અન્ય

દિવેલની અર્ધગોળાકાર ઈયળ

Achaea janata

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ખોરાક તરીકે ઉપયોગથી પાંદડા પર નુકસાન.
  • હાડપિંજર બનવાથી પૂર્ણ પાનખર.
  • ભીંગડાવાળા આછા બદામી ફુદા.
  • સરળ રાખોડી- બદામી કાળા માથાવાળી ઇયળો.


અન્ય

લક્ષણો

સરળ રાખોડી- બદામી ઇયળો પાકને નુકસાન પહોંચાડે છે, જે પાંદડાઓને હાડપિંજર (ફક્ત મુખ્ય નસો બાકી રહે છે) થી માંડીને છોડનું પૂર્ણ પાનખર સુધી અથવા ખેતરનો સર્વનાશ કરી શકે છે. નાના યુવાન લાર્વા પાંદડાની બાહ્ય ત્વચાને કોતરી ખાય છે જ્યારે મોટા લાર્વા ખાઉધરા હોય છે જે આખા છોડને ખાય છે અને નોંધપાત્ર નુકસાન પહોંચાડે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જો પ્રારંભિક લાર્વાના તબક્કા દરમ્યાન સુમેળકરી ઉપયોગ કરવામાં આવે તો લીંબોડીના અર્કનું મિશ્રણ 5% અને લીમડાનું તેલ 2% સુધી વસતી ઘટાડે છે. પ્રજાતિઓના ભમરા,ત્રિકોગ્રેમા ઇવેનસીસેન્સ મિનિટમ ના ઇંડા ને પરોપજીવી બનાવે છે. લાર્વા, બદલામાં, બ્રોકોનીડ પરોપજીવી,માઈક્રોપ્લાઇટીસ મૅક્યુલીપેનીસ અને જીનસ રહોગેસ ની પ્રજાતિઓ દ્વારા ભારે પરોપજીવી થયેલ છે. અન્ય પરોપજીવીઓ પણ વ્યાપારી રીતે ઉપલબ્ધ અથવા પ્રયોગાત્મક સંશોધન હેઠળ છે. અંતિમ લાર્વાના તબક્કામાં પક્ષીઓની કેટલીક પ્રજાતિઓ પણ અસરકારક શિકારી છે. પક્ષીઓ માટે માળા બનાવવા થી જંતુની ઘટનાઓને ઘટાડવામાં મદદ કરે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. મોર બેસવાની શરુઆતથી માલાથિયોન નો ત્રણ અઠવાડિયા ના અંતરાલ પર ત્રણ વખત છંટકાવ કરી શકાય છે.જો અર્ધ ગોળાકાર ઈયળો વધુ માત્રામાં જોવામાં આવે તો ક્લોરોફેરીફોસ 2મિલી / લીટર વાળા પાણી નો છંટકાવ કરો.

તે શાના કારણે થયું?

ઓફિયુસા મેલીસર્ટ લાર્વાના ખોરાક કારણે થાય છે. પુખ્ત ફુદા આખા શરીર પર ભીંગડાવાળા આછા બદામી હોય છે, જે હેન્ગ-ગ્લાઈડર જેવું લાગે છે.પાછળની પાંખો ની પાછળના ભાગમાં કાળી અને સફેદ રચના તેમની લાક્ષણિકતા છે. માદા જુમખામાં પાંદડાની સપાટી પર અને છોડ ના કુમળા ભાગોમાં ઇંડા મૂકે છે. ઇંડા લીલાશ પડતા અને સપાટી પર સુંદરરીતે હારમાં અને પટ્ટાઓવાળા હોય છે. સંપૂર્ણપણે વિકસિત ઈયળ 60 એમએમ જેટલું માપ અને કાળું માથું અને સાથે શરીર પર વિવિધ પેટર્ન ધરાવે છે. શરીર પર મખમલ હોય છે, જે કાળા રંગની પૃષ્ઠભૂમિ પર પીઠની મધ્યમાં કાળા દોર વાળું લંબાઈમાં દોડતું હોય તેવું દેખાય છે. લાર્વાનો સમયગાળો લગભગ 15-19 દિવસો અને સંપૂર્ણ વિકાસ લગભગ 33-41 દિવસો સુધી ચાલે છે.


નિવારક પગલાં

  • છોડનું ધ્યાન રાખો અને જુના લાર્વા અથવા ચેપગ્રસ્ત છોડના ભાગ ને એકત્રિત કરો.
  • લાભદાયી જંતુઓની વસ્તીને કોઈ નુકસાન પહોંચાડે નહીં તેવા એક નિયંત્રિત જંતુનાશકનો ઉપયોગ કરો.
  • જે લાર્વાને ખાતા હોય તેવા પક્ષીઓ માટે ખુલ્લી જગ્યા બનાવો.ફૂદાંને પકડવા અને નિરીક્ષણ કરવા માટે છટકાનો ઉપયોગ કરો.લણણી પછી, જમીનને અર્ધગોળાકાર ઈયળોના શિકારીઓ માટે ખુલ્લી છોડી દો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો