Glyphodes caesalis
જંતુ
આ ઈયળ પરિપક્વ વૃક્ષની કોમળ ડાળીઓની ટોચ પર હુમલો કરે છે જેથી ડાલી કરમાવવા લાગે છે. જ્યારે લાર્વા અંકુર કે વધતી કુંપણોમાં કાણાં પાડે ત્યારે તે કરમાઈ જાય, સુકાઈ જાય, તેનો વિકાસ અટકી જાય, ડાળીઓ વાંકીચૂકી અને આસપાસ વધુ પડતી શાખાઓ નિર્માણ થાય છે. ફૂલના રેસા આંતરિક રીતે ખવાય જાય છે અને તેથી ફૂલ આવતા નથી અને સડી જાય છે. ઉપદ્રવ વહેલો લાગેલ હોય તો ફળને વિકૃત બને છે અથવા અપરિપક્વ તબક્કે ખરી પડે છે. અને જો ઉપદ્રવ મોડેથી થાય તો પરિપક્વ ફળમાં કાણાં જોવા મળે છે અને તેથી ફળોમાં ખાવાલાયક ગરને નુકસાન થાય છે. ફળમાં કાણું એ આગળ જતાં ગૌણ ઉપદ્રવનું સ્ત્રોત બને છે જેનાથી ફળ સડી જાય છે.
ક્યારે છંટકાવ કરવો તે નક્કી કરવા માટે જંતુઓના પ્રમાણનું નિરીક્ષણ કરો. જૈવિક છંટકાવ ની સાથે સાથે ફળોને થેલીઓથી આવરી લેવાનું પણ ધ્યાન રાખો. શ્રેષ્ઠ પરિણામો માટે ઇંડા અને લાર્વાના પ્રારંભિક તબક્કે જ સારવાર કરો. જ્યારે જૈવિક પદ્ધતિઓ પૂરતી ન પડે ત્યારે જ રસાયણોનો ઉપયોગ કરો.
ડાળીઓ અથવા ફળો પર હુમલો થયેલ દેખાય કે તરત જ છંટકાવ કરો. વિકાસની ઋતુ દરમિયાન દર 15 દિવસે છંટકાવ કરો. કુમળી ડાળીઓ, ફૂલની કળીઓ અને ફળો પર વધુ ધ્યાન આપો. ગરમી ના કારણે નુકસાન ન થાય તે માટે વહેલી સવારે અથવા સાંજે છંટકાવ કરો. છંટકાવ સારીરીતે ફેલાય તે માટે સારા સ્પ્રેડર-સ્ટીકરનો ઉપયોગ કરો. છંટકાવ કરતી વખતે હંમેશા રક્ષણાત્મક કપડાં પહેરો.
ફણસની ડાળીઓ અને ફળને ખાનાર ઈયળ (ડાયફેનિયા સીઝાલિસ) ખાસ કરીને ભેજવાળા ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જોવા મળતી ફણસની મુખ્ય જીવાત છે. આ ઈયળ ફણસના પાકને નોંધપાત્ર નુકસાન પહોંચાડે છે, જે ફૂલ આવવાથી લઈને ફળના પાકવાના તબક્કા સુધી પાકને અસર કરે છે. આ કાળા ટપકાંવાળી લાલાશ પડતા કથ્થાઈ રંગની ઈયળ કોમળ ડાળીઓ, ફૂલ અને ફળોમાં કાણા પાડે છે, જેનાથી નોંધપાત્ર નુકસાન થાય છે. પુખ્ત ફૂદાં ઘાટા કથ્થાઈ રંગના ટપકાં અને નારંગી પટ્ટાઓ સાથે આછા કથ્થાઈ રંગની હોય છે. માદા ઈયળ કુમળી ડાળીઓ અને ફૂલની કળીઓ પર ઇંડા મૂકે છે, અને ઇંડામાંથી બહાર નીકળતી વખતે લાર્વા ખાડા પાડે છે. ફૂલ અને ફળ આવવાના સમયે લાર્વાની પ્રવૃત્તિ વધુ તીવ્ર હોય છે. આ ખવાઈ ગયેલ જગ્યાઓ આગળ જતા વરસાદી પાણી અને સુક્ષ્મજીવાણુઓને દ્વારા નિર્માણ થતાં ગૌણ ઉપદ્રવનું કારણ બને છે. આ નુકસાનના કારણે ફળ અને છોડના બજાર મૂલ્યમાં ઘટાડો થાય છે.