સોયાબીન

દક્ષિણી લશ્કરી ઈયળ

Spodoptera eridania

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા હાડપિંજર જેવા બને છે.
  • શીંગો માં છિદ્રો.
  • પાંદડા પર જૂથમાં લીલાશ પડતા સફેદ ભીંગડાના આવરણ વાળા ઇંડા.
  • લાર્વા સફેદ કણો અને લાલાશ પડતાં કથ્થઈ માથા સાથે કાળા રંગના શરીરવાળા હોય છે.

માં પણ મળી શકે છે


સોયાબીન

લક્ષણો

યુવાન લાર્વા નિશાચર છે અને તે જૂથમાં પાંદડાની નીચેની સપાટીને ખાય છે, ઘણી વખત પાંદડાને હાડપિંજર જેવું બનાવી દે છે. તે પુખ્ત બનતા એકાકી બની જાય છે, અને શીંગોમાં કાણું પાડે છે. જ્યારે ખોરાકના અભાવ વર્તાય છે ત્યારે, તેઓ શાખાઓનો વિકાસ પામતો ભાગ ખાય અને થડની પેશીઓમાં કાણું પાડે છે. સોયાબીન જ ઉગાડવામાં આવતાં ખેતરમાં, તે ઝડપથી વિકાસ પામે છે અને પાનખર માટે ઉચ્ચ ક્ષમતા ધરાવે છે. તેઓ સોયાબીન માટે એક મહત્વપૂર્ણ જંતુ બની શકે છે, પાકમાં નુકસાન અને આર્થિક ખોટ નિર્માણ કરે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ઉપદ્રવને ઘટાડવા માટે, કુદરતી પ્રતિસ્પર્ધીઓને પ્રોત્સાહિત કરો. ઉદાહરણ તરીકે કોટેસિયા મરજીનિવેન્ટ્રીસ, કેનોન્સ ઇન્સુલરીસ, મેતેઓરસ ઓટોગ્રૅફે, એમ. લેફિગ્મે અથવા કેમ્પોલેટીસ ફલેસિસ્ટિન્કટ જેવી ભમરી. અન્ય લાભદાયક જંતુઓમાં લેસવિન્ગ્સ અને લેડીબર્ડ નો સમાવેશ થાય છે. કેટલાક પક્ષીઓ પણ પુખ્ત ફૂદાં પર નભે છે. તમે બેઉવેરીએ બેસીયાના ફૂગથી પણ લાર્વાને ક્ષતિગ્રસ્ત કરવાનો પ્રયાસ કરી શકો છો. લાર્વાની ખાવાની પ્રક્રિયા રોકવા માટે તમે લીમડાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. જોકે, લાર્વાને બાગાયત જંતુનાશકો સાથે નિયંત્રિત કરવા ઘણા મુશ્કેલ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જયારે ઈયળ પ્રારંભિક તબક્કામાં હોય, ત્યારે દક્ષિણી લશ્કરી ઈયળને નિયંત્રિત કરવા માટે પાંદડાં પર જંતુનાશકોનો છંટકાવ કરો. જંતુનાશકો લાર્વા પર તેમની ઝેરી અસર માટે નોંધપાત્ર રીતે અલગ પડે છે. આ જંતુ સામે કૃત્રિમ પરોપજીવી જૂથના રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે.

તે શાના કારણે થયું?

દક્ષિણી લશ્કરી ઈયળ, સ્પોડોપ્ટેરા ઈરીડેનીયા, ના લાર્વા કારણે નુકશાન થાય છે. પુખ્ત ફૂદાં રાખોડી-કથ્થાઈ રંગના સાથે આગળની પાંખો રાખોડી રંગની અને પાછળની પાંખ નિર્મળ સફેદ રંગની અર્ધપારદર્શક હોય છે. પાંખોની મધ્યમાં એક વાલ આકારનું ટપકું હોઈ શકે છે. માદા પાંદડાની નીચેના ભાગમાં જૂથોમાં લીલાશ પડતા ઇંડા મૂકે છે, જે તેમના શરીરમાંના સફેદ ભીંગડાથી આવરીત હોય છે. લાર્વા સફેદ કણો અને લાલાશ પડતાં કથ્થઈ માથા સાથે કાળા રંગના શરીરવાળા હોય છે. પીઠ પર એક આછી સફેદ રેખા દેખાય છે, અને બાજુ પર પીળા પટ્ટાઓ હોય છે. લાર્વાના પાછળના તબક્કે, તેમની ચામડી આછી બને છે, તેમની પીઠ પર કાળા ત્રિકોણની બે પંક્તિઓ હોય છે અને પ્રથમ ભાગમાં એક શ્યામ વર્તુળ હોય છે. તેમના વિકાસ માટે 20-25° સે તાપમાન શ્રેષ્ઠ હોય છે, 30° સે થી વધુ તેમના જીવન-ચક્રને નબળું બનાવે છે.


નિવારક પગલાં

  • અગાઉના 3 મહિનાથી જંતુમુક્ત હોય તેવી જગ્યાએથી મેળવેલ છોડનો જ ઉપયોગ કરો.
  • પ્રમાણિત રોગ મુક્ત બીજ જ વાપરો.
  • ફૂદાંને પકડવા માટે ફેરોમોનના છટકાં વાપરો અને તમારા ખેતરનું નિરીક્ષણ કરો.
  • ઇંડા અથવા ઇયળોથી અસર પામેલ છોડના ભાગને ચૂંટી કાઢો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો