ચોખા

ચોખાની ડાળખીમાં દુર્ગંધનો રોગ

Tibraca limbativentris

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • કૂંણા પાંદડાનું ખરી જવુ, સાંઠાનો બગાડ (ડેડ હાર્ટ) અને ફુલ આવવાના સમયે ડાળીઓનું ચીમળાઇ જવુ (વાઇટ હેડ્સ).

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

સિંચાઈવાળા વિસ્તારો અને સૂકી ખેતીમાં આ બંન્ને વિસ્તારોમાં આ રોગની અસર દેખાવા છતા સૂકી ખેતીના વિસ્તારમાં આ કીટકોના રોગની અસર તીવ્ર હોય છે, પુખ્તવયના કીટકો અને નવા ઉત્તપન્ન થતા કીટકો બંન્ને કુમળા ડાંગરના છોડ પર હુમલો કરે છે જેના લક્ષણો "ડેડ હાર્ટ" અને "વ્હાઇટ હેડ્સ" તરીકે ઓળખાય છે. "ડેડ હાર્ટ" નો અર્થ કુમળા પાનનુ મૃત્યુ અને કેટલાંક કેસમાં આખા છોડનું મૃત્યુ છે. આવા જ પ્રકારના લક્ષણો જીનસ ડાયેટ્રેઆ છોડના કીટકોથી પણ દેખાય છે. ફુલો બેસવાના સમયે જંતુઓ ડાળીઓ ઉપર હુમલો કરે છે અને "વ્હાઇટ પેનિકલ (સફેદ ડાળીઓ)" અથવા "વ્હાઇટ હેડ" તરીકે ઓળખાતા લક્ષણોનું કારણ બને છે, ડૂંડા વિકસે છે તેમ અનાજના ઝેરી થવાના કારણે ટી લીમ્બટીવેન્ટ્રીઝ પાંદડાનો રસ ચૂસે છે, જો રોગ ઉપર કોઇ કાબુ ન આવે અને રોગ ફાટી નીકળે તો નુકશાન 80% સુધી પહોંચે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

રોગના કીટકોના ઇંડા ટેલિનોમસની પ્રજાતિઓ દ્વારા પરોપજીવી છે. કેટલાક કિસ્સાઓમાં, 90% પર્કિઝિટિઝમ ખેતરની પરિસ્થિતિ પ્રમાણે લાવવામા આવતા જોવા મળ્યા છે. અન્ય કુદરતી દુશ્મનોમાં કેટલીક માખીઓ (જીનસ એફેરિયા) નો સમાવેશ થાય છે. મેટાર્ગીઝિયમ એનિસોપ્લિયા, બીવરેરીયા બાસિયાના, પેસિલિમાસીસ સ્પે. કોર્ડીસેપ્સ ન્યુટન્સ, કોનિડીયા પર આધારિત ઉત્પાદનોનો પણ ચોખાના છોડ પર દ્રાવણનો છંટકાવ કરી શકાય. જીનસ પીપર (0.25 થી 4.00%) ના તેલના દ્રાવણ પણ રોગના જંતુના ઇંડાને જીવવા દેતા નથી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં અને જૈવિક સારવાર બંને સાથે સંકલિત અભિગમનો વિચાર કરો. જો કોઈ અન્ય વિકલ્પો ઉપલબ્ધ ન હોય તો ફોસ્ફરસ, પાયરેથ્રોઇડ અથવા અધિકૃત કાર્બમેટ જંતુનાશકોનો ઉપયોગ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

ટીબ્રાસા લીમ્બટીવેન્ટ્રીઝ નામના ડાંગરના છોડના કીટકો દ્વારા લક્ષણો પેદા થાય છે, તે મધ્ય અને દક્ષિણ અમેરિકામાં પેદા થયેલા છે અને ચોખા ઉપરાંત તે સોયાબીન, ટમેટા અને ઘઉંના પાક પણ પર હુમલો કરે છે. સામાન્ય રીતે, તે ખેતરની બહાર લણણી વચ્ચેનો સમયગાળો પસાર કરે છે, જ્યારે નવુ વાવેતર થાય ત્યારે પાછો ફરે છે. પુખ્ત વયના અને નાના જંતુઓ છોડ ઉપર નભે છે, જેથી વ્હાઇટ હેડ અને ડેડ હાર્ટ તરીકે ઓળખાતી પરિસ્થિતિ ઉભી કરે છે. આ લક્ષણો અનુક્રમે અનાજ અને છોડને નુકસાન કરે છે. સૂકી ખેતીવાળા પ્રદેશમાં અથવા ઓછી ભેજવાળા હવામાનમાં ઉગતા ચોખાના પાકને વધારે નુકશાન થાય છે. પાણીના અભાવે જંતુઓ છોડના નીચેના ભાગમાં રહે છે અ ધીરે ધીરે તેની વસ્તી અદ્દશ્ય થાય છે.


નિવારક પગલાં

  • જમીન તૈયાર કરતી વખતે અગાઉના પાકના ઘાસનો નાશ કરવો અને નિંદામણ કરવુ.
  • ખાત્રી કરો કે આજુબાજુમાં ખેતરો બરાબર તૈયાર કરેલા છે કે કેમ કારણ કે જીવાતને ખુલ્લાં ખેતરો પસંદ આવે છે.
  • બે છોડ વચ્ચે અંતર ઘટાડો.
  • (150 છોડ / મી2), કારણ કે વધારે ગીચતા તેમના કુદરતી દુશ્મનોથી તેમને સુરક્ષિત કરે છે.
  • જંતુનાશક દવાના ઉપયોગને નિયંત્રિત કરો કે જેથી આ છોડના બેક્ટેરીયાને અવળી અસર ન થાય.
  • સિંચાઇના પાણીની ગુણવત્તાનુ નિયમન કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો