કેરી

કેરીના મોરમાં થતી મસી

Aceria mangiferae

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • વિકાસમાં અવરોધ.
  • મોરના ઝૂમખામાં વિકૃતિ અને નાશ.
  • પાંદડા ખરી પડવા.
  • ઝાડી જેવા ડાળખાં.

માં પણ મળી શકે છે

1 પાક

કેરી

લક્ષણો

અવિકસિત અને વિકૃત કળીઓ, જેના કારણે પાંદડા ખરે છે અને છોડનો વિકાસ થતો નથી. આથી ડાળીઓનો દેખાવ ઝાંખરા જેવો આવે છે. યુવાન વૃક્ષો હુમલા પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. સામાન્ય રીતે આ મસી, પરોપજીવી ફૂગ ફ્યુસારિયમ મંગિફેરે સાથે દેખાય થાય છે. તે વિવિધ વૃક્ષો અને વૃક્ષોના વિવિધ ભાગો પર મસી દ્વારા ફેલાય છે, અને ખોરાકના કારણે નિર્માણ થતાં ડાઘ સ્વરૂપે યજમાનમાં પ્રવેશ કરે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ફાયટોસેલિડ શિકારી (ઍમ્બ્લીસિયસ સ્વિર્સ્કી) ને દાખલ કરો / સાચવો. સલ્ફર ડસ્ટ અથવા 100 ગેલન પાણીમાં 10 પાઉન્ડના પલાળેલ સલ્ફર નો ઉપયોગ અસરકારક હોઈ શકે છે. ઉપરાંત, જંતુનાશક સાબુ અને 50 ઇસી અકરનો ઉપયોગ મસીની વસ્તીને નિયંત્રિત કરવામાં અસરકારક સાબિત થઈ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. એસેરિકીડ્સ ધરાવતા જંતુનાશકો સાથે સારવાર કરો, જે નુકસાનની માત્રાને ઘટાડી શકે છે પરંતુ તેને દૂર કરશે નહીં. દર 2 અઠવાડિયાના અંતરાલ પર ઍથિયન, કેલેથન જેવા સક્રિય ઘટકો ધરાવતા જંતુનાશક પણ લાગુ કરી શકાય છે. ડાયકોફોલ 18.5 ઇસી. (2.5 મીલી/લી) અથવા પલાળેલ સલ્ફર (50 WP) 2 ગ્રા/ લી ના દરે છંટકાવ કરો.

તે શાના કારણે થયું?

કળીઓમાં થતી મસીના કારણે નુકસાન થાય છે. આંબાના વૃક્ષમાં જોવા મળતી આ મસી સૂક્ષ્મ, સફેદ, નળાકાર અને 0.20 મીમી લાંબી હોય છે. તે સમગ્ર વર્ષ દરમિયાન વૃક્ષના થડ અને ડાળીઓ પાસેની બંધ કળીઓની અંદર રહે છે. જયારે વસ્તીમાં વધારો થાય ત્યારે, તેઓ બહારની બાજુએ આવેલ કળીઓમાં જાય છે. બડ માઇટ્સ એરેનટોકી દ્વારા પુનરુત્પાદન (પાર્થેનોજેનેસિસ એ અસમાન પ્રજનનનું એક સ્વરૂપ છે જેમાં પુરુષ સંતાન એક અપૂર્ણ ઇંડામાંથી વિકસે છે) કરે છે, અને ઇંડા ઉનાળામાં 2-3 વાર અને શિયાળામાં તેના કરતાં બમણો હોય છે. સામાન્ય રીતે શિયાળાના મહિનામાં પાંદડાની સપાટી પર ડાઘ દેખાય છે, જેથી પાંદડાની પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં 30% જેટલો ઘટાડો થાય છે.


નિવારક પગલાં

  • માયા, પાલ્મર, કીટ અને કેન્ટ જેવી પ્રતિકારક્ષમ જાતો ઉગાડો, કારણ કે તેના પર મસીઓ થોડી માત્રામાં જ ટકી શકે છે.
  • અસરગ્રસ્ત ડાળીઓને કાપી નાખો.
  • ખાસ કરીને શિયાળાના અંત ભાગમાં સમયાંતરે વૃક્ષનું નિરીક્ષણ કરો.
  • જ્યારે પાંદડાં પર મસીની વસતી 6 અથવા વધુ થાય ત્યારે નિયંત્રણના પગલાં શરૂ કરવા જોઈએ.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો