રીંગણ

રીંગણમાં જાળીદાર પાંખોવાળા ફૂદાં

Gargaphia solani

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • બાળ કીડા પાંદડાની નીચેની સપાટી પર નભે છે, અને તેને ઉત્સર્જિત દ્રવ્યથી કથ્થઈ રંગના ટપકા સાથે ઢાકી દે છે.
  • પાંદડાં આછા અને વાંકડિયા બને છે.
  • ખોરાક લેવાથી મૃત ( સુકાયેલ) ટપકાં નિર્માણ થાય છે, જે પછી કરમાયેલા પાંદડા અને પાંદડાના નાશનું કારણ બને છે.

માં પણ મળી શકે છે


રીંગણ

લક્ષણો

પુખ્ત અને બાળ જંતુ બંને રીંગણના પાંદડા પર નભે છે. જ્યારે રીંગણનો છોડ અંકુરના તબક્કામાં હોય તેવો વસંત ઋતુ નો શરૂઆતનો સમય વધુ નાજુક હોય છે. નિષ્ક્રિય પડી રહેલ વયસ્ક જંતુઓ છોડમાં ચેપની શરૂઆત કરે છે અને પાંદડાની નીચેની સપાટી ઉપર લીલાશ પડતા ઈંડા મૂકે છે, જે ભવિષ્યના બાળ જંતુઓની વસાહત બનાવે છે. બાળ જંતુ ઈંડાની બહાર આવે છે અને સમૂહમાં પાંદડાની નીચેની સપાટીને ખાય છે અને તેને કથ્થઇ રંગના ઉત્સર્જન દ્રવ્યથી ઢાંકી દે છે. પાંદડાને ચાવવાથી, પાંદડાની ઉપરની સપાટી પર સ્પષ્ટપણે જોઈ શકાય તેવા ગોળ, વિકૃત રંગના ચાઠા નિર્માણ થાય છે. જેમ જેમ તે આગળ વધે છે અને બહારની તરફ ખોરાક લે છે, વધુ નુકસાન થવાના કારણે પાંદડા પીળા અને છેવટે કરચલી વાળા અને વાંકડિયા બને છે. ગંભીર ચેપના કિસ્સામાં સમગ્ર છોડ નાશ પામી શકે છે અથવા દુબળો પડે છે, જેથી તેના ઉપર ફળનો વિકાસ થતો નથી.

Recommendations

જૈવિક નિયંત્રણ

લેડીબગ, કરોળિયા, અને ચાંચીયા નો રીંગણમાં જાળીદાર પાંખોવાળા ફૂદાં ના કુદરતી દુશ્મનોમાં સમાવેશ થાય છે અને તેની પ્રતિબંધક પદ્ધતિઓ દ્વારા સાચવણી કરવી જોઈએ. જંતુનાશક સાબુ, પાયરિથ્રિન્સ અને લીમડાના તેલને પાંદડાની નીચેની સપાટી પર છાંટી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વ્યાપક અસર કરતા માલાથિયોન અથવા પાયરીથ્રોઇડ પર આધારિત જંતુનાશકોનો પાંદડાં પર છંટકાવ કરવા માટે ઉપયોગ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

રીંગણમાં જાળીદાર પાંખોવાળા પુખ્ત ફૂદાં, લીલા રંગની પારદર્શક, દોરી જેવી નસોવાળી પાંખો તથા આછા કથ્થઈ અને સફેદ રંગના હોય છે. તેઓ લગભગ 4 મીમી લંબાઈના હોય છે અને પાકના કચરામાં અસ્તિત્વ ધરાવે છે, અને તે ફેલાવા અને ઈંડા મુકવા માટે અનુકૂળ વાતાવરણની રાહ જુએ છે. ઈંડા લીલા રંગના અને પાંદડાની નીચેની સપાટી પર સમૂહમાં ચોટેલા હોય છે. બાળ જંતુઓ પાંખો વિનાના અને પીળા રંગના શરીર પર ટોચ પર ઘેરા રંગના ટપકા ધરાવે છે. બાળ અને પુખ્ત જંતુઓ બંને પાંદડાને નુકસાન પહોંચાડે છે, પરંતુ બાળ જંતુઓ જ્યાં જન્મ લે છે એ છોડ ને જ નુકસાન પહોંચાડે છે જ્યારે પુખ્ત જંતુઓ ઉડીને બીજા છોડને અને અન્ય ખેતરમાં પણ નુકસાન કરે છે. સામાન્ય રીતે આ જંતુને હજુ સુધી ચોક્કસ રીંગણના જંતુ તરીકે ઓળખવામાં આવેલ નથી. સામાન્ય રીતે તે ઉપજને ઓછું નુકસાન કરે છે, પરંતુ કેટલાક ચોક્કસ કિસ્સાઓમાં તે વધુ માત્રામાં હોઈ શકે છે. રીંગણના છોડ ઉપરાંત ટમેટા, બટાકા, સૂર્યમુખી, ઋષિ, કપાસ, છાયડામાં ઉગતા પાક અને હોર્સેનેટલે નો વૈકલ્પિક યજમાન પાકમાં સમાવેશ થાય છે.


નિવારક પગલાં

  • જંતુઓના લક્ષણો માટે છોડનું બારીકાઇથી નિરીક્ષણ કરો.
  • જંતુઓને અથવા વસાહતો વાળા પાંદડાને હાથથી વીણી લો.
  • જાતે ઊગી નીકળેલ છોડ અથવા વૈકલ્પિક નીંદણ (ઉદાહરણ તરીકે હોર્સેનેટલે અને છાયામાં ઉગતા નીંદણ) ના છોડ ને દૂર કરો.
  • લાભદાયી જંતુઓની વસ્તી ને અસર ન થાય તે માટે જંતુનાશકોનો ઉપયોગ સંયમિત રીતે કરો.
  • પુખ્ત જંતુઓ માટે ઠંડી દરમિયાન ટકી રહેવાની જગ્યાઓનો નાશ કરવા ખેતરમાંથી કચરો અને નીંદણની સામગ્રીને દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો