કેરી

કેરીમાં કાણું પાડનાર

Citripestis eutraphera

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ફળ પર કાળા રંગનું કાણું હોય છે જેમાંથી ગર અને રસ ઝરતું હોય છે.
  • ફળ ફાટી શકે અને ખરી પડે છે.
  • કાળા માથા અને ગુલાબી શરીર વાળા લાર્વા, જે પછીથી રાતા કથ્થાઈ રંગના બને છે.
  • પુખ્ત ફૂદાંને, ઘેરો કથ્થાઈ રંગની આગળની પાંખ અને આછા સફેદ અને રાખોડી રંગની પાછળની પાંખો હોય છે.

માં પણ મળી શકે છે

1 પાક

કેરી

લક્ષણો

વટાણા- અથવા લીંબુ જેટલા કદના લટકતાં ફળોના છેડાના ભાગ પર, ફરતે ગોળાકાર વિકૃત રંગવાળા પટ્ટા સાથે કાળા રંગના પ્રવેશ માટેના છિદ્રો દેખાય છે. જયારે ફળ મોટું હોય ત્યારે ચવાઈ ગયેલ ગર અને રસ પ્રવેશ છિદ્ર માંથી બહાર નીકળતું દેખાય છે. કીડાના વ્યાપક રીતે બોગદું બનાવવાના કારણે ઘણીવાર ફળો વિભાજિત થઇ શકે છે. ત્યાર બાદ લાર્વા અન્ય ફળો પર સ્થાનાંતર કરી શકે છે. ઇંડામાંથી નવા જ નીકળેલ લાર્વા ઘેરા કથ્થાઈ કે કાળા રંગના માથા વાળા અને આછા ગુલાબી રંગના હોય છે. બાદમાં, તે લાલાશ પડતાં કથ્થાઈ રંગના બને છે. શરૂઆતમાં, તેઓ ફળની છાલને ખોતરે છે જેનાથી ખોતરેલ પટ્ટીઓ નિર્માણ થાય છે, પછી તે કાણું પાડી ફળમાં દાખલ થાય છે, જેનાથી યુવાન ફળો અકાળે ખરી પડે છે. ભારે ઉપદ્રવ પામેલ ઝાડમાં તે સેંકડોની સંખ્યામાં મળી આવે છે. અસરગ્રસ્ત ફળો અકાળે ખરી પડે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જયારે આંબા પર મોર આવવાની શરૂઆત થાય ત્યારે અઠવાડિયે એક વાર લીમડાના અર્ક (એઝાડિરેક્ટિન) લાગુ કરવો અને તે 2 મહિના સુધી ચાલુ રાખવું. કેરીમાં કાણાં પાડનાર કીડાના કુદરતી દુશ્મનોની વસ્તી જાળવી રાખો દા.ત. રીચીયમ એટ્રિસીમમ ભમરી (લાર્વાને ખાય છે ) અને ટ્રાયકોગ્રામા ચીલોનીસ અને ટ્રાઈકોગ્રામા ચીલોતરીએ જે ઇંડા પર નભે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. થીઈક્લોપ્રીડ ધરાવતા છંટકાવ ફળમાં કાણાં પાડનાર કીડાને અસરકારક રીતે નિયંત્રિત કરી શકે છે. ઉપરાંત, લખોટી જેટલા આકારના ફળ પર જંતુનાશક છાંટવાથી સંતોષકારક પરિણામો મળે છે. ક્લોરીપાયરીફોસ (2.5 મિલિગ્રામ / લી પાણી) ધરાવતા છંટકાવ પણ કેરીમાં કાણાં પડતાં કીડાને અસરકારક રીતે ઘટાડી શકે છે.

તે શાના કારણે થયું?

પુખ્ત ફૂદાંને ઘેરો કથ્થાઈ રંગની આગળની અને આછા સફેદ-રાખોડી રંગની પાછળની પાંખો હોય છે. પુખ્ત ફૂદાં મધ્યમ કદના 20 મીમી મહત્તમ લંબાઈ વાળી પાંખ ધરાવે છે. પુખ્ત ફૂદાં લગભગ એક સપ્તાહ સુધી જીવે છે અને ફળ અને પુષ્પદંડ પર ખરબચડા વિસ્તારો પર 125-450 ઇંડા મૂકે છે. લાર્વા ફળમાં પ્રવેશ કરી ગર અને બીજ પર નભે છે. સંપૂર્ણ રીતે વિકસિત ઈયળની લંબાઈ 20 મીમી જેટલી હોય છે. તે ખરેલા ફળને અડીને રહેલી માટીમાં ઢીલી રીતે વણાયેલા મુલાયમ કોશેટામાં વિકાસ પામે છે. વિકાસ માટે લગભગ 30 દિવસ લાગે છે. ચેપી ફળોના પરિવહન દ્વારા જંતુઓનો ફેલાવો થાય છે. વધારામાં, વયસ્ક ફૂદાં જુદીજુદી વાડીમાં ઉડી શકે છે.


નિવારક પગલાં

  • માત્ર સ્વચ્છ, માન્ય એવા પુરવઠો પૂરો પાડનાર તરફથી મેળવેલ અને પ્રમાણિત સામગ્રીનો જ ઉપયોગ કરવો.
  • તમારા વાડીનું ખાસ કરીને ફળ આવવાની શરૂઆતમાં, કિટકો અને અસામાન્ય લક્ષણોની હાજરી માટે વારંવાર નિરીક્ષણ કરો.
  • લાગતાવળગતા વૃક્ષોના અસરગ્રસ્ત ફળો અને છાલનો નાશ કરો.
  • વાયુઅવરોધકથી વાડીમાં ફુદાનું આક્રમણ થતાં અટકાવી શકાય છે.
  • લાભદાયક જંતુઓની કાળજી રાખવા માટે જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ ટાળો.
  • અસરગ્રસ્ત ઝાડની સામગ્રી અથવા ફળોનું અન્ય સ્થાનો પર પરિવહન થતું ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો