અન્ય

વાયરવૉર્મસ

Elateridae

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • મૃત રોપાઓ અને વાવણી પછી ટૂંક સમયમાં જ પોલા બીજ.
  • પાછળના તબક્કે છોડ કરમાય જાય અને ડાળીના કાપવાથી મૂળિયા સાથે જોડાયેલ હોય.
  • ખેતરમાં, પાતળા સ્ટેન્ડવાળા અથવા ખુલ્લા સાંધા.
  • મોટાભાગનું નુકસાન વસંતની શરૂઆત દરમ્યાન થાય છે.

માં પણ મળી શકે છે


અન્ય

લક્ષણો

વાયરવોર્મ, ભૂગર્ભમાં બીજ, મૂળ અને યુવાન રોપાઓને ખાય છે, જેનાથી છોડ મૃત્યુ પામે છે અથવા તેને ઘાયલ કરે છે. આ ઘાવ તકવાદી જીવાણુઓ ઉત્તમ માર્ગ છે અને પરિસ્થિતિ વધુ કથળી જાય છે. વાવેતર પછી ટૂંક સમયમાં મૃત રોપાઓ અને પોલા બીજની ઘટના આ જંતુ દ્વારા જમીનમાં ઉપદ્રવના ચિહ્નો બતાવે છે. છોડની વૃદ્ધિના અંતિમ તબક્કામાં, યુવાન છોડ કરમાઈ શકે અને વિકૃતિકરણના સંકેતો બતાવી શકે છે. વચ્ચેના પાંદડાને ખોરાક તરીકે ઉપયોગકરવાથી નુકસાન હોય અથવા મૃત્યુ પામે, જ્યારે બાહ્ય પાંદડા લીલા રહી શકે છે. દાંડી કપાયેલ હોઈ શકે છે પરંતુ હજુ પણ તે મૂળ સાથે જોડાયેલ હોય છે. ખેતરમાં, પાતળા સ્ટેન્ડવાળા અથવા ખુલ્લા સાંધા વાળા છોડ સામાન્ય છે. મોટાભાગનું નુકસાન વસંતના પ્રારંભિક કાળ દરમ્યાન થાય છે. બટાકામાં, વાયરવોર્મ, વસંતમાં બટાકાના બીજના ટુકડામાં અને પાનખરમાં વિકાસશીલ કંદમાં દર કરી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

કેટલાક જમીન ભમરા અને રઝળતા ભમરા વાયરવોર્મસ પર નભે છે. સ્ટિલેટ્ટો (ધેરવિડે) માખીઓ ના લાર્વા પણ વાયરવોર્મસ ના શિકારી છે. નેમાટોડસ ની કેટલીક પ્રજાતિઓ પણ વાયરવોર્મસ પર નભે છે. મેટારીઝીયમ એનિસોપ્લિયા ફૂગ વાયરવોર્મસ ને ચેપ લગાડે છે અને મારે છે. વાયરવોર્મસ ના નિયંત્રણના પગલાં તરીકે તેની સંભવિતતાને નિર્ધારિત કરવા માટે આ ફૂગ ધરાવતી દાણાદાર રચના નું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વાયરવોર્મસ થી થતા નુકસાન ના નિવારણ માટે વાવણી કરતા પહેલાં અથવા તે સમયે સારવાર જરૂરી છે. કેટલાક અંશે તેમની વસતી નિયંત્રિત કરવા માટે જંતુનાશકો સાથે બીજની સારવાર કરી શકાય છે. તમારા દેશમાં આમાના કેટલાક ઉત્પાદનો ના ઉપયોગ નિયંત્રણો વિશે પરિચિત રહો.

તે શાના કારણે થયું?

લક્ષણો ક્લિક ભમરાના(એલટૅરીડા) જૂથના અપરિપક્વ લાર્વા તબક્કાને કારણે થાય છે. વાયરવોર્મસ લગભગ 2 સે.મી. સુધી લાંબા હોઇ શકે છે, પાતળુ , નળાકાર શરીર હોય છે અને સફેદ, પીળાશ અથવા તાંબા જેવા રંગના હોય છે. સ્ત્રીઓ એકલી ઉનાળા દરમિયાન માટીના કણો વચ્ચે કેટલાય ઇંડા મૂકે છે. ઠીલી અને રેતાળ જમીન તેમના પ્રસારની તરફેણ કરે છે. લાર્વા પરિપક્વતા સુધી પહોંચતા પહેલા 2 થી 3 વર્ષ માટે જમીનમાં દટાયેલ છોડના ભાગ, અંકુરિત બીજ અથવા કુમળા રોપાઓ પર નભે છે. આ ઘણીવાર નબળો ઉભો પાક અને ઓછી ઉપજ નું કારણ બને છે. ઘઉં ઉપરાંત, તેઓ મકાઈ, ઘાસ અને કેટલાક શાકભાજી (બટેટાં, ગાજર, ડુંગળી) પર પણ હુમલો કરે છે. પાકનું નુકસાન સામાન્ય રીતે વાવણી પછી ખબર પડે છે જ્યારે તે સમયે અસરકારક પગલાં લેવામાં મોડું થઈ ગયું હોય છે. આ કારણે વાવણી પહેલાં વાયરવોર્મસ ની તપાસ કરવી જરૂરી છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો ઓછી સંવેદનશીલ જાતોની વાવણી કરો.
  • વાવણી માટે નિયમિત અને સારી રીતે પહેલા ખેતરનું નિરીક્ષણ કરો કારણ કે આ નિરીક્ષણ આ જંતુ સામે લડવા માટે જરૂરી છે.
  • પ્રલોભનકારી અથવા બોલવાળા ફાંસાની પદ્ધતિઓ વાયરવોર્મને પકડવા માટે વાપરી શકાય અને તેમની સંખ્યાનું નિરીક્ષણ કરો.
  • વાયરવોર્મ સાથે સંભવિત ઉપદ્રવવાળા ખેતરમાં બટાટાની રોપણી ટાળો.
  • ઝડપી અંકુરણને પ્રોત્સાહન આપવા ગરમ અને ભેજવાળી જમીન માં બીજ વાવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો