રીંગણ

ફૂલની માખી

Oxycetonia versicolor

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ક્ષતિગ્રસ્ત ફૂલો અને કળીઓ.
  • ખોરાક લેવાના કારણે થતા નુકસાનના પરિણામે ભારે ચેપગ્રસ્ત છોડ ચીંથરેહાલ દેખાઈ શકે છે.

માં પણ મળી શકે છે


રીંગણ

લક્ષણો

પ્રજનન અંગોને નુકસાન કરતાં હોવાના કારણે આ જીવાત ઉપજમાં નોંધપાત્ર નુકસાનનું કારણ બની શકે છે. પુખ્ત જીવડાં ફૂલો અને કળીઓ ખાઈ જાય છે. તે ફૂલોની અંદરના પરાગ, એન્થર્સ અને અન્ય પ્રજનન માટે ઉપયોગી ભાગોને ખાય છે. કપાસમાં, તેઓ કુમળા ઝીંડવા પર પણ હુમલો કરે છે. ખાસ કરીને અપરિપક્વ તબક્કામાં, તે યજમાન છોડના કુમળા અંકુર અને અન્ય કુમળી પેશીઓને પણ ચાવતા જોવા મળ્યા છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ ક્ષણે કોઈ જ પ્રકારની જૈવિક સારવાર વિશે ખબર નથી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. આ ક્ષણે કોઈ જ પ્રકારની રાસાયણિક સારવાર વિષે ખબર નથી.

તે શાના કારણે થયું?

પુખ્ત વયની માખીના કારણે નુકસાન થાય છે. ફૂલની માખી ઊડતી રહે છે અને મુખ્યત્વે ફૂલના પરાગને ખાય છે. બાળ જંતુઓ સામાન્યરીતે જમીનમાં રહેલ કાર્બનિક પદાર્થોમાં વિકાસ પામે છે અને તેમાંથી કેટલાક મૂળને નુકશાન પહોંચાડ્યા વગર તેમાં ચેપ લગાડે છે. પુખ્ત માખી લંબાઈમાં 7-15 મીમી અને પહોળાઈમાં 5-7 મીમી હોય છે. નર અને માદા બંને એકસરખી હોય છે. તેનું શરીર કોમ્પેક્ટ અને અંડાકાર હોય છે, તે સામાન્ય રીતે કંઈક અંશે ચપટી, ચાકદાર અને મોટે ભાગે ઇંટ જેવા લાલ સાથે કાળા અને સફેદ નિશાનો ધરાવે છે.


નિવારક પગલાં

  • આ ભમરા પાકમાં ફરતા રહે છે અને તે વિશાળ યજમાન શ્રેણી ધરાવે છે.
  • બદલતા પાક અને જંતુનાશકોના સતત ઉપયોગના કારણે આ જીવાત નજીવા જંતુમાંથી મુખ્ય જંતુ બની શકે છે.
  • ભવિષ્યમાં તે વિપુલ માત્રામાં ફાટી ન નીકળે તે માટે આ માખીનું કાળજીપૂર્વક નિરીક્ષણ અને સમયસર જાણ થવી જરૂરી છે.
  • રીંગણામાં, અંકુર અને ફળોમાં કાણાં પડતાં જીવાતનું નિયંત્રણ કરવા માટે જંતુનાશકોનો ઉપયોગ આ માખીની વસ્તીને નિયંત્રણમાં રાખે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો