અડદ અને મગની દાળ

ભુરા પતંગિયા

Lampides boeticus

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ફૂલની કડીઓ, ફૂલો અને લીલી શીંગો પર લાર્વા દ્વારા કરવામાં આવેલ કાણા દેખાય છે.
  • લાર્વા શીંગની અંદર રહેલ દાણા પર નભે છે, અને તેથી એક છેડે ગોળ કાણા કરે છે.
  • છિદ્રો ના પ્રવેશ ની આસપાસ ઝાકળ ના ટીપા અને કીડીઓ હોય છે.
  • જો ચકાસવામાં ન આવે તો, ઉપદ્રવને કારણે ઉપજ ને ભારે નુકશાન થઈ શકે છે.


અડદ અને મગની દાળ

લક્ષણો

છોડના ભાગને થતું મોટાભાગનું નુકસાન લાર્વાના તબક્કા દરમિયાન થાય છે. લાર્વા છોડના આંતરિક ભાગ અને સિંગ ની અંદર રહેલા દાણા ઉપર નભે છે. લાર્વાના નિર્માણના તુરંત બાદ, પ્રારંભિક લક્ષણો ફૂલની કડીઓ, ફૂલો અને લીલી શીંગો ઉપર કાણાં સ્વરૂપે જોવા મળે છે. શીંગને થતું નુકશાન ગોળ કાણા અને તેના આગળના ભાગ પર, સામાન્ય રીતે સિંગના છેડા પર, બારીક પાવડર દ્વારા દર્શાવી શકાય. છિદ્રો ના પ્રવેશ ની આસપાસ ઝાકળ ના ટીપા અને કાળી કીડીઓ પણ જોઈ શકાય છે. કાળા ડાઘા સિંગ માં સડો સૂચવે છે. લાર્વા સિંગ ઉપર સીધો હુમલો કરતા હોવાથી, તેમનો ઉપદ્રવ ખૂબ જ નુકસાનકારક હોય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ખેતરમાં કુદરતી દુશ્મનોને છોડીને ઉપદ્રવને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે. ટ્રાઈકોગ્રામા ચીલોતરાઈ, ટ્રાઈકોગ્રામાટોઇડે બેક્ટરિય, કોટેસિયા સ્પેક્યુલારિસ, હાયપરન્સયર્ટ્સ લ્યુકોઇનેફીલ અને લિટરોડ્રૉમસ જેવા ઈંડા અને લાર્વા ને સારી અસર કરી શકે છે. પેસિલોમેસેસ લિલેસિનસ અને વેંટ્રીસિલિયમ લેકાની ધરાવતા જૈવિક-જંતુનાશક પાંદડા માટે વાપરી ઉપદ્રવને નિયંત્રિત કરી શકાય છો. લાર્વાને અંકુશમાં લાવવા માટે બે વખત NSKE 5% નો છંટકાવ કરી બાદમાં 2% લીમડાનું તેલ છાંટી શકાય.

રાસાયણિક નિયંત્રણ

જો શક્ય હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો કુદરતી દુશ્મનોની સંખ્યા જળવાતી હોય તો, કેમિકલ સારવારની કદાચ જરૂર પડે નહીં. જો જંતુનાશકો જરૂરી થઇ પડે તો, લેમ્બડા-સિલોથરીન, ડેલ્ટામેથ્રિન છાંટી શકાય, અને ચોળા તથા મગ માટે 80 થી 90% સુધી નિયંત્રણ આપી શકે છે. એમેમેકટીન 5% એસજી (220 ગ્રા / હેક્ટર) અને ઇંડોકસાકાર્બ 15.8% એસસી (333 મિલી / હેક્ટર) અન્ય સક્રિય ઘટકો છે. યાદ રાખો કે ભૂરું પતંગીયું કદાચ આ રસાયણો પ્રત્યે પ્રતિકાર ક્ષમતા વિકસાવી શકે છે.

તે શાના કારણે થયું?

છોડ પર નુકસાન મુખ્યત્વે લેમ્પેઈડ્સ બુટીક્સ ના લાર્વા કારણે થાય છે. પુખ્ત કીડા ઘેરા ભૂરા રંગના અને ભૂરા વાળ સાથે લાંબુ ભૂરૂ-રાખોડી રંગનું શરીર ધરાવે છે. લાંબા ઉપાંગ ની સાથે, આંખોની નીચે કાળા ટપકા જોઈ શકાય છે. મૂળ ભાગમાં, સામાન્ય રીતે પાંખની ધાર ઉપર, અનિયમિતપણે સફેદ અને ભૂખરા રંગના પટ્ટા અને કથ્થઈ ટપકા હોય છે. માદા ફૂલની કડીઓ, ફૂલો, અપરિપક્વ શીંગો તથા કુમળા અંકુર અને પાંદડા પર વાદળી અથવા સફેદ રંગના ઈંડા મૂકે છે. લાર્વા આછા લીલા થી બદામી રંગના, થોડા ગોળ અને ગોકળગાય જેવા દેખાય છે. તાપમાન હોય તે પ્રમાણે, લાર્વાનો તબક્કો બે થી ચાર અઠવાડિયા સુધીરહે છે.


નિવારક પગલાં

  • જો તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો લાંબો સમય ટકી શકે એવી અથવા પ્રતિકારક જાતો ની વાવણી કરો.
  • સમય કરતા વહેલા અથવા મોડી વાવણી કરવાનું ટાળો કારણ કે તેનાથી જીવાત થવાની શક્યતા વધી જાય છે.
  • બે છોડ વચ્ચેનું અંતર વધારે રાખો.
  • જીવાત થયાના લક્ષણ જોઈ શકાય તે માટે તમારા છોડ અથવા ખેતરનું નિયમિતરૂપે ધ્યાન રાખો.
  • ક્યારીમાં અથવા ખેતરમાં લાર્વા મળી આવે તો તેને વીણી લો અને નાશ કરો.
  • લાર્વા અને પુખ્ત ઈયળને જોવા માટે ખેતરનું નિયમિતપણે ખેડાણ કરવું.
  • કીટકોના નૈસર્ગિક દુશ્મનોનો નાશ કરે તેવા અયોગ્ય જંતુનાશક નો ઉપયોગ ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો