Tessaratoma papillosa
જંતુ
ફૂલની કળીઓ, દાંડી, રેસા અને કુમળા ફળો પર લક્ષણો દેખાઈ શકે છે. નાની અને કુમળી ડાળીઓ તેની ટોચથી કરમાઈ જતી દેખાય છે અને પછી કાળા રંગની બની જાય છે. પ્રાથમિક લક્ષણો તરીકે ફૂલો અને ફળો કરમાઈ જવા અને સંકોચાઈ જવા જેવા લક્ષણો દેખાય છે. ફળો પર ચોક્કસ પ્રકારના કાળા ધબ્બા અથવા તેની છાલ કાળી પડેલી દેખાય છે. જેથી ફળો અકાળે ખરી પડે છે જેના પરિણામે એકંદરે ઝાડ પર ફળનું ઉત્પાદન ઘટે છે. જંતુઓનો ખુબ જ ભરાવો હોય તો ડાળીઓ અને પાંદડાઓનો વિકાસ રૂંધાઈ શકે છે. ગંભીર ઉપદ્રવ હોય તો ઝાડનો એકંદર વિકાસ રૂંધાઈ શકે છે.
આ જીવાત સામે લડવામાં તેના કુદરતી દુશ્મનો મદદ કરી શકે છે. આવા દુશ્મન જંતુઓ ઈંડા પર હુમલો કરી મોટા પ્રમાણમાં ફેલાતા ઉપદ્રવને અટકાવશે. આવી સંભવિત પ્રજાતિઓની યાદી માટે સ્થાનિક અધિકારીઓ અથવા કૃષિ સલાહકારનો સંપર્ક કરો.
સારા પરિણામો માટે ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારથી જ સારવાર કરો. સારીરીતે આવરી લેવાય તે માટે વધુ દબાણ સાથે અને વધુ માત્રામાં છંટકાવ થાય તેવા સાધનનો ઉપયોગ કરો. જ્યાં જંતુઓ છુપાયેલા હોય તેવી ગીચ ડાળીઓ અને પાંદડાઓને પર ખાસ છંટકાવ કરો. (ઠંડા તાપમાન દરમિયાન) જ્યારે જંતુઓ ઓછા સક્રિય હોય ત્યારે છંટકાવ કરો. ઉપદ્રવ ગંભીર હોય તો વારંવાર સારવાર કરવાની જરૂર પડી શકે છે. સ્થાનિક સરકાર નિયંત્રણ કાર્યક્રમોનું આયોજન કરે છે.
લીચીમાં દુર્ગંધ મારતાં જંતુઓ (ટેસારાટોમા પેપિલોસા) એ દક્ષિણપૂર્વ એશિયામાં જોવા મળતી આક્રમક જીવાત છે, જેનો એશિયામાં ઝડપથી ફેલાવો થયો છે અને હવે તે વિશ્વભરમાં નવા પ્રદેશોમાં ફેલાઈ રહી છે. પુખ્ત જંતુ કથ્થાઈ પડતાં પીળા રંગની અને વિશિષ્ટ કવચ જેવો આકાર ધરાવે છે. નાના જંતુઓ ખુબ જ ચળકતા લાલ રંગના હોય છે - અને શરીરે સફેદ પટ્ટાઓ હોય છે. ઇંડાઓ પણ એક વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવે છે, જેમાં એક વયવસ્થિત હરોળમાં બરાબર 14 નીલમણિ જેવા લીલા અથવા ગુલાબી રાગના ઇંડા ગોઠવાયેલા હોય છે. બાળ અને પુખ્ત બંને અવસ્થાના જંતુઓ તેના મોઢા પર રહેલ સોય જેવા ભાગનો ઉપયોગ કરી લીચી અને લોંગન ના ઝાડ પર કુમળી કળીઓ, અંકુર, ફૂલના રેસા અને કુમળા ફળોને ખાય છે. ખવાઈ ગયેલ ભાગ ફૂગજન્ય રોગોને આમંત્રણ આપી શકે છે જે છોડને વધુ નુકસાન પહોંચાડે છે. આ જંતુઓ ઝાડને ચોક્કસ પ્રકારનું નુકસાન પહોંચાડે છે અને માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઉભું કરે છે. જ્યારે તેને ખલેલ પહોંચે અથવા ઝોખમ લાગે, ત્યારે તે કોવારો લગાડતું, દુર્ગંધી પ્રવાહી છોડી શકે છે જે ત્વચાના સંપર્કમાં આવતા તાત્કાલિક બળતરાનું કારણ બને છે અને તેનાથી પીડાદાયક અલ્સર થઈ શકે છે. જો તે આંખમાં જાય તો અંધત્વ આવી શકે છે. જો તમારા પર તેના છાંટાં પડે તો, તે ભાગને તાજા પાણીથી તાત્કાલિક ધોઈ લો અને જો તો પણ ખુબ જ બળતરા ચાલુ રહે તો તબીબી સહાય મેળવો.