પિસ્તા

પિસ્તાનું સૂર્યપ્રકાશથી બળવું

Abiotic Sunburn

અન્ય

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાં કિનારીથી શરુ કરીને કરમાય અને પીળા પડે છે.
  • પાનખર બાદ ફળો અને છાલ ને પણ અસર કરે છે.

માં પણ મળી શકે છે

1 પાક
પિસ્તા

પિસ્તા

લક્ષણો

સીધા સૂર્યપ્રકાશ અને અતિશય તાપમાનના સંયોજન ના કારણે એબાયોટિક બળવાના કારણે નુકશાન થાય છે. આ પરિબળો છોડની પેશીઓમાં ભેજ ઘટાડે છે, જે શરૂઆતમાં કુમળા પાંદડાઓને નબળા પાડે છે. પાંદડાઓ ધીમે ધીમે આછા લીલા રંગના બને અને 2-3 દિવસ પછી પાંદડાં કિનારી અને ટોચ પાસે ડાઘ નિર્માણ થવાનું શરૂ થાય છે. આ ડાઘ પછીથી પાંદડાની માધ્યમાં આવેલ મુખ્ય નસ તરફ ફેલાય છે. પાણીનો અભાવ અથવા જંતુના હુમલાના કારણે પાનખર થાય તો વૃક્ષની છાલ પણ બળી શકે છે. ત્યાં, તે તિરાડ અને ફાટનું સ્વરૂપ લે છે, જે આખરે થડ પર મૃત વિસ્તાર બનાવે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

સૂર્યના તડકાને અવરોધી શકાય તે માટે પાંદડાં અને થડ પર સફેદ માટી અથવા પાવડરનો છંટકાવ કરી શકાય છે. આનાથી તાપમાનમાં 5-10 ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો થઇ શકે છે. કેલ્શિયમ કાર્બોનેટ અથવા સ્ફટિકીય લાઇમસ્ટોન આધારિત ઉત્પાદનોની પણ ભલામણ કરવામાં આવે છે. મીણ જેવું ઉત્પાદન, કારનુબા પણ છોડ માટે કુદરતી સનસ્ક્રીન તરીકે વર્તે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. ખાતર સાથે પૂરક તરીકે આનુષંગિક એસિડ લાગુ કરવાથી, સફરજન જેવા ફળોમાં સૂર્યના તડકાથી થતું નુકસાન અટકાવવામાં મદદ મળે છે અને તેથી તે અન્ય પાકમાં પણ કામ કરી શકે છે. અભ્યાસો દ્વારા જાણવા મળ્યું છે, પાંદડાં દ્વારા ભેજનો વ્યય થતો અટકાવતાં પોલી -1-પી મેનથેન પર આધારિત ઉપ્તાદનો પણ સારા પરિણામો આપે છે.

તે શાના કારણે થયું?

વધુ સૌર કિરણોત્સર્ગ, હવામાં વધુ તાપમાન અને ઓછા ભેજવાળા વિસ્તારોમાં વૃક્ષ પર આ પ્રકારની ઇજા સામાન્ય રીતે જોઈ શકાય છે. ભૌગોલિક ઊંચાઈ પણ મહત્વનો ભાગ ભજવે છે કારણકે વધુ ઊંચાઈએ અલ્ટ્રાવાયોલેટ (યુવી) કિરણોત્સર્ગ વધુ હોય છે. પાંદડા, ફળો અને છાલ પર લક્ષણો દેખાય છે. તડકાના કારણે બળવાની ઘટનાઓ અને તેની તીવ્રતા છોડની જાત, તેના વિકાસનો તબક્કો અને જમીનમાં ભેજનું પ્રમાણ જેવા પરિબળો પર આધારિત છે. ખાસ કરીને દિવસ દરમિયાન વધુ સમય માટે તડકો અને ફળના વિકાસ દરમિયાન આ લક્ષણો ગંભીર પણે દેખાય છે. હવામાનમાં બદલાવ પણ મહત્વપૂર્ણ છે: તેથી, જ્યારે ઠંડા અથવા હળવા હવામાન બાદ અચાનક ગરમ, સૂર્યપ્રકાશવાળું હવામાન નિર્માણ થાય ત્યારે પણ નુકસાન થઈ શકે છે.


નિવારક પગલાં

  • સૂર્યના તડકા સામે ટકી શકે તેવી જાતોનો ઉપયોગ કરો.
  • માટીમાં લાંબો સમય પાણી ટકી રહે તે માટે ચાસ વચ્ચે માટી પર આવરણ બનાવતા પાકનો ઉપયોગ કરો (ઉદાહરણ તરીકે અનાનસની વાડીમાં મકાઈ અથવા તુવેર).
  • પાક માટે પાણીની જરૂરિયાત પ્રમાણે સિંચાઈ મળી રહે તેની ખાતરી કરો.
  • પાણીની ખેંચ ઉભી ન થાય અને તડકામાં બળી જ જાય તે માટે ગરમીના મોજા પહેલા અથવા તે દરમિયાન સિંચાઈ કરો.
  • અતિશય ગરમી દરમિયાન કાપણી અને પાંદડા તોડવાનું ટાળો.
  • પાંદડાંઓમાં હવાની અવરજવર રહે જુઓ.
  • છોડ અથવા વૃક્ષમાં સ્પ્રિંકરની મદદથી ઠંડક પુરી પાડી શકાય છે.
  • જો જરૂરી જણાય તો જાળીનો ઉપયોગ કરી છાંયડો પૂરો પાડી શકાય છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો