લીલા રંગના ભીંગડાં

કોફી

લીલા રંગના ભીંગડાં

Coccus viridis

જંતુ

ટૂંકમાં

  • કુમળી ડાળીઓ ઉપર તરફ વળે છે.
  • મધ જેવું દ્રવ્ય ઝરવાના કારણે તેના પર મેસ જેવું આવરણ નિર્માણ થાય છે.

માં પણ મળી શકે છે

2 પાક

લીલા રંગના ભીંગડાં

કોફી

લક્ષણો

બાલ અને પુખ્ત વયના જંતુઓ પાંદડાની નીચેની સપાટી અને લીલા અંકુરને ચૂસે છે. છોડના દ્રવ્યેન ચૂસવાથી અને મધ જેવું દ્રવ્ય નીકળવાના કારણે તેના પર મેસ જેવું આવરણ નિર્માણ થાય છે. મધ જેવું દ્રવ્ય કાળી મેસ જેવી ફૂગના વિકાસ માટે માધ્યમ તરીકે વર્તે છે. આ કાળા રંગનું આવરણ પ્રકાશસંશ્લેષણને અટકાવે છે, જેનાથી ઉત્પાદકતા ઘટે છે અને કીડી દૂર રહે છે. વિપુલ સંખ્યામાં લીલા રંગના ભીંગડાં હોય તો છોડ નબળા અને પીળા રંગના બની શકે છે અને પાંદડા ગુમાવવાનું પણ કારણ બની શકે છે. ખૂબ જ ખોરાક લેવામાં આવે તો ચેપગ્રસ્ત શાખાઓ સુકાઈ પણ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

કોકસ વિરિડિસ માટે કુદરતી દુશ્મનો, શિકારી અને પરોપજીવી જંતુઓ હોય છે. કુદરતી દુશ્મનોમાં લેડીબર્ડ્સ (ચિલોકોરસ), ઈયળ (નોક્ટુડે: યુબ્લેમ્મા) જેવા શિકારી અને પરોપજીવીઓ (એફેલિનીડે: કોકોફેગસ, કેટલાક એન્કિર્ટીડે અને યુલોફિડે) નો સમાવેશ થાય છે. સેફાલોસ્પોરિયમ લેકાની જેવી પરોપજીવી ફૂગ ખાસ કરીને ચોમાસામાં અસરકારક હોય છે કે જ્યારે તે લીલા રંગના ભીંગડાંની મોટી વસાહતોને ઝડપથી મારી શકે છે. જૈવિક સારવાર મુખ્યત્વે કોફી પર કરવામાં આવી છે, કે જ્યાં આ જંતુથી નોંધપાત્ર ખતરો હોય છે. લીમડાથી ઉપચાર કરવાથી પણ આ ભીંગડા પર કેટલીક અસરો થાય છે.

રાસાયણિક નિયંત્રણ

હંમેશાં જૈવિક ઉપચાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. ઇથિયોન જેવા ઓર્ગેનોફોસ્ફેટ્સ ભીંગડા સહિત કેટલીય જીવાતો સામે સારવાર પુરી પાડી શકે છે. રાસાયણિક સારવાર માટે સ્થાનિક નિયમનને અનુસરો. જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતી વખતે, હંમેશાં રક્ષણાત્મક કપડાં પહેરો અને પ્રોડક્ટ પર લગાવેલ લેબલ પરની સૂચનાઓનું પાલન કરો, જેમ કે તેની માત્રા, સારવારનો સમય અને લણણી પહેલાનો સમયગાળો.

તે શાના કારણે થયું?

કોકસ વિરિડિસને કારણે નુકસાન થાય છે. લણણી પછીના તબક્કા સહિત, મોટાભાગના તબક્કાઓ ઉપદ્રવ પ્રત્યે સંવેદનશીલ હોય છે. ગર્ભાધાન વિના જ પ્રજનન થાય છે. ફક્ત માદા દ્વારા જ વસ્તી નિર્માણ થાય છે. લીલા રંગના ભીંગડાં ઘણા પ્રકારના યજમાન પર ટકી શકે છે જેમાં શાકભાજી, ફળો અને સુશોભનના પાક સહિતની વિશાળ યજમાન પાકનો સમાવેશ થાય છે. તે મુખ્યત્વે પાંદડાની નીચલી સપાટી અને લીલા અંકુરને ખાય છે, પરંતુ જો માત્રા વધુ હોય તો તે મુખ્ય થડ સુધી આગળ વધી શકે છે. બાળ અને પુખ્ત વયના જંતુ સામાન્ય રીતે પાંદડાંની મુખ્ય નસ અને અન્ય નસો પાસે જોવા મળી શકે છે.


નિવારક પગલાં

  • ખાસ કરીને ઉનાળામાં, ઝાડની ઘટા ખુલ્લી બને તે માટે ભારે માત્રામાં ચેપ લાગેલ હોય તેવા ભાગને કાપીને દૂર કરવો અને પછી તેનો તરત નાશ કરવો જોઈએ.
  • આને બગીચાના એક ખૂણામાં બનાવેલ ખાડામાં મૂકવું જોઈએ.
  • ડાળીઓને થોડા દિવસો સુધી સૂકવવા દઈ, ત્યારબાદ બાકીના કાટમાળને બાળી નાખવો જોઈએ.
  • કીડીઓને દૂર કરવાથી જંતુને નિયંત્રિત કરતાં કુદરતી દુશ્મનોને દાખલ થવાની સરળતા રહે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો