જુવાર

જુવાર ઠીંગણા કીડા

Stenodiplosis sorghicola

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • સંકોચાયેલ, દૂષિત, પોલા અથવા કુશકી બીજ.
  • ફૂગવાળા અથવા શાપિત ડૂંડા.
  • જ્યારે ઠાંસીને ભરવામાં આવે, લાલ સ્ત્રાવ દેખાય છે.
  • તેમના ડૂંડાંની ટોચ પર નાના, પારદર્શક ઠીંગણાં પુપે જોઈ શકાય છે.
  • ઠીંગણા કિડાં લાંબી મૂછો, તેજસ્વી નારંગી શરીર અને પારદર્શક પાંખો સાથે મચ્છર જેવો દેખાવ ધરાવે છે.

માં પણ મળી શકે છે

1 પાક

જુવાર

લક્ષણો

લાર્વા ડૂંડાંની અંદર વિકાસશીલ અનાજ પર નભે છે અને તેનો વિકાસ અટકાવે છે. જેનાથી બીજ નરમ, દૂષિત, પોલા અને કુશકી થઈ જાય છે. પુખ્ત પાક માં, અસરગ્રસ્ત ઝૂમખાં ફૂગવાળા અથવા શાપિત ડૂંડા દેખાય છે. તેમના ચેપગ્રસ્ત ડૂંડાંની ટોચ પર નાના, પારદર્શક ઠીંગણાં પુપે જોઈ શકાય છે. જ્યારે ઠાંસીને ભરવામાં આવે, લાલ સ્ત્રાવ દેખાય છે, જે ઠીંગણું લાર્વા અથવા પુપે માંથી નિર્માણ થાય. ભારે હુમલાના કિસ્સામાં સમગ્ર ડૂંડું સામાન્ય અનાજ વગરનું ખાલી હોઈ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

યૂપેલમસ, યૂપેલમીડે, ટેટ્રાસ્ટિચમ અનેએપ્રોસ્ટોસીટસ પરિવારની નાની કાળી પરોપજીવી ભમરી (એ ડિપ્લોસીડીસ, એ કોઇમહંતોરેન્સિસ, એ ગાલા) એસ સોરઘીકોલા ના લાર્વા પર નભે છે અને તેને ખેતરોમાં છોડવાથી તેની વસ્તી ઘટાડી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ખેતરમાં, આ કીડા માટે રાસાયણિક નિયંત્રણ મુશ્કેલ હોઈ શકે છે, કારણ કે લાર્વા, પુપે, અને ઇંડા અનાજના ડૂંડાંની અંદર સુરક્ષિત હોય છે. જંતુનાશકોનો ઉપયોગ કાળજીપૂર્વક, જેથી જયારે પુખ્ત કીડા ફૂલ દરમિયાન સવારે બહાર ત્યારે કરવો. અન્ય પરિસ્થિતિમાં, સારવાર બિનઅસરકારક રહેશે. ક્લોરફિરિફોસ, સાયફલુથ્રિન, સયથેલોથ્રિન, એસિફેણવાલેરેટ અથવા મેલેથીઓન સમાવતી ફોર્મ્યુલા વાપરી શકાય છે. લણણી પછી, જુવારને તેના ડૂંડામાં રહેલ લાર્વાને મારવા માટે ફોસફીનની ધૂણી આપી શકાય. આનાથી જંતુ નવા વિસ્તારોમાં ફેલાવવાની તક ઘટશે.

તે શાના કારણે થયું?

લક્ષણો મુખ્યત્વે જુવારમાંના ઠીંગણાં કીડા, સ્ટેનોડીપ્લોસિસ સોરઘીકોલા ના લાર્વાના કારણે નિર્માણ થાય છે. પુખ્ત કીડા તેજસ્વી નારંગી શરીર, પારદર્શક પાંખો અને ખૂબ લાંબી મૂછો સાથે મચ્છર જેવો દેખાવ ધરાવતા હોય છે. તાપમાન અને ભેજમાં વધારો થતા, તેઓ તેમના અનાજના સ્થાનમાંથી બહાર આવે છે અને એક કલાકમાં જ ગર્ભધારણ કરે છે. થોડા સમય બાદ, માદા દરેક ડૂંડાના કાંટામાં 1 થી 5 નાના, નળાકાર અને પારદર્શક ઇંડા મૂકે છે. 2 થી 3 દિવસમાં જ યુવાન, રંગહીન લાર્વા ઇંડામાંથી બહાર આવે છે અને વિકાસશીલ અનાજની નાજુક પેશીઓ પર નભે છે. 10-15 દિવસ સતત ખોરાક લીધા પછી, પુખ્ત ઘેરી નારંગી લાર્વા અનાજ અંદર વિકસે છે, એક પુખ્ત લાર્વા તરીકે ના 3 થી 5 દિવસ પહેલા અને ફરીથી ઉપરનું ચક્ર શરૂ કરે છે. લણણી બાદ, લાર્વા હજુ પણ અનાજ જ નિષ્ક્રિય રહે છે જ્યાં તેઓ 3 વર્ષ માટે આરામથી રહી શકે છે.


નિવારક પગલાં

  • તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો, પ્રતિકારક અથવા સ્થિતિસ્થાપક જાતોનું વાવેતર કરો.
  • જુવાર એકસરખી રીતે એક જ સમયે અને ઊંડાઇએ વાવો.
  • સિઝનમાં વહેલા વાવેતર કરો.
  • ખેતર અને આસપાસ માંથી જંગલી જુવાર, જ્હોન્સન ઘાસ અને સુદાન ઘાસ જેવા વૈકલ્પિક યજમાનો દૂર કરો.
  • ખેતરને સારી સ્વચ્છતાની ખાતરી કરો.
  • રોગને વધુ ફેલાતો અટકાવવા ચેપગ્રસ્ત ડૂંડાને દૂર કરો.
  • લણણી પછી છોડના અવશેષોને દૂર કરો અથવા બાળી દો.
  • પાકની ફેરબદલીની એક સારી(કપાસ, મગફળી, સૂર્યમુખી અથવા શેરડી) પદ્ધતિનો અમલ કરો.
  • જુવાર સાથે આંતરપાક તરીકે તુવેર, કપાસ, સોયાબીન, ચોળા, કુસુમ (કૅથેમસ ટીંક્ટોરિયસ) અથવા અન્ય કઠોળની વાવણી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો