Physiological Disorder
અન્ય
5 mins to read
આ એક શારીરિક વિકૃતિ છે જેનાથી ફળ ઉપર કથ્થઈ રંગનો પાતળો ડાઘ નિર્માણ થાય છે, જેથી સમય જતા વિભાજન થાય છે. આ ડાઘ ફળની લંબાઈ અને પહોળાઈમાં વિસ્તરે છે, અને ઘણીવાર ફૂલના છેડાથી ડાળીને જોડે છે અને ચેન જેવું જખમ બનાવે છે, અને તેથી જ આવું નામ છે. ફળની અંદર કાણું અને તેની સપાટીમાં વિકૃતિ જોવા મળવી પણ સામાન્ય છે. નુકશાન પામેલ કોષો તેમની સ્થિતિસ્થાપકતા ગુમાવે છે અને ફળ સારી રીતે વૃદ્ધિ પામતા નથી. નુકસાન જ્યારે દ્રશ્યમાન થાય ત્યારે, કઈ પણ સારવાર કરવા માટે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે.
આ શારીરિક વિકૃતિ સામે કોઈ જ જૈવિક સારવાર ખબર નથી. આની સારવાર માત્ર સુરક્ષાત્મક પગલા દ્વારા કરી શકાય છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ રોગની સારવાર માત્ર સુરક્ષાત્મક પગલા દ્વારા કરી શકાય છે.
આ એક શારીરિક વિકૃતિ છે જે ફુલ આવવાના પાછળના તબક્કામાં અને ફળ આવવાના શરૂઆતના તબક્કામાં ઓછા તાપમાન અને વધુ પડતા ભેજના કારણે નિર્માણ થાય છે. કુમળા છોડ ના વિકાસ વખતે, એક અથવા ઘણા પરાગ પુરુષો અંડકોષની દીવાલ સાથે જોડાયેલા રહે છે, જે જેમ ફળ નિર્માણ થાય તેની બહારની સપાટી ઉપર પાંદડા ડાઘા નિર્માણ થાય છે. અલગ અલગ જાત પ્રમાણે તાપમાન પ્રત્યેની સંવેદનશીલતા જુદી જુદી હોય છે. કેટલીક ટામેટા ની પ્રજાતિ વધુ સંવેદનશીલ હોય છે, બેફસ્ટએક ટામેટા ખરાબરીતે પીડાય છે.