શેરડી

દાંડી માં કાણું પાડનાર જાંબલી જીવાત

Sesamia inferens

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • દાંડી અથવા ફળના પાયામાં કાણા.
  • પેશીઓનું કરમાઈ જવું.
  • દાંડી પર 'મૃત હૃદય'ના લક્ષણ.
  • રુવાંટીવાળું માથા અને શરીરવાળા નાના, આછા બદામી ફુદા.
  • ઈયળો લાલ-બદામી માથાવાળી ગુલાબી રંગની હોય છે.

માં પણ મળી શકે છે


શેરડી

લક્ષણો

મુખ્યત્વે ઈયળો ના ખોરાક પ્રવૃત્તિ ના કારણે પાકને નુકસાન થાય છે. તેઓ દાંડી અથવા ઝૂમખાં ના પાયામાં કાણા પાડે છે અને આંતરિક તત્વો પર નભે છે, પોષકતત્વો અને પાણીનું પરિવહન અવરોધે છે. દાંડી અને ઝૂમખાં પર ઈયળોના બહાર નીકળવાના છિદ્રો પણ જોઇ શકાય છે. પુરવઠા નો અભાવ કારણે અસરગ્રસ્ત છોડના ભાગો નમી છે. જ્યારે દાંડી ને લંબાઈમાં ખોલવામાં આવે , ત્યારે તેની અંદર 'મૃત હૃદય' ના લક્ષણો , લાર્વાની હાજરી અને ભુકા (ફ્રાસ્સ) જેવું દેખાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ટેલેનોમીઅસ અને ત્રિકોગ્રામા જૂથોના કેટલાક પરોપજીવી ભમરી સેસમીઆ ઇન્ફેરન્સ ના ઈંડામાં તેમના ઈંડા રાખે છે અને વસ્તી નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, અંકુરણ પછી 12 અને 22 દિવસે ત્રિકોગ્રામા ચીલોનીસ (હેક્ટરદીઠ 8 કાર્ડ્સ) પરોપજીવો ના ઈંડા છોડવા.એપેન્ટિલેસ ફ્લેવીપ્સ,બ્રકોન ચાઇનેન્સિસ અને સ્ટર્મિઓપસિસ ઇન્ફેરેન્સ દ્વારા લાર્વાનું પણ પરોપજીવીકરણ કરવામાં આવે છે. છેલ્લે, ઝેન્થોપીનપ્લ અને ટેટ્રાસ્ટિક્સ પ્રજાતિઓ દ્વારા પુપા પર હુમલો કરવામાં આવે છે. દાંડી માં કાણું પાડનાર જાંબલી જીવાત સામે બ્યુવેરીયા બેસીયાના ફૂગ અને બેસીલસ થુરીનજેનેસીસ બેક્ટેરિયા ના અર્ક પર આધારિત બાયો-જંતુનાશકો પણ અસરકારક છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જંતુઓની વસ્તી નિયંત્રિત કરવા માટે પર્ણસમૂહ પર જંતુનાશકો સાથે પ્રોફીલેક્ટીક સારવાર, દાણા સ્વરૂપે અથવા છંટકાવ કરી (ઉદાહરણ તરીકે ,ક્લોરેન્ટ્રીનિલીપ્રોલ સાથે) શકાય છે.

તે શાના કારણે થયું?

લક્ષણો દાંડી માં કાણું પાડનાર જાંબલી જીવાત, સેસમીઆ ઇન્ફેરન્સ, ને કારણે થાય છે. લાર્વા શિયાળા દરમ્યાન પુપા તરીકે દાંડી અથવા જમીનપરના છોડના અવશેષો ની અંદર રહે છે અને વસંત ઋતુ માં જયારે વાતાવરણ અનુકૂળ થાય છે ત્યારે પુખ્ત થઈ બહાર આવે છે. ફુદા માથા અને શરીર પર રુંવાટીવાળા ,નાના, જાડા અને આછા બદામી હોય છે. આગળની પાંખો સોનેરી આભા સાથે રંગીન હોય છે. પાછળની પાંખો પીળાશ નસો સાથે સફેદ અર્ધપારદર્શી હોય છે. સ્ત્રીઓ શિકારી થી બચાવવા માટે પર્ણ આવરણથી પાછળ સંખ્યાબંધ હરોળમાં, ગોળાકાર, નિસ્તેજ અને પીળાશ પડતા લીલા ઇંડાના ઝુમખા મૂકે છે. ઈયળ લગભગ 20 થી 25 મીમી લાંબી, ગુલાબી રંગની, લાલ- બદામી માથાવાળી પટ્ટા વગરની હોય છે. તેઓ દાંડી માં કાણા પાડે છે અને તેની આંતરિક પેશીઓ પર નભે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો વધુ સ્થિતિસ્થાપક જાતોનું વાવેતર કરો.જંતુઓ ની વસ્તીના નિર્માણને ટાળવા માટે અન્ય ખેડૂતો સાથે સુમેળ કરી વાવેતર કરો.
  • એક સાથે પાકવાના લક્ષણો ધરાવતી જાતો સાથે વાવણી કરો.
  • વહેલું વાવેતર પણ જંતુઓ નો વસતી વધારો ટાળવામાં મદદ કરી શકે છે.
  • પર્ણસમૂહમાં ફુદા નો પ્રવેશ અટકાવવા માટે ગીચ (નજીક નજીક) વાવેતર કરો.
  • કઠોળ સાથે પાકની ફેરબદલી કરો.જંતુને આકર્ષવા માટે બધી બાજુઓ પર 2-3 ચાસ જુવાર જેવા છટકું પાકનું વાવેતર કરો.
  • ખેતરનું નિયમિતપણે નિરીક્ષણ કરો અને ચેપગ્રસ્ત છોડના ભાગ દૂર કરો.
  • નાઇટ્રોજનનું શ્રેષ્ઠત્તમ સ્તર જાળવો અને સમયસર તેના ઉપયોગ ની ખાતરી કરો.
  • ખાતરની અંદરનું અને આસપાસનું નીંદણ દૂર કરો.
  • સારી રીતે પાણીના વ્યવસ્થાપનની ખાતરી કરો.
  • લણણી પછી પાકના કચરાનો નાશ કરો.
  • છોડમાં બિન-યજમાન સાથે લાંબા ગાળાના પાકના ફેરબદલની યોજના કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો