કોબી

રંગીન કવચધારી જંતુ

Bagrada hilaris

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • કાગળ જેવા સફેદ પટ્ટા.
  • પાંદડાં કરમાવા, પીળા પડવા અને સુકાઈ જવા.
  • ધીમો વિકાસ.
  • નાની કુંપણો.

માં પણ મળી શકે છે

5 પાક

કોબી

લક્ષણો

ખોરાક લેવાના કારણે પાંદડા, દાંડી, ફૂલો પર નુકસાન જોઈ શકાય છે. ફૂદાં દ્વારા ખવાઈ જવાથી પાંદડાની બંને બાજુ પર સફેદ ડાઘા પડી જાય છે. પાતળા પાંદડા પર કાગળ જેવા સફેદ પટ્ટા પડી શકે છે. ચેપગ્રસ્ત છોડ પર કરમાયેલા, પીળા અને સુકાયેલ પાંદડા જેવા સંકેતો જોવા મળે છે. છોડની વધતી ટોચ નાશ પામી શકે છે, અને કુમળા છોડ હુમલામાં ગરકાવ થઇને પરિણામે નાશ પામે છે. લણણી કરાયેલ પાકને પણ નુકસાન થઇ શકે છે. આના કારણે છોડ નાનો, બિન-વેચાણક્ષમ દડા વાળો અથવા દડા વગરનો જ ઉગે છે (જેને "બ્લાઇન્ડ" છોડ તરીકે ઓળખવામાં આવે છે). પુખ્ત ફૂદાં અને બાળ જંતુ બંને છોડના બધા ભાગોમાંથી સત્વ ચૂસે છે. પુખ્ત વયના કિડાં ચીકણો સ્ત્રાવ પણ કરે છે જે પાકને બગાડે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ગ્રીઓન, ઓએન્સીરટસ, ટેલિનોમસ અને ટ્રિસોલકસ જેવા ઘણા જંતુઓ બાગરાડા હિલેરિસના ઇંડા પર પરોપજીવી તરીકે વર્તી શકે છે. માખીઓ અને કરોળિયા પુખ્ત જંતુઓ માટે પરોપજીવી છે. આ જંતુઓ સામે સાબુના દ્રાવણનો છંટકાવ પણ અસરકારક જોવા મળ્યો છે. મરચાં, સાબુ, લસણ અને પેરાફિનના મિશ્રણનો તમારા પાક પર છંટકાવ કરો

રાસાયણિક નિયંત્રણ

જો શક્ય હોય તો, હંમેશાં જૈવિક ઉપચાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. ઇમિડાક્લોપ્રિડ થી સારવાર અપાયેલ બીજની વાવણી કરો. બપોરે અને સાંજની શરૂઆતમાં કુમળા રોપાઓના પાંદડાં પર જંતુનાશકોનો છંટકાવ કરો. પાયરીથ્રોઇડ્સ, પાયરીથ્રિન્સ, નિયોનિકોટિનોઇડ્સ અને ઓર્ગેનોફોસ્ફેટ આ જીવાત સામે અસરકારક રહે છે.

તે શાના કારણે થયું?

બગરાડા હિલેરિસના પુખ્ત અથવા કિશોર સ્વરૂપ (નીમફ) દ્વારા નુકસાન થાય છે, જે બગરા અથવા રંગીન કીડા તરીકે પણ ઓળખાય છે. પુખ્ત વયના જંતુ કાળા રંગના અને શરીરે સફેદ અને કેસરી રંગના નિશાનો ધરાવે છે, જે એક ઢાલ જેવા આકારના દેખાય છે. તે લગભગ 5-7 મિલીમીટર જેટલું કદ ધરાવે છે. જંતુઓ પાંદડા પર અથવા છોડ પાસે જમીનમાં તેમના ઇંડાને મૂકે છે. શરૂઆતમાં, યુવાન જંતુઓને પાંખો હોતી નથી અને તે ચમકદાર નારંગી રંગનાં હોય છે.. અને જેમ જેમ તેઓ વિકાસ પામે છે, તેમતેમ પુખ્ત વયના બનતાં સુધી તેઓ લાલ રંગના બને છે અને ફરતે ઘેરા રંગની કિનારી વિકસાવે છે. આ જંતુઓ મુખ્યત્વે કોબી, ફુલેવર અને કાલે જેવા બ્રાસિકા પરિવારના છોડને અસર કરે છે. આવા છોડ ઘણીવાર ગરમી અને પાણીની ઉણપથી પણ પીડાય છે. આ જંતુઓ પાંદડાનો રસ ચૂસીને છોડને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે.


નિવારક પગલાં

  • વાવેતર કરતાં પહેલા તમારા ખેતર અને આસપાસના વિસ્તારોમાં આ જંતુની હાજરીનું નિરીક્ષણ કરો.
  • વાવેતર કર્યા પછી દિવસમાં ગરમ સમય દરમિયાન નિયમિતપણે નિરીક્ષણ ચાલુ રાખો.
  • ફક્ત સ્વચ્છ, બિન-ચેપગ્રસ્ત રોપાઓનો જ ઉપયોગ કરો.
  • રોપાઓને બચાવવા માટે બારીક જાળીવાળી નેટનો રક્ષણાત્મક આવરણ તરીકે ઉપયોગ કરી શકાય છે.
  • તમારા ખેતરમાંથી પાકના અવશેષો અને નીંદણને દૂર કરી, તેનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો