ઓલિવ

કુરકુલીઓ ધનેરા

Otiorhynchus cribricollis

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ધનેરા ખોરાકને કારણે છિદ્ર નિર્માણ કરે છે અને અંકુરને ખરબચડો દેખાવ તથા ફૂલ અને વાંસમાં પણ છિદ્ર બનાવે છે.
  • પુખ્ત ધનેરા કળીની અંદર રહેલા ફૂલને નુકસાન પહોંચાડે છે.

માં પણ મળી શકે છે


ઓલિવ

લક્ષણો

પુખ્ત કુરકુલીઓ ધનેરા પાંદડાં પર હુમલો કરે છે અને પાંદડાંની કિનારીને ખાય છે અને ચાવવાથી એક અલગ દાંતાદાર ભાત છોડી જાય છે. તેઓ કુમળી ડાળખી પર નભે છે, ક્યારેક ક્યારેક તેની છાલની આસપાસ લગાવાયેલ ખાઈ જાય છે. આનાથી પાણી અને પોષકતત્વોનું પરિવહન નબળું પડે છે અને શાખાઓમાં ઘટાડો થઇ શકે છે. કેટલાક પાકોમાં, ધનેરા તેમની ચાંચ વડે ફૂલોમાં ઝંપલાવે છે અને ફૂલોનું પુનઃ નિર્માણનું માળખું નાશ કરી શકે છે. વધુ વસ્તી, ખાસ કરીને યુવાન વૃક્ષો માટે, નોંધપાત્ર નુકસાનનું કારણ બની શકે છે. વિસ્તાર કે જે પહેલાં ગોચર હોય, તેમાંથી આવેલ પુખ્ત કિડાં બગીચાઓ કે કયારીના નવા વાવેલા છોડ પર હુમલો કરી શકે છે. સામાન્ય રીતે દ્રાક્ષ કે ફળ ક્ષતિ પામતાં નથી. લાર્વા પાક મૂળિયા પર નભે છે પરંતુ તેનાથી બહુ જ સીમિત નુકસાન થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આજદિન સુધી આ જંતુ સામે કોઈ જૈવિક નિયંત્રણ ઉપલબ્ધ હોય તેવું લાગતું નથી. જો તમે કોઇ જાણતા હો તો, કૃપા કરીને અમને જાણ કરશો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. કુરકુલીઓ ધનેરાના નિયંત્રણ માટે કૃત્રિમ પાઇરેથ્રોઇડથી સારવાર સૌથી અસરકારક છે. કોઈ ફળ ન ધરાવતા અથવા દ્રાક્ષનું ઝુમખું ન હોય તો આલ્ફા-સાપરમેથેરીન ધરાવતાં ઉત્પાદનોનો પાંદડાં પર છંટકાવ પણ કરી શકો છો.

તે શાના કારણે થયું?

કુરકુલીઓ ધનેરાના કારણે નુકસાન (ઓટિઓરાયણચર્સ) થાય છે. પુખ્ત રાત્રે ખોરાક લે છે. દિવસ દરમિયાન, તેઓ થડ, ડાળીઓની છાલની ફાટમાં, ફળ અને પાંદડા વચ્ચે, અથવા જમીનમાં દરમાં રહે છે. વૃક્ષો પર અથવા જમીનમાં છૂટક જૈવિક દ્રવ્યમાં ઈંડા મુકવામાં આવે છે. ઇંડામાંથી બહાર નીકળ્યા, યુવાન લાર્વા જમીનને ખોદી અને છોડના મૂળતંતુ પર નભે છે. તેઓ પાનખરમાં મોટા થાય છે. આ તબક્કાની લંબાઈ હવામાનની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે, પરંતુ તે સામાન્ય રીતે ત્રણ-ચાર અઠવાડિયા સુધી તે ચાલે છે. કુરકુલીઓ ધનેરાનું જીવન ચક્ર મધ્યમ તાપમાન દરમ્યાન શ્રેષ્ઠ હોય છે. દર વર્ષે તે તેની માત્ર એક પેઢી હોય છે, પરંતુ ઉનાળાની ગરમી પછી તેના સક્રિયકરણથી બીજી પેઢી હોવાની છાપ આપે છે. મોટા ભાગના પુખ્ત ધનેરા ઉડી શકતા નથી, પરંતુ કેટલાક ટૂંકા અંતર સુધી ઉડી શકે છે.


નિવારક પગલાં

  • જો ક્ષતિગ્રસ્ત ડાળી જોવા મળે તો વસંતઋતુની પ્રારંભમાં શિયાળા દરમિયાન ટકી રહેતા પુખ્ત માટે ખેતરની ચકાસણી કરો.
  • નીંદણ વૈકલ્પિક યજમાન તરીકે સેવા આપી શકે છે, તેથી તેનું સંપૂર્ણ નિયંત્રણ રાખો.
  • ભેજવાળા વાતાવરણમાં વૃક્ષોને ચોંટી જવાય તેવી રીંગથી સુરક્ષિત રાખો કે જેથી પુખ્ત ધનેરા થડ પર ઊંચે ચઢી શકે નહિ.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો