રીંગણ

કપાસના પાકમાં લાલ ખટમલ

Dysdercus cingulatus

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ખટમલનાં કપાસ પર પોષણ મેળવવાને કારણે પાકને થયેલ નુકસાન, કપાસના બોલોનું અકાળે ખુલવું અને ખરી પડવું, કપાસના રેસા પર ડાઘ.
  • સૂક્ષ્મ જીવાણુઓને કારણે થયેલ નુકસાન જે બીજા જીવોની વૃદ્ધિનું કારણ બને છે.

માં પણ મળી શકે છે


રીંગણ

લક્ષણો

બંને પુખ્ત અને યુવાન જીવાતો ફૂલની કળીઓ પર અને બંધ અથવા આંશિક રીતે ખૂલેલાં કપાસના બોલ પરથી પોષણ મેળવે છે. તેઓ કપાસના તંતુઓમાં કાણું પાડી તેના બીજ પરથી પોષણ મેળવે છે. ક્ષતિગ્રસ્ત પેશીઓ સૂક્ષ્મજંતુઓ માટે વસાહત બને છે, જે બોલના સડવા અને વિકૃતિકરણનું કારણ બને છે. બોલનું ખરી પડવું, અકાળે ખુલી જવું, વગેરે સામાન્ય બને છે. વધુ લક્ષણોમાં બીજ નાનાં રહે છે અને તેના કારણે ઓછું તેલ નીકળે છે, આ ઉપરાંત કપાસના રેસા પર ડાઘ પડે છે અને અંકુરણ દર ઓછો થાય છે. આવાં બીજ વાવણી માટે યોગ્ય નથી. ડી. સીંગુલેટસ એક છોડ પર રહેતા નથી અને અન્ય યુવાન બોલ પર સ્થળાંતર કરી શકે છે. ઊંચા ઉપદ્રવને કારણે કપાસ પર પડેલ ડાઘ ગુણવત્તામાં ભારે નુકસાન કરે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

પાણી અને લીમડાના તેલના મિશ્રણનો સ્પ્રે આ જીવાત સામે અસરકારક સાબિત થયેલ છે.

રાસાયણિક નિયંત્રણ

નિવારક પગલાંઓ સાથે જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ક્લોરાપિરીફોસ, એસ્ફેનવલરેટ અથવા ઇન્ડોક્સાર્બ ધરાવતા જંતુનાશકનો છંટકાવ ગુલાબી બૉલવોર્મ સામે કામ કરે છે, અને તે કપાસમાં લાલ ખટમલની વૃદ્ધિને પણ ઘટાડે છે. જો કે, ઋતુના અંતમાં થયેલ ઉપદ્રવના કિસ્સામાં, રાસાયણિક નિયંત્રણ વારંવાર શક્ય નથી, કારણ કે લણણી દરમિયાન બૉલ પર તેના અવશેષો જોવા મળે છે.

તે શાના કારણે થયું?

યુવાન અને પુખ્ત વયના Dysdercuscingulatus ના કારણે નુકસાન થાય છે. પુખ્ત વયના ખટમલ ૧૨-૧૩ મીમીની લંબાઇ સુધી પહોંચે છે, અને એક અનોખો નારંગી-લાલ રંગ ધરાવે છે. સફેદ કોલર અને માથું લાલ હોય છે, પેટનો ભાગ કાળો હોય છે અને આગળની પાંખોમાં બે કાળા બિંદુઓ હોય છે. નર માદા કરતાં કદમાં નાનાં હોય છે. માદાઓ એક જ સમયે, યજમાન છોડની નજીકની જમીનમાં ૧૩૦ ઘાટાં પીળા રંગના ઇંડા મૂકી શકે છે. ૭-૮ દિવસ તે ઈંડાને સેવ્યા બાદ યુવાન જીવ બહાર આવે છે, અને કપાસના છોડ પર પોષણ મેળવવાનું શરૂ કરે છે. તે પણ લાલ રંગના હોય છે અને પેટના ભાગમાં ત્રણ કાળા બિંદુઓ હોય છે અને પીઠ પર ત્રણ જોડ સફેદ ટપકા જોવા મળે છે. આબોહવા પ્રમાણે, આ વિકાસ સમયગાળો કુલ ૫૦-૯0 દિવસ ચાલે છે. જ્યારે પ્રથમ બોલ ખુલે છે, મતલબ ઋતુના અંત સમયે આ જીવાતોના ઉપદ્રવમાં વધારો થાય છે. વૈકલ્પિક યજમાનોમાં ઓકરા (ભીંડા), હિબીસ્કસ અને સાઇટ્રસનો સમાવેશ થાય છે.


નિવારક પગલાં

  • જંતુની હાજરીના સંકેતોની ચકાસણી માટે ખેતરની દેખરેખ રાખો.
  • જો જંતુઓની વૃદ્ધિ હજી ઓછી હોય, તો જંતુઓને હાથથી વીણીને દૂર કરો.
  • વૈકલ્પિક યજમાનોને દૂર કરો, જેમ કે બૉમ્બૅક્સ વૃક્ષો, અને માલવેસી(malvaceae) પરિવારના અન્ય જંગલી છોડ (હિબ્સ્કસ એસ્પર, એચ.
  • કેનબિનસ અને એચ.
  • ટ્રિઓનસ).
  • ભીંડા જેવા છોડ વાવો, જેનાથી જંતુઓ આકર્ષિત થાય, આ રીતે તેમને એક જગ્યાએ ભેગા કરી વીણીને દૂર કરો.
  • ખેતરમાં જુદી જુદી જગ્યાએ જંતુ પકડવાની જાળી રાખો.
  • જંતુઓમાં જંતુનાશકનો પ્રતિકારના ઉત્પન્ન ન થાય તે માટે જંતુનાશકોનો નિયંત્રિત ઉપયોગ કરો.
  • જ્યારે કપાસના કાલા (બોલ) ખુલી જાય ત્યારે તેને ચૂંટી લો.
  • બધા કપાસના બોલ (કાલા) ચૂંટાઈ ગયા બાદ કપાસના છોડને દૂર કરી તેનો નાશ કરો.
  • કાપણી પછી જમીનને ઊંડે સુધી ખેડો જેથી જમીનમાં સંતાયેલ જીવાતો સૂર્યપ્રકાશ સામે ખુલી થઇ શકે અને તેનો નાશ થાય.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો