અન્ય

કપાસમાં ડાઘ પાડનાર ધૂળિયા

Oxycarenus hyalinipennis

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • બોલનું ખરી પડવું અને ડાઘવાળું કપાસ.
  • બોલમાં વિકૃતિકરણ.
  • અવિકસિત, હળવા બીજ.
  • યુવાન જીવાતોનો રંગ ગુલાબીથી ભૂખરો થવો.

માં પણ મળી શકે છે


અન્ય

લક્ષણો

કપાસમાં ડાઘ કરનાર તરીકે ઓળખાતા, આ જંતુ અને તેના યુવાન લાર્વા મુખ્યત્વે આંશિક રીતે ખૂલેલાં કોટન બોલ પર હુમલો કરે છે, જેનાથી ડાઘવાળું કપાસ, બોલનું વિકૃતિકરણ અને સડો થાય છે અને ક્યારેક ક્યારેક બોલ ખરી પડે છે. વધુ લક્ષણોમાં અવિકસિત અને હળવા બીજ જોવા મળે છે, જે યોગ્ય રીતે પાકતા નથી. વધુ ઉપદ્રવ કપાસમાં પડતા ડાઘને કારણે પાકની ગુણવત્તામાં ભારે નુકસાન કરે છે, તેથી જ તેનું નામ “કપાસમાં ડાઘ કરનાર” છે. જ્યારે ઓકરા(ભીંડા) જેવા અન્ય યજમાન છોડ પર પોષણ મેળવતા હોય ત્યારે, સામાન્ય લક્ષણોમાં તીવ્ર ગંધ અને ચીકણું પ્રવાહી જોવા મળે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આફ્રિકામાં, પરોપજીવી જીવાતની કેટલીક પ્રજાતિઓ ખટમલ પર જોવા મળે છે, જેથી જીવાતો સુસ્ત બને છે અને ટૂંક સમયમાં મરી જાય છે. કેટલાક કરોળિયા પણ આ જીવાત પર હુમલો કરે છે. લીમડાનું તેલ (૫%) સાથે મિશ્રિત એન્ટોમોપેથોજેનિક ફૂગ જેવા કે બ્યુવેરીયા બેસિયાના અને મેથરાઇઝિયમ એનિસોપ્લિયાએ પણ વસ્તીના નિયંત્રણ પર થોડી અસર દર્શાવી છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે હંમેશા જૈવિક ઉપચારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ક્લોરપાયરિફોઝ, એસ્ફેનવાલેરેટ, બાયફિન્થ્રિન, ડેલ્ટામેથ્રિન, લેમ્બડા-સિહાલોથ્રિન અથવા ઇન્ડોક્સકાર્બ ધરાવતા જંતુનાશક રચનાનો છંટકાવ ગુલાબી બોલવોર્મની સામે કામ કરે છે અને તે આ કપાસમાં ડાઘ કરનાર ધૂળિયા જીવોની વૃદ્ધિમાં ઘટાડો કરે છે. જો કે, આ જંતુ સામાન્ય રીતે ઋતુના અંતમાં ખેતરમાં ચેપ લગાવે છે, તેથી રાસાયણિક ઉપચાર ઉપયોગી બનતો નથી કારણ કે તેના અવશેષો પાક પર લણણી બાદ પણ રહી જાય છે. જંતુનાશકો સામે પ્રતિકાર પણ જોવા મળે છે.

તે શાના કારણે થયું?

કપાસ પર ડાઘ કરનાર ધૂળિયા, ઓક્સીકેરનસ હાયલિનીપેનિનિસ, એક પોલિફેગસ જંતુ છે, જે કપાસ માટે ગંભીર રીતે તીવ્ર જીવાત હોઈ શકે છે. પુખ્ત જીવાત ૪-૫ મીમીની લંબાઈ સુધીની હોય છે અને ભૂખરા રંગની પારદર્શક પાંખો ધરાવે છે. નર માદા કરતા કદમાં સામાન્ય નાના હોય છે. ખુલ્લા બોલમાં બીજની નજીકમાં ૪ જેટલા જૂથમાં સફેદ-પીળા પડતા ઈંડા જોવા મળે છે. યુવાન જીવો ૨.૫ મીમી સુધી લાંબા હોય છે અને તેના ૪૦-૫૦ દિવસના જીવનચક્રના વિવિધ તબક્કાઓ દરમિયાન, તેનો રંગ ગુલાબીથી ભુખરો થતો જાય છે. ઉપદ્રવ મોસમના અંતમાં વધુ થાય છે, જ્યારે મોટાભાગના બોલ પહેલેથી જ ખૂલેલાં હોય છે. બીજા યજમાન છોડ ભીંડા અને malvaceae કુટુંબના અન્ય છોડ છે.


નિવારક પગલાં

  • કપાસના ખુલ્લા બોલમાં અને તેની આસપાસ નાના નાના જીવજંતુઓ પર નજર રાખો.
  • નિયમિતપણે ખેતરનું નિરીક્ષણ કરતા રહો.
  • જો વૃદ્ધિ ઓછી હોય તો હાથથી વીણીને જંતુઓ દૂર કરો.
  • વૈકલ્પિક રીતે, જ્યાં કપાસ અથવા ઓકરા (ભીંડા) ઉગાડવામાં આવ્યા હોય, ત્યાં યુવી-લાઇટ જાળી મૂકો.
  • ખેતરમાં અને આસપાસના વૈકલ્પિક યજમાનોને દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો