કેરી

પાંદડાં માં કાણાં પાડનાર કીડાં

Acrocercops syngramma

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • કેરીના પાંદડાં અને કુમળા અંકૂરોમાં કાણાં.
  • તાજા પાંદડા પર બળી જવાના ચિહ્નો.
  • પાંદડા પર રાખોડી-સફેદ રંગના ફોલ્લીઓ વાળા પટ્ટા જે પાછળથી મોટા કાણાં માં રૂપાંતરિત થાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

કેરી

લક્ષણો

કુમળા પાંદડાં પર લાર્વા દ્વારા નિર્માણ થયેલ કાણાં એ હુમલાના પ્રારંભિક સંકેતો દર્શાવે છે. લાર્વા પાંદડાની વાહક પેશીઓ પર નભે છે અને બહારના ભાગને સ્પર્શ પણ કરતા નથી. જ્યાં કાણાં પાડવામાં આવેલ હોય તે ભાગ ભેગા મળીને, પાંદડાંની સપાટી પર સફેદ રંગના, ફોલ્લીઓ વાળા પટ્ટા નિર્માણ કરે છે. જૂના, સંપૂર્ણ રીતે વિકાસ પામેલ પાંદડાં પર મોટા કાણાં તરીકે નુકસાન જોવા મળે છે. કાણું પાડેલ જગ્યા સુકાઈને તૂટી જવાથી આવું નિર્માણ થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

પાંદડામાં કાણાં પાડતાં જંતુના લાર્વાનો તેના વિકાસ પહેલા નાશ કરવા માટે સક્ષમ દિગ્લીફ્સ ઇસા જેવા પરોપજીવી ફૂદાંનો ઉપયોગ કરો. છોડના આરોગ્ય માટે કાર્બનિક ખાતરોનો ઉપયોગ કરો. ચાસ પર આવરણનો ઉપયોગ કરીને જંતુને પાંદડા પર ઇંડા મૂકતાં અટકાવો. ઇંડા મૂકતા પુખ્ત ફૂદાંને પકડવા માટે પીળા અથવા વાદળી રંગના ચોંટી જાય તેવા છટકાંનો ઉપયોગ કરો. અસરગ્રસ્ત છોડની નીચેની જમીન પર લાર્વા પ્રવેશી વિકાસ પામી શકે નહિ તે માટે જમીનને પ્લાસ્ટિક આવરણથી ઢાંકી દો. લીમડાંનું તેલ અને સાયપરમેથ્રીન આધારિત જંતુનાશકનો છંટકાવ કરવાથી, જંતુઓનો વિકાસ અને વૃદ્ધિ અટકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. 36 ડબ્લ્યુએસસી 0.05% (@ 0.5 મિલી/ લિટ) મોનોક્રોફોસનો છંટકાવ કરો. ઝડપથી અસર કરતાં જંતુનાશકોનો ફક્ત છેલ્લા ઉપાય તરીકે જ ઉપયોગ કરવો જોઈએ.

તે શાના કારણે થયું?

પાંદડાંને કાણાં પાડતાં જંતુઓના લાર્વાના કારણે નુકસાન નિર્માણ થાય છે. ચાંદી જેવા રાખોડી રંગના ફૂદાં દ્વારા કુમળા પાંદડા પર ઇંડા મુકવામાં આવે છે. સામાન્ય રીતે પુખ્ત બનતાં પહેલા, લાર્વા આછા સફેદ રંગના હોય છે અને પાછળથી તે ગુલાબી અથવા લાલાશ પડતાં કથ્થાઈ રંગના બને છે. સંપૂર્ણ વિકાસ માટે લાર્વા જમીન પડે છે અને 7-9 દિવસ પછી વિકસીને બહાર આવે છે. તે 20 થી 40 દિવસનું જીવન ચક્ર ધરાવે છે. નુકસાનના કારણે છોડમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં ઘટાડો થાય છે, અને તેના કારણે પાંદડાં સુકાઈને ખરી પડવાના કારણે ઉત્પાદનમાં ભારે નુકસાન થાય છે.


નિવારક પગલાં

  • શરૂઆતમાં જ પગલાં લઇ શકાય તે માટે ઋતુની શરૂઆતમાં છોડના પાંદડાંનું નજીકથી નિરીક્ષણ કરો.
  • નાના બગીચાઓમાં ગંભીર રીતે અસર પામેલ પાંદડાને તોડી તેનો નાશ કરો.
  • છોડ નુકસાન પ્રત્યે પ્રતિકારક્ષમ અને સહનશીલ રહે તે માટે તેને યોગ્ય પાણી પૂરું પાડો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો