેરાશ વધુ પડતો સાપેક્ષ ભેજ ફળ પર કર્ચલીની ઘટનામાં વધારો કરે છે. છાલમાં આંશિક રીતે અપૂરતા પોષક તત્વો છાલમાં વિકાસલક્ષી અને મેટાબોલિક વિકૃતિઓનું કારણ બનશે. તેથી, ઉત્તેજિત બાહ્ય પ્રતિકૂળ વાતાવરણ ફળમાં કરચલી અને તિરાડ નિર્માણ કરશે.


નિવારક પગલાં

  • સિંચાઈનું આવર્તન વધારી અત્યંત ભેજ ટાળો.
  • ફળની ઉચ્ચ ગુણવત્તા અને ઉપજ મેળવવા માટે, લક્ષણો દેખાય તે પહેલાં પોષણની સુક્ષ્મ અછત શોધી લેવી જોઈએ.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો