કેરી

કેરીના અંકુરમાં જીવાત

Apsylla cistellata

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • જ્યાં કળીઓની રચના થવી જોઈએ ત્યાં કડક, લીલા રંગની, શંકુ આકારની ગાંઠો.
  • નાશ થવો.
  • ફળની ઉપજ ઘટે છે.
  • પાંદડા નીચે કથ્થાઈ-કાળા રંગના ઇંડા.
  • પુખ્ત કીડાને કાળા રંગનું માથું અને વક્ષ ભાગ, પેટ આછા બદામી રંગનું અને અને ભાતભાતની જાળીદાર પાંખો હોય છે.

માં પણ મળી શકે છે

1 પાક

કેરી

લક્ષણો

વસંત ઋતુ દરમ્યાન માદા પાંદડાંની નીચેની સપાટી કે મુખ્ય શીરામાં અંડાકાર, કથ્થઈ-કાળા રંગના ઇંડા મૂકે છે. ઈંડા મુક્યાના લગભગ 200 દિવસ પછી, બાળ કીડા બહાર આવે છે અને ગબડીને નજીકના કળીઓ પાસે પહોંચી તેની પર નભે છે. છોડની પેશીઓ પર ખોરાક લેતી વખતે કાણું પાડવાથી અને તેમાં રસાયણો દાખલ કરવાથી કળીઓની જગ્યાએ કડક, ઘેરા લીલા રંગની, શંકુ આકારની ગાંઠની રચના થાય છે. આ યોગ્ય ફાલ અને ફળના નિર્માણને અટકાવે છે. ગંભીર ચેપના કિસ્સામાં અસરગ્રસ્ત શાખાઓ નાશ પામી શકે છે. નુકશાન મુકાયેલ ઇંડાની સંખ્યા અને ફાલ પર થયેલ અસર પર આધાર રાખે છે. ભારત અને બાંગ્લાદેશમાં એપ્સિલા સિસ્ટેલેટા એક ગંભીર જંતુ છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

સિલિકેટથી સમૃદ્ધ ઔદ્યોગિક રાખથી સારવારની ભલામણ કરવામાં આવે છે. ગાંઠની સંખ્યા સારીરીતે દૂર કરવા માટે જ્યાં ચેપના લક્ષણો દેખાય તે જગ્યાએથી 15-30 સેમી આગળથી દૂષિત શાખા અને ડાળીઓ કાપીને દૂર કરવી જોઈએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વૃક્ષ પર ચડતી અને ઉતારતી જીવાતને દૂર કરવા માટે વૃક્ષની છાલની (0.03%) ડાયમીથોઈટ પેસ્ટ સાથે સારવાર કરવી. ડાયમીથોઈટ ને ઝાડની છાલમાં દાખલ કરવાથી પણ સારું કામ આપી શકે છે. જીવાતના ઉપદ્રવના પ્રારંભિક તબક્કે, પાંદડાં ને આ જંતુનાશક પર આધારિત છંટકાવથી સારવાર પણ સારૂ પરિણામ આપે છે.

તે શાના કારણે થયું?

પુખ્ત કીડા 3 થી 4 મીમી લાંબા, કાળા રંગનું માથું અને વક્ષ ભાગ, પેટ આછા બદામી રંગનું અને અને ભાતભાતની જાળીદાર પાંખો હોય છે. તેમને પાંદડાની બંને બાજુની મુખ્ય શીરામાં કાણું પાડીને અથવા પાંદડાની શીરા વચ્ચેની સપાટી પર રેખા બનાવીને તેમાં દાખલ કરવામાં આવે છે. આશરે 200 દિવસો બાદ ઈંડા સેવાય છે અને બાળ કીડા(નિમ્ફ) નો રંગ પીળાશ પડતો હોય છે. ઉદભવ બાદ તેઓ નજીકની કુમળી કળીઓનું સત્વ ચૂસવા ગબડીને તેના પર પહોંચે છે. ખોરાક લેતી વખતે તે છોડની પેશીઓમાં રસાયણો દાખલ કરે છે જેનાથી લીલા રંગની શંકુ આકારની ગાંઠની રચના થાય છે. ત્યાં બાળ કીડા(નિમ્ફ) પુખ્ત વયે પહોંચતા પહેલા છ મહિનાનું લાંબું જીવનચક્ર ફરીથી શરૂ કરે છે. બહાર નીકળતા પુખ્ત કીડા જમીન પર પડે છે, અને જ્યાં તેઓને આવરણના અવશેષોથી છૂટકારો મળે છે. પાછળથી, તે સંભોગ માટે અને ઇંડા મૂકવા વૃક્ષ પર ચડે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો, પ્રતિકારક્ષમ જાતો પસંદ કરો.
  • જીવાતના ચેપ માટે માટે નિયમિતરીતે વાડીનું નિરીક્ષણ કરો.
  • ખાતરનો અતિશય ઉપયોગ ન કરો.
  • દુકાળ જેવો તણાવ દૂર કરવા સૂકી ઋતુમાં વાડીમાં નિયમિતપણે પાણી આપો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો