ખાટાં ફળો

ખાટાં ફળો માં હિન્દૂ સૂક્ષ્મ જીવાત

Schizotetranychus hindustanicus

સૂક્ષ્મ જીવાત

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર અસંખ્ય અને બારીક રાખોડી અથવા રૂપેરી રંગ ના રજકણો જોવા મળે છે.
  • સામાન્ય રીતે, ઉપદ્રવ પામેલ કોષો દૂરથી રુપેરી રંગના દેખાય છે.
  • ગંભીર ઉપદ્રવના કિસ્સામાં પાંદડા ખરી પડવા, ડાળીનો નાશ થવો, ફળોની ગુણવત્તામાં ઘટાડો થવો અને ઝાડની તાજગીમાં ઘટાડો જોવા મળે છે.
  • પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવાથી આ જંતુ દ્વારા નિર્માણ થતાં રોગ ના બનાવો અને નુકસાનને ઓછું કરી શકાય છે.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

પાંદડાંની ઉપરની સપાટી પર બારીક રાખોડી અથવા રૂપેરી રંગ ના રજકણો દ્વારા નુકસાન ના લક્ષણો જોવા મળે છે, જેને સ્ટીપલિંગ કહેવાય છે. સામાન્યરીતે તે પાંદડાંની મુખ્ય શીરા પાસે વિપુલ પ્રમાણમાં જોવા મળે છે અને ત્યાર બાદ સમગ્ર પાંદડાંની સપાટી પર ફેલાય છે. સામાન્ય રીતે ઝાડની ફરતે આવેલા પાંદડાં, ફળ અને ડાળીઓ ઉપર પર અસર થવાની શક્યતા વધુ હોય છે. ગંભીર ઉપદ્રવના કિસ્સામાં, આ રજકણો ભેગા મળી ટપકાનું નિર્માણ કરે છે અને પાંદડાં અથવા લીલા ફળોને એકસરખો રૂપેરી અથવા તામ્ર રંગનો દેખાવ આપે છે. આક્રમણ પામેલ કોષો ધીમે ધીમે સખત બને છે અને સડે છે, જેનાથી અકાળે પાનખર, ડાળીઓનો નાશ, ફળોની ગુણવત્તામાં અને ઝાડની તાજગી માં ઘટાડો જોવા મળે છે. આવું ખાસ કરીને પ્રતિકૂળ પર્યાવરણીય પરિસ્થિતિ હેઠળ જોવા મળે છે, ઉદાહરણ તરીકે સૂકું અને પવન વાળું હવામાન. તેનાથી વિપરીત, પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવાથી રોગના બનાવો અને જંતુ દ્વારા થતાં નુકશાનમાં ઘટાડો થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

સીઝોતેતરનિચર્સ હિંદુસ્તેનીચર્સ માટે શિકારી અને અન્ય કુદરતી દુશ્મનો મોટી સંખ્યામાં છે, કે જે, જો જીવાત માટે પ્રતિકૂળ હવામાન હોય તો, તેના વારંવાર ફેલાવાનું નિયંત્રિત કરવા માટે પૂરતાં છે. જાળા વાળા માળાને કારણે આ જીવાત સામે, ફાયટોસેઈડ સૂક્ષ્મ જીવાતનો (ઉદાહરણ તરીકે યુસેઇયસ સતિપુલેટ્સ) ઉપયોગ કરવો અસરકારક રહેતો નથી. જીનસ સ્ટેથોરસ ઈન્દ્રગોપની કેટલીક પ્રજાતિઓ જંતુનો આક્રમક રીતે ખોરાકમાં ઉપયોગ કરે છે. ફૂગ અને ખાસ કરીને વાયરસ, પણ ખેતરમાં, પેનોનીચર્સ સીટ્રી ની વસ્તીનું નિયંત્રણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેને તાપમાન દ્વારા વેગ મળે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધ્યાનમાં રાખો. વ્યાપક પણે અસર કરતાં જંતુનાશકો, શિકારી અને અન્ય લાભદાયક જંતુઓનો નાશ કરીને, પરિસ્થિતિમાં વધારો કરી શકે છે તેથી સંયમિત અસર કરતા જંતુનાશકોનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. વિવિધ પ્રકારના એકેરીસાઈડ્સ નો વારાફરતી ઉપયોગ કરવાથી પ્રતિકારનો વિકાસ થતો અટકાવી શકાય છે.

તે શાના કારણે થયું?

ખાટા ફળોમાં જોવા મળતી હિન્દૂ સૂક્ષ્મ જીવાત સીઝોતેતરનયચર્સ હિન્દુસ્તાનીક્સ ના પરિપક્વ અને બાલ કીડાની ખાવાની પ્રવૃત્તિના કારણે લક્ષણો નિર્માણ થાય છે. તેઓને પાંદડાંની નીચેની સપાટી પર માદા નિર્માણ કરવામાં આવતાં વિશિષ્ટ જાળાઓ (1-3 મીમી વ્યાસ) દ્વારા દર્શાવવામાં આવે છે અને જેમાં પાછળથી વસાહતોનો વિકાસ થાય છે. આ ખાસિયત તેમને અન્ય અતિ સૂક્ષ્મ જંતુઓ કરતાં જુદાં પડે છે અને તેને અન્ય સામાન્ય નામ 'માળા ગુંથતી સૂક્ષ્મજીવાત ' આપે છે. પુખ્ત જીવાત માળામાંથી બહાર આવી અને અન્ય પાંદડા અથવા ફળ પર હુમલો કરે છે, જ્યારે અપરિપક્વ તબક્કામાં તે જાળાની નીચે જ સ્થાયી રહેવાનું પસંદ કરે છે. જંતુઓ અને પક્ષીઓ દ્વારા સૂક્ષ્મ જીવાતનું અન્ય ઝાડ પર પરિવહન કે ફેલાવો થઇ શકે છે. ચેપગ્રસ્ત સાધન અને ખેતીની સાચવણીની ખરાબ પદ્ધતિ ના કારણે પણ જંતુઓનો અન્ય ખેતરમાં ફેલાવો થઈ શકે છે. પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવાની સારી સિંચાઇની યોજનાઓ દ્વારા આ જંતુથી નિર્માણ થતાં રોગના બનાવો અને નુકસાનમાં નોંધપાત્ર રીતે ઘટાડો થઇ શકે છે. આનાથી વિપરીત, ખુબ ઓછો અથવા વધુ પ્રમાણમાં ભેજ, વધુ પડતો પવન, દુકાળ અથવા મૂળના અપૂરતા વિકાસથી પરિસ્થતિ કથળી શકે છે.


નિવારક પગલાં

  • અતિ સૂક્ષ્મ જંતુઓની સંખ્યા જોવા માટે નિયમિતપણે લેન્સ વડે વાડીનું નિરીક્ષણ કરો.
  • લાભદાયક જંતુઓની વસતી પર નકારાત્મક પ્રભાવ થતો હોવાના કારણે જંતુનાશકોનો અતિશય ઉપયોગ ન કરવો.
  • ઝાડને યોગ્ય રીતે પાણી આપો અને દુકાળ જેવો તણાવ અટકાવો.
  • શાખાઓનો જમીન પરના ઘાસ અથવા નીંદણ સાથે સંપર્ક થતો અટકાવો.
  • વાડીને નિંદણથી સ્વચ્છ રાખો.
  • લણણી પછી કચરો અને ભંગાર દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો