Urbanus proteus
જંતુ
5 mins to read
કઠોળના પાંદડાને વાળનાર જંતુ ના લાર્વા પાંદડાંના વિનાશક હોય છે. તેઓ પાંદડાની ધાર ને લાક્ષણિક નાના ત્રિકોણાકાર પટ્ટા માં કાપી, લટકતા ભાગને વાળી, અને આ આશ્રય ની અંદર રહે છે. તેઓ તેમના આશ્રયસ્થાનો ને રેશમથી સીવે છે અને રાત્રે પાંદડા ને ખાવા માટે તેને છોડે છે.
જો વસ્તી વધી જાય તો છોડને નુકસાન થઈ શકે છે. ભમરી અને દુર્ગંધવાળા માંકડ ની ચોક્કસ પ્રજાતિઓ કઠોળના પાંદડાને વાળનાર જંતુ ના શિકારી છે, ઉદાહરણ તરીકે પોલિસ્ટસ એસપીપી ભમરી અને યુથીરહ્યનચસ ફ્લોરીડાનસ દુર્ગંધવાળા માંકડ. પાયરેથ્રિન્સ નો છંટકાવ પણ કઠોળના પાંદડાને વાળનાર જંતુ સામે કામ કરે છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. પાંદડાને વાળનાર જંતુ ને અસરકારકરીતે અટકાવવા માટે પાંદડા પર જંતુનાશકો લાગુ કરો. આ માત્ર મોસમના અંતમાં પાકતા કઠોળના પાક માટે જરૂરી હોય છે. પાયરેથ્રોઇડસ સમાવતા દ્રાવણો વસતી નિયંત્રિત કરવા માટે મદદ કરી શકે છે
માદા યજમાન છોડના પાંદડા નીચે 20 જેટલા (સામાન્યરીતે 2-6 ના ઝુમખામાં) ઇંડા મૂકે છે. ઇંડા ક્રીમ સફેદ થી વાદળી-લીલા રંગ ના અને અર્ધગોળાકાર અને આશરે 1 મીમી વ્યાસ ના હોય છે. લાર્વા કાળી પીઠ અને દરેક બાજુ પર બે પીળા પટ્ટાઓ વાળા લીલા રંગના હોય છે. માથું કથ્થઈ અથવા કાળું અને દરેક બાજુ પર નારંગી કે પીળા ટપકા વાળું હોય છે. આ પતંગિયાઓના નિવાસસ્થાનો માં ખરબચડા ખેતર અને જંગલ ની ધાર નો સમાવેશ થાય છે. તેમનો ફેલાવો તાપમાન ને અનુકૂલન હોય છે. તેઓ લાંબા સમય સુધી ઠંડા તાપમાનમાં ટકી શકતા ન હોવાથી ઊંચા વિસ્તારો અથવા ઊંચાઇએ જોવા મળતા નથી.