દ્રાક્ષ

દ્રાક્ષમાં રેસાદાર ફૂગ

Plasmopara viticola

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર કથ્થઇ રંગની આભા સાથે પીળાશ પડતાં લીલા રંગના તૈલી ટપકાં.
  • જે અનિયમિત આકારના કથ્થાઈ ઝખ્મમાં ફેરવાઇ જાય છે.
  • ટપકાંની નીચે સફેદ થી રાખોડી રંગનું રૂ જેવું આવરણ.
  • તે કળીઓ, વાંકળિયા દોરી જેવી વેલ અને ફાલ પર અસર કરી શકે છે.
  • અટકેલો વિકાસ.

માં પણ મળી શકે છે


દ્રાક્ષ

લક્ષણો

કુમળા પાંદડાની ઉપરની સપાટી પર, પીળાશ પડતાં લીલા રંગના તૈલી ટપકાં, ઘણી વખત કથ્થઇ રંગની આભાથી ઘેરાયેલા, દેખાય છે. જેમજેમ રોગ વિકસે છે, આ ટપકાં મોટા થાય છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્ર સુકાય છે, અને વિવિધ પ્રકારના કથ્થઈ રંગોની અનિયમિત પટ્ટીઓ રચે છે. સતત ગરમ ભેજવાળી રાત પછી, પાંદડાંની નીચે ગાઢ, સફેદ-રાખોડી રંગનું રૂ જેવું આવરણ વિકસે છે. પુખ્ત પાંદડાં પર જો સિઝનના અંત ભાગમાં ચેપ નિર્માણ થાય, તો પછી તેનાથી પાંદડાની નસો વચ્ચેનો ભાગ પીળો પડે છે કે જે ધીમે ધીમે લાલ-કથ્થઈ રંગની મોઝેક ભાતની લાક્ષણિકતા રચે છે. તૈલી કથ્થાઈ વિસ્તારોની લાક્ષણિકતા અને ફૂગનો વિકાસ કળીઓ, વાંકળિયા દોરી જેવા અંકુરો અને ફાલ પર પણ જોઇ શકાય છે. પાનખર અને યુવાન અંકુર કે ફૂલો વામણા અથવા તેનો નાશ થવાથી, વિકાસ અટકે છે અને ઉપજ ઓછી આવે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

છોડમાં દૂષણ અટકાવવા માટે ચેપ લાગતાં પહેલા ઉપયોગમાં લેવાતાં ફુગનાશકોમાં, બોર્ડેક્સ મિશ્રણ જેવા કોપર આધારિત જૈવિક ફુગનાશકોનો સમાવેશ થાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. છોડ પર દૂષણ રોકવા માટે રક્ષણાત્મક ફુગનાશક મદદ કરી શકે છે, પરંતુ તે પાંદડાની નીચેની બાજુએ યોગ્યરીતે છાંટવું જોઈએ. બોર્ડેક્સનું મિશ્રણ અને ડાયથીઓકાર્બેમેટ્સ જેવા કોપર આધારિત ફુગનાશક વાપરી શકાય છે. ચેપ લાગ્યા બાદ, પ્રથમ લક્ષણો જોવા મળ્યા બાદ તુરંત જ ફૂગનાશક લાગુ કરવા જોઈએ. સામાન્ય રીતે ચેપ લાગ્યા બાદ ઉપયોગમાં લેવાતાં ફુગનાશકોમાં ફૉસેટિલ-એલ્યુમિનમ અને ફિનાયલેમાઇડ નો સમાવેશ થાય છે.

તે શાના કારણે થયું?

પ્લાસ્મોપેરા વીટીકોલા ફૂગના કારણે લક્ષણો નિર્માણ થાય છે અને વારંવાર વસંત અને ઉનાળામાં વરસાદ અને 10 ° સે થી ઉપરના તાપમાન વાળા વિસ્તારોમાં દ્રાક્ષ ઉત્પન્ન કરવાવાળા માટે તે અત્યંત વિનાશક હોઈ શકે છે. માટીમાં રહેલ છોડના ચેપગ્રસ્ત અવશેષો અથવા રોગગ્રસ્ત અંકુર માં ફૂગ ઠંડી દરમ્યાન ટકી રહે છે. વસંત દરમ્યાન, પવન અને વરસાદના છાંટાં દ્વારા રોગના બીજકણ ફેલાય છે. રોગના બીજકણો અંકુરણ અને વિકાસ પામે છે અને પાંદડાની નીચેની બાજુએ રહેલ છિદ્રો મારફતે તેમાં દાખલ થાય છે. ત્યાં તે પેશીઓ મારફતે ફેલાય છે, છેવટે આંતરિક પેશીઓનો બહાર તરફ વધુ વિકાસ થાય અને ફૂગની લાક્ષણિકતાવાળું આવરણ રચે છે. 13 અને 30 ° સે વચ્ચેના તાપમાને ફૂગ વિકાસ પામી શકે છે. સતત હુંફાળી, ભેજવાળી રાત પછી 18 થી 25 ° C તાપમાને વચ્ચે શ્રેષ્ઠ વિકાસ થાય છે.


નિવારક પગલાં

  • જમીનમાંથી સારી રીતે પાણી નીતરી ગયું હોય તેની ખાતરી કરો.
  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક જાતોની પસંદગી કરો.
  • સારો સૂર્યપ્રકાશ મળી રહે તેવી જગ્યાની અને સાચી દિશાની પસંદગી કરો.
  • વેલાને સારીરીતે જમીનથી દૂર રાખો અને સારી રીતે બાંધી દો.
  • ખેતર અને આસપાસમાંથી નીંદણ સારીરીતે દૂર કરો.
  • ખેતરમાંથી છોડના અવશેષો દૂર કરો.
  • ખેતીની સાધન-સામગ્રીને સાફ રાખો.
  • ચેપગ્રસ્ત માટી અને છોડની સામગ્રીનું વિતરણ ટાળો.
  • છોડમાં તાજગી માટે સંતુલિત ખાતર આપવાની ખાતરી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો