કપાસ

છીકણી ગંધાતી જીવાત

Euschistus servus

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • બોલ ડાઘાવાળા અને મોટા હોય છે.
  • બીજ સંકોચાઈ શકે છે અને નવા બોલ પણ ખરી પડે છે.
  • બોલ્સની આંતરિક કાર્પલ દીવાલ પર ઉપસેલો ભાગ જોવા મળે છે.

માં પણ મળી શકે છે


કપાસ

લક્ષણો

કપાસના કાલા અને બોલ પર ગંધાતી જીવાત પોષણ મેળવે છે. તે મુખ્યત્વે જૂના પરિપક્વ બોલ પર હુમલો કરે છે, જે પછી ડાઘવાળા બને છે અને તેની અંદરની દિવાલ ઉપસે છે. આક્રમણ થયેલા બોલનાં બીજ સંકુચિત થઈ જાય છે અને બોલ ખુલી શકતા નથી. જો યુવાન બોલને નુકસાન પહોંચે, તો તેઓ ખરી શકે છે. બાહ્ય ઇજાઓ વાર્ટ સાથે જોડાયેલી છે, બોલના આંતરિક ભાગ પર ઉપસેલું જોવા મળે છે, ખાસ કરીને આંતરિક કાર્પલ દિવાલ પર વધુ ચોક્કસપણે જ્યાં કાણું પાડ્યું હોય છે. આના કારણે કપાસનું ઉત્પાદન ઓછું થઈ શકે છે અને જ્યાંથી તેઓ પોષણ મેળવે છે તેની નજીક કપાસમાં ડાઘ પડી શકે છે, જે ગુણવત્તાની દ્રષ્ટિએ સ્પષ્ટ નુકસાન છે. આ જીવાતોના લીધે બોલમાં સડો કરતી જીવાતોનો ચેપ સરળતાથી લાગી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

પેરાસિટીક ટેચિનિડ માખીઓ અને ભમરીઓ જે આ ગંધાતી જીવાતના ઇંડા ભેગા પોતાના ઇંડા મુકે છે અને તેમના લાર્વા પાછળથી તે કીડાને ખાય છે. ઉપદ્રવ ઘટાડવા માટે પક્ષીઓ અને કરોળિયા પણ મદદ કરી શકે છે. નીલગિરી યુરોગ્રેન્ડીસનું તેલ જીવાતો અને તેમના કીડા માટે ઝેરી છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. પાયરેથ્રોઇડ જૂથના જંતુનાશકોથી બીજ સારવાર કરવાથી અંકુશ લાવી શકાય છે અને રોપાઓના નુકસાનને ટાળી શકાય છે. ડીક્રોટોફોસ અને બાયફાન્થ્રીનના આધારિત જંતુનાશકો જીવાતોની વસ્તીને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

તે શાના કારણે થયું?

પુખ્ત જીવાતો સુરક્ષિત વિસ્તારો જેવા કે ખાડા, વાડની વચ્ચેની જગ્યાઓમાં અને મૃત છોડમાં, જમીન પર, પથ્થરો પર અને ઝાડની છાલ હેઠળ શિયાળો કાઢે છે. તેઓ વસંતના પ્રથમ ગરમ દિવસોમાં જ્યારે તાપમાન ૨૧ ડિગ્રી સેલ્સિયસથી વધે છે ત્યારે સક્રિય થાય છે. સામાન્ય રીતે પ્રથમ પેઢી જંગલી યજમાનો પર વિકસિત થાય છે, જ્યારે બીજી પેઢી વાવેતર પાકો પર વિકસે છે. દરેક માદા ૧૦૦ દિવસથી વધુના સમયગાળા દરમિયાન આશરે ૧૮ ઇંડાના જથ્થા મુકે છે, એક જથ્થામાં આશરે ૬૦ ઇંડા હોય છે. પુખ્ત વયની જીવાતો ઉડવામાં કુશળ હોય અને નીંદણ તથા અન્ય વૈકલ્પિક યજમાનો વચ્ચે સરળતાથી ફરે છે.


નિવારક પગલાં

  • વધારે વસ્તીને ટાળવા માટે શરૂઆતમાં વાવણી કરો.
  • જંતુની હાજરી જાણવા માટે નિયમિતપણે ખેતરની દેખરેખ રાખો.
  • ખેતરમાંથી નીંદણને દૂર કરો.
  • ખેતર વચ્ચે બનાવેલ અવરોધ જીવાતના સ્થાનાંતરણને ઘટાડવા માટે મદદ કરી શકે છે.
  • લણણી પછી છોડના કચરાને દૂર કરો.
  • ખેતર ના ખેડવાથી અથવા કાદવની હાજરી ઉપદ્રવના જોખમને સમર્થન આપે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો