દ્રાક્ષ

દ્રાક્ષના અંકુરમાં ફૂદાં

Eupoecilia ambiguella

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • કળીઓ અને ફળો પર નભતાં લાર્વા, નોંધપાત્ર નુક્શાન કરે છે.
  • કળીઓ અથવા ફળો રેશમ જેવા તાંતણાથી એક બીજા સાથે જાળમાં ગુંથાયેલ હોય છે.
  • ખોરાક લેવાતી જગ્યાએ રાખોડી અથવા કથ્થાઈ આવરણ દેખાય છે.

માં પણ મળી શકે છે


દ્રાક્ષ

લક્ષણો

યુવાન લાર્વા ફૂલની કળીમાં પ્રવેશી તેને આંતરિક નુકસાન પહોંચાડે છે જેનાથી દ્રાક્ષ બિન-વેચાણપાત્ર બને છે. આ ખોરાકના પ્રાથમિક સમયગાળા દરમિયાન તેઓ અનેક કળીઓને રેશમ જેવા તાંતણાથી એકબીજા સાથે જોડે છે, છેવટે જાડું જાળું બનાવે છે અને ત્યાં આશ્રય લઈને વિકાસ પામે છે. ઈયળની બીજી પેઢીથી વધુ મુશ્કેલી સર્જાય છે કારણ કે તેઓ તેનાં આશ્રયની આસપાસ વધતા ફળો પર નભે છે, અને વિપુલ પાવડર જેવું ભુસુ નિર્માણ કરે છે. એક લાર્વા લગભગ એક ડઝન ફળોને ખાય છે અને આમ તે નોંધપાત્ર નુકસાનનું કારણ બની શકે છે. ખોરાકના સ્થળો પર બોટ્રીટીસ સિનેરિયા ના રાખોડી રંગના ગૌણ ચેપથી પરિસ્થિતિ વધુ વણસી શકે છે. અન્યથા સુરક્ષિત રહી શકતાં, અડીને રહેલ ફળો, પણ વસાહતો ના કારણે કથ્થાઈ અને આવરિત બની શકે છે. યુરોપ અને એશિયામાં આ ફૂદાં દ્રાક્ષનું ઉત્પાદન કરતાં અનેક વિસ્તારો માટે ખૂબ જ ગંભીર જંતુ માનવામાં આવે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ટ્રાઇકોગ્રામા કેકોઈસીઆ અને ટી એવનેસસેન્સ જેવા પરોપજીવી ભમરી આ જંતુના ઇંડા માં ઇંડા મૂકે છે અને તેથી બગીચાઓમાં દ્રાક્ષના અંકુરમાં ફૂદાં નો નોંધપાત્ર ઉપદ્રવ ઘટાડી શકાય છે. વ્યાપક અસર કરતાં જંતુનાશકોના વધારે પડતા ઉપયોગ દ્વારા આ કુદરતી દુશ્મનોની વસ્તી ઘટે નહિ તેની ખાતરી કરો. ઇ એમ્બેગુએલા સામે અસરકારક કાર્બનિક જંતુનાશકો તરીકે સ્પીનોસેડ અને કુદરતી પાયરિથ્રિન પર આધારિત ઉત્પાદનોનો સમાવેશ થાય છે. છંટકાવથી સારવારની સંખ્યા ઉપદ્રવ પામેલ ફળોની સંખ્યા પર આધાર રાખે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો.ઇ એમ્બેગુએલા સામે અસરકારક જંતુનાશકોમાં પાયરિથ્રોઇડસ નો સમાવેશ થાય છે. જ્યાં વારંવાર આ સમસ્યા થતી હોય ત્યાં , મોર આવતા પહેલા જંતુનાશક લાગુ કરવા જરૂરી હોય છે, અને બીજી પેઢીને નિયંત્રિત કરવા માટે ઉનાળાના અંત માં લાગુ કરવાની જરૂર પડી શકે છે. છંટકાવથી સારવારની સંખ્યા ઉપદ્રવ પામેલ ફળોની સંખ્યા પર આધાર રાખે છે.ઈયળોની બીજી પેઢી નો ઉદભવ નક્કી કરવા માટે તાપમાન અને ભેજ નિર્ણાયક પરિબળો છે.

તે શાના કારણે થયું?

દ્રાક્ષના અંકુરના ફૂદાં યુપોસિલિયા એમ્બેગુએલા ની ઈયળની ખોરાક લેવાની પ્રવૃત્તિ ના કારણે લક્ષણો નિર્માણ થાય છે અને નુક્સાનગ્રસ્ત પેશીઓમાં વસાહતીકરણ બોટ્રીટીસ સિનેરિયા ફુગના કારણે થાય છે. પુખ્ત ફૂદાંને પીળા-કથ્થઈ રંગની, એક નજરે ઘેરા કથ્થાઈ રંગના પટ્ટા વાળી આગળની પાંખો અને રાખોડી રંગની જાળીવાળી પાછળની પાંખો હોય છે. માદા કીડા વસંતમાં ફૂલની કળી અથવા પુષ્પપત્ર પર અથવા ઉનાળાના મધ્ય ભાગમાં ફળો પર ઈંડા (પ્રતિ માદા 100 સુધી) મૂકે છે. 8-12 દિવસ પછી લાર્વા બહાર આવે છે. તેઓ કથ્થઇ-પીળા રંગના, 12 મીમી લાંબા અને સમગ્ર શરીર પર ફેલાયેલ વાળ વાળા હોય છે. બીજી પેઢીના પુપે તરીકે છાલ પરની તિરાડો અથવા અન્ય યોગ્ય જગ્યાએ ઠંડી દરમ્યાન ટકી રહે છે. ફુદાંનું જીવન ચક્ર તાપમાન અને ભેજ પર અત્યંત નિર્ભર છે. તે સામાન્ય રીતે ઠંડા અને ભેજવાળા વિસ્તારોમાં જોવા મળે છે, અને દર વર્ષે માત્ર બે પેઢી ધરાવે છે. 70% અથવા વધારે મહત્તમ ભેજનું સ્તર અને 18 થી 25° સે વચ્ચેનું તાપમાન વિકાસ માટે શ્રેષ્ઠ છે. ઓછા ભેજ અને તાપમાને ઈંડા સેવાયા વિના નિષ્ફળ બને છે.


નિવારક પગલાં

  • તમારા દેશને લાગતાં સંસર્ગનિષેધ વિનિયમો તપાસો અને શંકા હોય તો સક્ષમ સત્તાવાળાઓનો સંપર્ક કરો.
  • કળીઓ અથવા ફળોમાં ઉપદ્રવ જોવા માટે દ્રાક્ષના વેલાનું નિયમિત નિરીક્ષણ કરો.
  • ફૂદાંની સંખ્યા જાણવા માટે ફેરોમોન ટ્રેપ્સ વાપરો.
  • ફૂદાં પુપે તરીકે ઠંડી દરમ્યાન જમીન પર પડેલ પાંદડાંના કચરા માં ટકી રહેતાં હોવાથી, તેનો વસંતમાં ફેલાવો ઘટાડવા માટે દ્રાક્ષના વેલાનો કચરો દૂર કરો.
  • વૈકલ્પિક રીતે, સઘન માટીથી પાંદડાંના કચરાને આવરી લેવાથી પણ ઉદભવ થતો અટકાવી શકાશે.
  • આ બંને વિકલ્પો મોર આવતાં ના ત્રણ અઠવાડિયા પહેલાં પૂર્ણ કરી લેવા જોઈએ.
  • ઓછા ચેપના કિસ્સામાં, ઇજાગ્રસ્ત ફળોને હાથથી દૂર કરો.
  • સંભવિત ચેપગ્રસ્ત સામગ્રીનું અન્ય વિસ્તારમાં અથવા ખેતરોમાં પરિવહન થતું ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો