અન્ય

પાંદડાં પર શારીરિક ટપકાં

PLS

અન્ય

5 mins to read

ટૂંકમાં

  • વિવિધ કદ અને રંગના ટપકાં સાથે પાંદડાંમાં વિવિધ જાતના લક્ષણોને.
  • ટપકાંવાળી ભાતો છોડ પરના દરેક પાંદડાં પર આવેલ હોય છે, પરંતુ તે પાંદડાંની શીરા અને કિનારી પૂરતી માર્યાદિત હોય છે.
  • (વિ જૂના પાંદડાઓ પૂરતી જ અને ફૂગી સાથે ભળી ગયેલ).

માં પણ મળી શકે છે

2 પાક

અન્ય

લક્ષણો

પાંદડાં પર શારીરિક ટપકાંના આકાર અને રંગના લક્ષણો પાકના પ્રકાર, તેની જાત, ઋતુ અને દેખભાળના પ્રકાર પર આધાર રાખે છે. કેટલાક અનાજમાં પીળા કણો સાથે ટપકાં અથવા નારંગી બારીક ટપકાં, અને અન્ય કેટલાક અનાજમાં કથ્થાઈ કે લાલાશ પડતા ટપકાં જોઇ શકાય છે. કેટલાક કિસ્સાઓમાં ટપકાં વિસ્તરે છે અને પાણી શોષાયેલ ફિંગરપ્રિન્ટ-પ્રકારના ડાઘા બનાવે છે. આ લક્ષણો ફુગથી થતા ટપકાં વાળા લક્ષણો જોડે સહેલાયથી ભળતા આવે છે, બદામી ટપકાં, જાળીવાળા ચાઠાં અને પાંદડા પર સેપ્ટોરિયા ના ટપકાં. જો કે, જો કારણ શારીરિક ટપકાં હોય તો, ટપકાં છોડના તમામ પાંદડા પર હાજર હોય છે, જ્યારે ફુગથી થતાં રોગોમાં સામાન્ય રીતે તે નીચલા પાંદડાં પર વધુ દેખાય છે. બીજો મુખ્ય તફાવત એ છે કે શારીરિક જખમ ના રોગમાં ટપકાં તીક્ષ્ણ ધાર વાળા અને પાંદડાંની નસો પૂરતાં મર્યાદિત (વિ ફૂગીથી પ્રસરેલા) હોય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ ક્ષણે પાંદડાં પર શારીરિક ટપકાંનો રોગ સામે જૈવિક નિયંત્રણ માટેના કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. જો તમે કાંઈ જાણતાં હોવ તો, કૃપા કરીને અમને જણાવો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. કેટલીક જાતિઓમાં જ્યાં જમીનની પીએચ તટસ્થ અથવા ઓછી છે, ત્યાં કેસીએલના સ્વરૂપમાં પોટાશથી સારવાર લક્ષણોને સુધારે છે અથવા પલટાવે છે. વધુ પીએચ વાળી જમીનમાં પોટાશથી સારવાર મર્યાદિત ઉપયોગિતા દર્શાવે છે.

તે શાના કારણે થયું?

પાંદડાં પર શારીરિક ટપકાંનો રોગ શિયાળુ ઘઉં પર વારંવાર જોવા મળે છે, પરંતુ તે અન્ય અનાજને પણ અસર કરી શકે છે. આ વિકૃતિ પર્યાવરણીય પરિબળોના કારણે પેશીઓના ઓક્સિડેશનના કારણે નિર્માણ થાય છે તેવું માનવામાં આવે છે, ઉદાહરણ તરીકે સૂર્યપ્રકાશના કારણે ઉપરના પાંદડાંને નુકસાન અથવા જમીનમાં ક્લોરાઇડનો અભાવ. બીજા પરિબળો, ઠંડુ, વાદળછાયું અને ભીના હવામાન પછી ગરમ, સૂર્યપ્રકાશ વાળી પરિસ્થિતિ પર અસર કરી શકે છે. પર્ણદંડ ના પાયામાં પરાગરજ અને પાણીના ભરાવાથી પણ શારીરિક ટપકાં વાળા રોગનો વિકાસ થઇ શકે છે. પાંદડાં પર શારીરિક ટપકાંનો રોગના લક્ષણો ફુગથી થતા ટપકાં વાળા લક્ષણો જોડે સહેલાયથી ભળતા આવે છે, જેમ કે બદામી ટપકાં, જાળીવાળા ચાઠાં અને પાંદડા પર સેપ્ટોરિયા ના ટપકાં. જોકે, આ રોગથી વિપરીત, તે ઉપજ પર અસર કરતાં હોવાનું માનવામાં આવતું નથી. તેથી ફુગનાશકનો ઉપયોગ કરવાનો નિશ્ચય કરતા પહેલા, ટપકાં રોગના કારણે નિર્માણ થયા છે કે નહિ તે જાણવું ઘણું જ મહત્વનું બની જાય છે.


નિવારક પગલાં

  • જો તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો સ્થિતિસ્થાપક જાતોની પસંદગી કરો.
  • નિયમિત પાકનું નિરીક્ષણ કરો અને નિદાન માટેની લેબોરેટરીમાં રોગ માટે તપાસ કરો.
  • જમીનમાં ક્લોરાઇડનું નીચું સ્તર ટાળો અને પોષકતત્વો માટે જમીનની નિયમિત ચકાસણી કરો.
  • ખાતરના આયોજનમાં(જો જમીન શ્રેષ્ઠ ઓછી pH ધરાવતી હોય) પૂરક તરીકે કેસીએલ ના સ્વરૂપમાં પોટાશ લાગુ પાડો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો