કાબુલી ચણા અને દાળ

કઠોળની શીંગમાં કાણું પાડનાર

Helicoverpa armigera

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ખોરાક તરીકે ઉપયોગથી ફૂલો અને શીંગો ને નુકસાન થાય છે.
  • શિંગો પર ગોળ કાણાં.
  • પાન ખરી શકે છે.


કાબુલી ચણા અને દાળ

લક્ષણો

લાર્વા છોડના દરેક ભાગ પર નાભિ શકે છે, પરંતુ તે ફૂલો અને શીંગો ને વધુ પસંદ કરે છે. શિંગો પર ખોરાક તરીકે ઉપયોગમાં લેવાથી તેમાં છિદ્રો જોઇ શકાય છે. ક્યારેક ખોરાક માટે લાર્વાને શીંગોની બહાર લટકતા જોઈ શકાય છે. જો ફૂલો અથવા શીંગો ઉપલબ્ધ ન હોય તો, લાર્વા પાંદડાં અને અંકુર ઉપર પણ નભી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

તમારા ખેતરની અંદર અને આજુબાજુ લાભદાયક પરોપજીવી જીવાત અને શિકારી હેલિકોવર્પની વસ્તી જાળવી રાખો. ટ્રાઈકોગ્રામા ભમરા, માઈક્રોપ્લાઇટીસ, હેટેરોપેલમા, નેતેલીયા એસપી., પરાક્રમી કીડા જેવાકે મોટી-આખો વાળા, ચમકદાર કવચ વાળા, કરોડરજ્જુ કવચ વાળા કીડા જંતુઓની વસ્તી મર્યાદામાં રાખવામાં મદદ કરે છે. કીડી અને કરોળિયા લાર્વા પર હુમલો કરે છે. એનપીવી(ન્યુક્લીઓપોલિહેડ્રોવાઈરસ), મેટરહીસિયમ એનિસોપીલીયા, બુવેરીયાઅનેબેસીલસ પર આધારિત જૈવિક-જંતુનાશકોનો પણ ઉપયોગ કરી શકાય. જંતુઓને નિયંત્રણમાં રાખવા માટે, બાગાયતી ઉત્પાદનો જેવાકે લીમડાનો અર્ક અને મરચાં અથવા લસણનો અર્ક વગેરેને પાંદડા પર છાંટી શકાય.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. રાસાયણિક અભિગમની જરૂરિયાતની ખાતરી કરવા વસ્તીના સ્તરની ચકાસણી કરો. આર્થિક સીમાનું સ્તર ત્રણ રાત્રિમાં એક રાતમાં 8 કીડા @4 છટકા/એકર રાખો. પાઇરેથ્રોઇડ પ્રમાણે જંતુઓએ ચોક્કસપ્રમાણમાં જંતુનાશકો પ્રત્યે પ્રતિકારક્ષમતા વિકસાવી હોય છે.

તે શાના કારણે થયું?

પુખ્ત જંતુ આશરે 1.5 સે.મી. લાંબુ અને પાંખની મહત્તમ લંબાઈ લગભગ 4.0 સે.મી. હોય છે. તેમના રાખોડી, કથ્થઇ શરીર પર રુવાંટીવાળું વક્ષઃસ્થળ અને આછા કાળા રંગની પાંખો સાથે ઘેરા કથ્થઈ રંગની પટ્ટીઓ અને ટપકાં હોય છે. પાંખો સફેદ અને પીળી કિનારીવાળી, પહોળો કાળો પટ્ટો ધરાવે છે. માદા ફુલવાળા અથવા જેની પર ફૂલ આવવાના હોય તેવા છોડ પર સફેદ ઈંડા મૂકે છે. લાર્વાનો આકાર તેમના તબક્કા પ્રમાણે બદલાઈ શકે છે, પરંતુ તે બધાને એક સરખી રીતે દુધિયું પેટ હોય છે. તે જેમજેમ મોટા થાય છે, તેના પર કાળા ટપકાં અને બે સફેદ અથવા પીળી લીટી નિર્માણ થાય છે. જીવનના દરેક તબક્કાનો સમયગાળોવાતાવરણની પરિસ્થિતિ પર આધાર રાખે છે, ખાસ કરીને તાપમાન અને ખોરાકની ઉપલબ્ધી.


નિવારક પગલાં

  • સક્ષમ જાતિ પસંદ કરો (દા.ત.
  • કો-6 અથવા કો-7).
  • વાવેતર દરમ્યાન છોડ વચ્ચે લઘુત્તમ અંતર રાખો.
  • લાભદાયક જંતુઓની વસ્તી જાળવી રાખવા તુવેર, ચોળા અથવા ચણા જેવા સરહદી પાકોનું વાવેતર કરો.
  • જંતુ આકર્ષિત કરવા માટે તમારા ખેતરની આસપાસ છટકા વાળા પાક (દિવેલી અથવા સેવંતી) નો ઉપયોગ કરો.
  • પક્ષીના વસવાટની વ્યવસ્થા કરો 10 / એકર.
  • તમારા પાકની વારંવાર ચકાસણી કરોઅને લાર્વાની હાજરી તપાસો.
  • પ્રકાશયુક્ત છટકા (1/5 એકર) નો ઉપયોગ કરો અને સાંજે તેનું અવલોકન કરો.
  • પેરા-ફેરોમોન છટકા (5/1 એકર) ગોઠવો.
  • સારા ખાતરની યોજના કરી એક મોટા અને મહત્વપૂર્ણ ઉછેરવાનો પ્રયાસ કરો.
  • ખેતરમાં વધુ પડતી સિંચાઈ ટાળો, કારણ તેનાથી જંતુઓ વધી શકે છે.
  • શિકારી માટે લાર્વા ખુલ્લા પાડવા, લણણી પછી ઓછામાં ઓછા 10 સે.મી.
  • ઊંડું હળ ચલાવો.
  • જંતુને વધતા અટકાવવા માટે, બિન-યજમાન જાતિઓ સાથે આંતર-પાકનું આયોજન કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો