શેરડી

શેરડી માં સફેદ ઈયળ

Lepidiota stigma

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • મૂળને ખોરાક તરીકે લેવાથી થતું નુકસાન પોષકતત્વો અને પાણી પુરવઠા ના ઘટાડા તરફ દોરી જાય છે.
  • સમય જતાં, પાંદડા કથ્થઈ થાય છે અને પરિપકવ સાંઠા બગડી જાય છે.
  • ખરાબ હવામાન દરમિયાન છોડ તેની જગ્યા પર ખરી શકે છે.
  • લાર્વા શેરડીના સાંઠા માં દર કરી શકે છે.

માં પણ મળી શકે છે

3 પાક

શેરડી

લક્ષણો

લાર્વા મૂળિયા પર નભે છે અને તેને નુકસાન પહોંચાડે છે, છોડને પાણી અને પોષકતત્વો નો પુરવઠો ઘટે છે. લક્ષણોની શરૂઆતમાં પાંદડા માં પીળાશ અને શિથિલ થવાની સાથે, દુકાળથી થતા નુકસાન જેવો સમાન પ્રકારનો દેખાવ હોય છે. સમય જતાં, પાંદડા કથ્થઈ થાય છે અને પરિપકવ સાંઠા બગડી જાય છે. આત્યંતિક કિસ્સાઓમાં, ઈયળો મૂળને ખાઈ જાય છે અનેશેરડી પ્રતિકૂળ હવામાન માં અથવા ફક્ત તેના પોતાના વજન દ્વારા જગ્યાએ જ ખરી પડે છે. ઈયળો એ શેરડીના સાંઠા માં દર કરેલ પણ જોઈ શકાય છે. ગંભીર ઉપદ્રવ અને શેરડીની વૃદ્ધિના પ્રારંભિક તબકકા ના કિસ્સામાં, પુન: રોપણી જરૂરી હોઈ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

નજીકના શેરડીના ખેતરોમાં સફેદ ઈયળોના ઉપદ્રવને ઘટાડવા માટે છટકું વૃક્ષો નો ઉપયોગ કરી ભ્રમરોને આકર્ષી અને તેમનો સરળતાથી નાશ કરવો ખૂબ જ અસરકારક છે. જયંતિ (સેસબનિયા સેસબન), તુરી (સેસબનિયા ગ્રાન્ડફ્લોરા), બબૂલ ટોમેન્ટોસા, અસમ (ટામારીન્ડુસ ઇન્ડિકા), જેંગકોલ (પિથેસેલોબિયમ જિરિંગ), અને કાજુ (એનાકાર્ડીયમ ઓકસિડેન્ટલ) નો ઉપયોગ કરી શકો છો. કાજુ નબળી જમીનમાં ઉગે છે અને તે દાણા ઉત્પન્ન કરી શકે છે તેથી તે આદર્શ છે. ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે બ્યુવેરીયા એસપીપી સમાવતા જૈવનાશકો નો પ્રયાસ કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સામાન્ય રીતે રાસાયણિક નિયંત્રણ માટી જંતુનાશકોની મદદથી કરવામાં આવે છે. ધીમે છુટતા માટી જંતુનાશકો ક્લોરોપાયરીફોસ અથવા ક્લોરોપાયરીફોસ-મિથાઈલ ધરાવતા ઉત્પાદનો ને જો વાવેતર પહેલાં મુળના ભાગમાં લાગુ પાડવામાં આવે તો તે આ ઈયળો સામે અસરકારક થાય છે. જોકે, શેરડી વાઢી લીધા પછી મૂળિયાં માંથી ફૂટતા નવા ફણગાવાળા ખેતરમાં લાગુ કરવું શક્ય નથી.

તે શાના કારણે થયું?

નુકસાન કેટલાક પ્રકાર ના ભ્રમરો ની ઈયળોને કારણે થઈ શકે છે, જેમાં લેપિંડીઓટ સ્ટીગ્મા સૌથી મહત્વપૂર્ણ છે. ફિલોફેગા હિલેરી, પેચનેસ નિકોબારીકા ,લ્યુકોફોલીસ એસપીપી અને સિલોફોલીસ એસપીપી જેવી અન્ય જાતિઓ પણ હોઈ શકે છે. ઈયળો ક્રીમ સફેદ અને સી આકારના શરીર દ્વારા દર્શાવવામાં આવે છે. જો તેમને ચકાસવામાં ના આવે તો તે જેમ વધે છે તેમ વધુ અને વધુ ખાઉધરી બને છે અને તેને કારણે ગંભીર નુકસાન પરિણમે છે.નુકસાન ની માત્રા જ્યારે તે હુમલો કરે છે ત્યારે તેમની સંખ્યા, તેમની વય, વિવિધ પ્રકારની શેરડી અને તેની વૃદ્ધિના તબક્કા પર આધાર રાખે છે. જૂની શેરડી પર હુમલો ઉપજ માં ઘટાડો પેદા કરે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો વધુ સહિષ્ણુ જાતો નું વાવેતર કરો.
  • સફેદ ઈયળો અને ભ્રમરો ના ચિહ્નો માટે નિયમિતપણે ખેતર ની ચકાસણી કરો.
  • પુખ્તવય ની સંખ્યા જાણવા અથવા ફક્ત મોટા પાયે પકડવા માટે ફાંસો વાપરો.
  • અથવા માત્ર હાથ દ્વારા ભ્રમરો અથવા ઈયળો ને એકત્રિત કરો.
  • વૈકલ્પિક રીતે, છોડને હલાવો અને કપડાં પર તેમને એકત્રિત કરો.
  • પુખ્ત ને આકર્ષેવા માટે છટકું વૃક્ષોનો ઉપયોગ કરો અને હાથ દ્વારા તેમને ખેંચી લો.
  • કીચડવાળી જમીન પર શેરડીની ખેતી ટાળો.
  • સાચા ખાતર ના સંતુલન સાથે જમીન ની ફળદ્રુપતાની ખાતરી કરો.
  • લાભદાયી જંતુઓ નો નાશ કરતા બ્રોડ સ્પ્રેક્ટમ જંતુનાશકો નો ઉપયોગ ન કરો.
  • કચરો દાટવા, તેમના વિઘટનની તરફેણ કરવા અને શિકારી માટે ઈયળોને છતી કરવા ઊંડી ખેડ કરો.
  • વૈકલ્પિક રીતે, લણણી પછી અવશેષો અને ભૂસાને દૂર કરો અને તેમને બાળી દો.
  • કઠોળ જેવા બિન-યજમાન પાક સાથે ફેરબદલી કરો.
  • ઈયળોનું જીવન ચક્ર તોડવા માટે લણણી પછી કેટલાક અઠવાડિયા સુધી ખેતરને પડતર છોડો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો