કપાસ

કપાસના પાંદડા પર કાણા પડતી જીવાત

Bucculatrix thurberiella

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • યુવાન કેટરપિલર પાંદડાની અંદર ખાણ બનાવે છે, અને સફેદ અથવા ભૂખરા રંગની વાંકીચુકી ટનલ બનાવે છે.
  • જેમ જેમ તે મોટા થાય છે તેમ આ ખાણમાંથી બહાર નીકળી જાય છે અને નીચલા અથવા ઉપલા બાહ્ય ત્વચાના ભાગોને ખાઈ જાય છે, પરિણામે બારી જેવું નિશાન થાય છે.
  • ભારે ચેપગ્રસ્ત પાંદડાની માત્ર નસો રહી જાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

કપાસ

લક્ષણો

સૌથી વધુ નુકસાન છોડના ઉપરથી ત્રીજા ભાગમાં થાય છે. યુવાન કેટરપિલર પાંદડાની અંદર ખાણ બનાવે છે, અને સફેદ અથવા ભૂખરા રંગની વાંકીચુકી ટનલ બનાવે છે. જેમ જેમ તે મોટા થાય છે તેમ આ ખાણમાંથી બહાર નીકળી જાય છે અને નીચલા અથવા ઉપલા બાહ્ય ત્વચાના ભાગોને ખાઈ જાય છે, પરિણામે બારી જેવું નિશાન થાય છે, જે ક્યારેક સૂકાઈ જાય છે અને ખરી પડે છે. ગંભીર કિસ્સાઓમાં, છોડ પાનખર જેવી સ્થિતિનો સામનો કરે છે અને તેથી અકાળે બોલ ખૂલી જાય છે અને નાના બોલ ખરી પડે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

કુદરતી શિકારીઓ, જેમ કે ઓરિઅસની કેટલીક જાતો, ક્રીસોપના કેટલાક લાર્વા અને કોલોપ્સ અને હિપ્પોડામિયાના પુખ્ત જીવોને બી થર્બેરીલાના લાર્વા પર પોષણ મેળવતા જોવા મળેલ છે. પ્રયોગશાળાની સ્થિતિમાં, અન્ય શિકારી જેમ કે જીનોરીસ જીયોકોરિસ, સિનેઆ અને ઝેલસના પુખ્ત જીવો અને નોબિસની જાતિના પુખ્ત જીવો આ જીવાતને ખાઈ જાય છે. ફાયદાકારક જંતુઓની વસ્તીને જાળવવા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ મર્યાદિત કરવો મહત્વપૂર્ણ છે. સ્પિનોસદનો સ્પ્રે પણ એક અસરકારક ઉપાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. ઘણાં જંતુનાશક સંયોજનનો આ જીવની સામે ઉપયોગ કરી શકાય છે. પાછળના તબક્કાના લાર્વાને લક્ષ્ય બનાવવા જોઈએ, કારણ કે પાંદડાની અંદર યુવાન તબક્કા સુધી તેઓ સુરક્ષિત બેસી રહે છે. તેની સામે સક્રિય ઘટકોમાં મેલેથિયન, ડાયમેથોએટ અને વિવિધ ઘટકોનું મિશ્રણ અસરકારક છે.

તે શાના કારણે થયું?

આ લક્ષણો કપાસમાં કાણા પડતી બ્યુક્યુલાટ્રિક્સ થર્બિએલા (Bucculatrix thurberiella )ના લાર્વા દ્વારા થાય છે. ઈયળની પાંખ લગભગ ૭-૯ મીમીની હોય છે. આગળની પાંખો સફેદ હોય છે, પરંતુ પાંખની કિનારીઓની મધ્યથી આગળ સુધીનો ભાગ કાળો હોય છે. પાછળની પાંખો નિસ્તેજ સફેદ હોય છે. લાર્વા કપાસના પાંદડા અને કેટલાક જંગલી સંબંધી જેવા કે થુર્બેરિયા થેસ્પીયોઇડ્સ પર પોષણ મેળવે છે. યુવાન લાર્વા સપાટ હોય છે, પીળાથી નારંગી રંગના હોય છે, જે પાંદડાની સપાટીની વચ્ચે ટનલમાં પ્રવેશતા હોય છે. પુખ્ત લાર્વા આંતરિક પેશીઓમાંથી બહાર નીકળી જાય છે અને ઉપલી અથવા નીચેની સપાટી પર ખોરાક લેવાનું શરૂ કરે છે. જ્યારે આ તબક્કાની ખોરાક પ્રવૃત્તિઓ સમાપ્ત થાય છે, ત્યારે લાર્વા પાંદડાની નીચે એક નાના ગોળાકાર રેશમના આશ્રય જેવું બનાવે છે. ગંભીર ઉપદ્રવમાં, પાંદડાનું હાડપિંજર બની શકે છે અને ખરી થઈ શકે છે.


નિવારક પગલાં

  • તેમની વસ્તીનું મૂલ્યાંકન કરવા માટે ફેરોમોન જાળીનો ઉપયોગ કરો.
  • ટોચના પાંદડાઓની સપાટી પર લાર્વાની હાજરી માટે ખેતરનું નિરીક્ષણ કરો.
  • જંતુનાશક દવાઓનો નિયંત્રિત ઉપયોગ કરો, કારણ કે તે ફાયદાકારક જંતુઓને પણ અસર કરી શકે છે.
  • વધારે પડતા ઉપદ્રવને ટાળવા માટે વહેલા લણણી કરો અને પછી ખેતરને ખેડો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો