કેપ્સિકમ અને મરચાં

વિવિધ પ્રકારની ગોકળગાય

Gastropoda

અન્ય

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા, દાંડી, ફૂલો, કંદ અને કળીઓને નુકસાન પહોંચાડવું.
  • છોડના પર્ણસમૂહ અને જમીનની ઉપર ચાંદીના વરખ જેવું દેખાવું.
  • યુવાન રોપાઓને મારી શકે છે.

માં પણ મળી શકે છે

30 પાક
જવ
કઠોળ
કારેલા
કોબી
વધુ

કેપ્સિકમ અને મરચાં

લક્ષણો

ગોકળગાય એક વ્યાપક જીવાત છે, જો તેઓ મોટી સંખ્યામાં વિકાસ પામે તો તે પાકમાં ગંભીર પાયમાલી પેદા કરી શકે છે. તેઓ અનિયમિત રીતે ખાય છે અને ઘણીવાર પાંદડાઓમાં મોટા છિદ્રો પાડી દે છે, પરંતુ તે દાંડી, ફૂલો, કંદ અને કળીઓને પણ અસર કરી શકે છે. આ ગોકળગાય એક ચાંદીના વરખ જેવી નિશાની છોડતી હોવાથી તેને છોડ અને જમીન પરથી આસાનીથી પકડી શકાય છે. તે મુખ્યત્વે ભેજવાળી આબોહવામાં થાય છે અને તેઓ ખાસ કરીને યુવાન કુમળાં છોડનો શિકાર કરે છે. તેઓ ખરેખર યુવાન રોપાઓને સંપૂર્ણ રીતે ખાઈને મારી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

હેજહોગ્સ, પક્ષીઓ, દેડકા, આંધળી ઈયળો અને જમીન ભૃંગ જેવા શિકારીને સારી ખેતર વ્યવસ્થાપન પદ્ધતિઓ દ્વારા પ્રોત્સાહન આપવું જોઈએ. કાર્બનિક ઉત્પાદકો માટે ફેરીક ફોસ્ફેટ પર આધારિત ગોળીઓનો ઉપયોગ પણ કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. તેમની વિવિધતા અને જીવનચક્રને કારણે, ગોકળગાય સામાન્ય રીતે રાસાયણિક નિયંત્રણની પહોંચની બહાર હોય છે. મેટલડીહાઇડ પર આધારિત ગોળીઓનો ઉપયોગ કરી તેમને છિદ્રોમાંથી બહાર લાવી શકાય છે. વરસાદ પછી જ્યારે ગોકળગાય સક્રિય હોય ત્યારે તેમને ફેલાવો.

તે શાના કારણે થયું?

ગોકળગાય સડેલ કાર્બનિક પદાર્થો અને પાંદડા, મૂળ તથા પાક વિવિધ ભાગો પરથી પોષણ મેળવે છે. ગોકળગાય છોડની દાંડી અથવા કૃમિ દ્વારા બનાવવામાં આવેલી તિરાડો અને ટનલમાં રહેલ ભૂગર્ભ રહેવાસી જીવ છે, અને ફક્ત સમાગમ માટે સપાટી પર આવે છે. બટાકામાં, તેઓ તેની ત્વચા પર ગોળ ઊંડા છિદ્રો બનાવી શકે છે, જેનાથી નોંધપાત્ર નુકસાન થાય છે. આ જીવ ભીના હવામાનની સ્થિતિમાં અનુકુળ છે, તેથી તેનો ઉપદ્રવ મુખ્યત્વે ઝાકળ અથવા વરસાદ પછી થાય છે. મોટાભાગની જાતો સામાન્ય શિયાળામાં જીવતી રહે છે અને વસંત ઋતુમાં ફરીથી સક્રિય થાય છે.


નિવારક પગલાં

  • ઉચ્ચ અને મધ્યમ-પ્રતિરોધક જાતો પસંદ કરો.
  • વહેલું વાવેતર કરો અથવા એવી પાકની જાતો પસંદ કરો જેને વહેલા લણી શકાય.
  • ભારે જમીનમાં વાવેતર ટાળો, કારણ કે ત્યાં આવી ગોકળગાયનું સંકટ વધારે હોય છે.
  • કુદરતી શિકારીઓ સામે ગોકળગાયને ઉઘાડી કરવા વાવેતર કરતા પહેલા એક કે બે વાર જમીનને બરાબર ખેડો.
  • આ જીવાતોને દૂર કરવા માટે પાકની આસપાસ કોફીનો પાવડર નાખો.
  • તમારા પાકની આસપાસ વાડ અથવા જાળી બનાવો.
  • જૂના ભીના કોથળા અને સડેલા લાકડાના બોર્ડ જેવા બિન-ઘાતક સરસામાનનો ઉપયોગ કરો.
  • ઉપદ્રવને ઘટાડવા માટે ગોકળગાયને હાથથી જાતે જ દૂર કરો.
  • સવારે વધારે પડતી સિંચાઈ કરવાનું ટાળો.
  • તમારા ખેતર અને આસપાસના વિસ્તારમાંથી નીંદણને દૂર કરો.
  • કુદરતી શિકારીની વસ્તીને પ્રોત્સાહન આપો.
  • પાકને વહેલી તકે લણી લો.
  • ખેતરમાંથી લીલા ઘાસના કચરાને દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો