મસૂર

મસુરના મૂળનો સડો

Rhizoctonia solani

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • મૂળમાં બદામી રંગનું વિકૃતિકરણ અને ઝખ્મ, સંકોચાયેલ મૂળ પ્રણાલી અને મૂળમાં સડો.
  • મૂળગાંડીકા, ઓછા પ્રમાણમાં, નાની અને આછા રંગની હોય છે.
  • રૂપા નો ઉદ્ભવ થયા બાદ ટૂંક સમયમાં જ નુકશાન થાય છે અથવા નાશ પામે છે.
  • પાછળથી જીપ ગ્રસ્ત થયેલા છોડ નાના કદના રહે છે અને પાંદડા પીળા પડી જાય છે.

માં પણ મળી શકે છે

3 પાક

મસૂર

લક્ષણો

આ રોગ મુખ્યત્વે મૂળ ને અસર કરે છે, જેનાથી અંકુરણ સારું થતું નથી, છોડની વૃદ્ધિ અટકે છે અને ઉપજ ઓછી આવે છે. સામાન્ય લક્ષણો તરીકે મૂળમાં બદામી રંગનું વિકૃતિકરણ અને ઝખ્મ, સંકોચાયેલ મૂળ પ્રણાલી અને મૂળમાં સડા નો સમાવેશ થાય છે. જો તેનું નિર્માણ થાય તો, મૂળગાંડીકા, ઓછા પ્રમાણમાં, નાની અને આછા રંગની હોય છે. ચેપગ્રસ્ત બીજમાંથી નિર્માણ પામેલો છોડ, અંકુરણ થયા બાદ ટૂંક સમયમાં કરમાઈ જાય છે. જે છોડ બચી જાય છે તે પીળા પડે છે અને તાજગી ઓછી જોવા મળે છે. જે છોડને પાછળથી ચેપ લાગે છે તે નાના કદના રહે છે. તકવાદી પરોપજીવી ની વસાહત અને ક્ષીણ થતી પેશીનો ખોરાક તરીકે ઉપયોગ, લક્ષણોને વધુ બગાડે છે. છેતરવા આ રોગ ઘણી વાર ટુકડાઓમાં થાય છે, અને પરોપજીવી અને અનુકૂળ વાતાવરણ મળી રહેતા વધી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

મસુરના મૂળનો સડો જેવા માટી-સંબંધી રોગોને નિયંત્રિત કરવા માટે દાણા પલાળવામાં થોડા પ્રમાણમાં કિનેટીન અથવા ફૂગ ટ્રાઇકોડર્મા હરઝિયાનમ સાથે સંકળાયેલ દ્રાવણ નો ઉપયોગ કરી શકાય છે. વધુમાં તેઓ સક્રિય છોડ ની વૃદ્ધિ અને ઉત્પાદકતા પણ વધારે છે.હવે વિશાળ ખેતીવાળા વિસ્તાર માં આ ઉત્પાદનો ચકાસવા માટે પ્રયોગાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો એકવાર છોડની પેશીઓ માં ફૂગ લાગી જાય, ત્યારે તેની સામે કોઇપણ સારવાર કરવી અશક્ય છે. બીજને થાઈબેન્ડાઝોલ પ્લસ કાર્બાથીઈન , કાર્બાથીઈન પ્લસ થીરમ સાથે સારવાર કરવાથી બીજ સ્થાપના સુધારી શકાય છે. અન્ય ફુગનાશક પણ ઉપલબ્ધ છે

તે શાના કારણે થયું?

જમીનમાં ફૂગ થી સંક્રમણ પામેલા પરોપજીવી આ લક્ષણો મળી શકે છે, જે છોડની વૃદ્ધિમાં કોઇ પણ તબક્કામાં અસર કરી શકે છે. રીઝોકટોનીયા સોલાની અને ફ્યુઝરિયમ સોલાની આનો ભાગ છે, જે લાંબા સમય સુધી જમીનમાં ટકી શકે છે. જ્યારે વાતાવરણ અનુકુળ થાય, ત્યારે તે મૂળની પેશીઓમાં વસાહત બનાવે છે અને મૂળ દ્વારા પાણી અને પોષક તત્વો નું છોડ ના બીજા ભાગ સુધી પરિવહનને અસર કરે છે, જેનાથી છોડ કરમાઇ છે અને પાંદડા પીળાશ પડતા બને છે. તે છોડની પેશીઓમાં વધતા હોવાથી, ઘણી વખત તેની જોડે ઊંઘ પણ જોવા મળે છે જે મૂળના અને મૂળગાંડીકા ના સામાન્ય વિકાસને અવરોધે છે. ઋતુની શરૂઆત માં ઠંડી અને ભેજવાળી જમીન આ રોગના વિકાસ ની તરફેણ કરે છે. હકીકતમાં, આ લક્ષણો ઘણીવાર પુર અથવા પાણીના ભરાવા સાથે સંકળાયેલા હોય છે. છેલ્લે, વાવણી નો સમય અને બીજનું ઊંડાણ છોડની વૃદ્ધિ અને ઉપજ પર નક્કર અસર પાડી શકે છે


નિવારક પગલાં

  • તંદુરસ્ત છોડ અથવા પ્રમાણિત સ્રોતોનાં જ બિયારણ વાપરો.
  • જો ઉપલબ્ધ હોય તો, વધુ પ્રતિરોધક જાતો પસંદ કરો.
  • યોગ્ય પાણીનો નિકાલ થઈ શકે તેવા ખેતરની પસંદગી કરો.
  • છોડ માટે અયોગ્ય વાતાવરણ ટાળવા માટે મોડેથી વાવણી કરો.
  • છોડને સંતુલિત પોષણ મળી રહે તેની ખાતરી કરો.
  • ખાસ કરીને ઠંડા વાતાવરણમાં, પ્રારંભિક વિકાસ દરમિયાન સારો ફોસ્ફરસ પુરવઠો મળી રહે તેની ખાતરી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો