અન્ય

ટપકાવાળા ડાળીના ખાણીયા

Chilo partellus

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર અનિયમિત ખોરાકના ડાઘ, છિદ્રો અને બારી.
  • અસરગ્રસ્ત દાંડી પર- "મૃત હૃદય"ના લક્ષણ.
  • અટકેલો વિકાસ.
  • સફેદ રંગની સમાન આગળની અને પાછળની પાંખો સાથે આછા બદામી રંગની ઈયળો.

માં પણ મળી શકે છે


અન્ય

લક્ષણો

ટપકાવાળા ડાળીના ખાણીયા ની યુવાન ઇયળો છોડની નાજુક પેશીઓ પર નભે છે. તેઓ પાંદડાં અને પાંદડાના વમળો માં ખાણ છે જેના કારણે અનિયમિત ડાઘ , છિદ્રો અને બારીઓ થાય છે. જૂના લાર્વા દાંડીમાં ખાણ કરે છે અને આંતરિક પેશીઓ પર નભે છે, જેનાથી પાણી અને પોષકદ્રવ્યો નું પરિવહન અવરોધાય છે. આ ખોરાક પ્રવૃત્તિને કારણે કહેવાતા 'મૃત હૃદય' જેવા લક્ષણ પરિણમે છે , જ્યાં પોલી દાંડી ની અંદર માત્ર ઇયળો અને તેમની ફ્રાસ્સ જોઇ શકાય છે. છોડનો ઉપરના ભાગ અંશતઃ અથવા સંપૂર્ણપણે સુકાઈ જાય છે. પ્રારંભિક અસરગ્રસ્ત છોડની વૃદ્ધિ અટકી જાય છે અને તેનો નાશ પણ થઈ શકે છે. જુની ઇયળો ડાંડામાં પણ વ્યાપક ખાણ બનાવે છે. એકંદરે, ખોરાક પ્રવૃત્તિથી ફુગજન્ય અથવા જીવાણુથી થતા રોગની શક્યતા અને ગંભીરતા વધી જાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

કોટેસિયા સેસામીએ, સી ફ્લેવીપસ અને ત્રિકોગ્રામા ચીલોનીસ જૂથોના કેટલાક પરોપજીવી ભમરી ટપકાંવાળાં ડાળીના ખાણીયા ના લાર્વા માં ઇંડા મૂકે છે. બીજી ભમરી, ઝેન્થોપીમ્પલા સ્ટૅમમેટર ,જ્યારે તે પુપલ તબક્કામાં હોય છે ત્યારે જંતુઓ પર હુમલો કરે છે. કુદરતી શિકારીમાં ઇરવિગ્સ અને કીડીઓ નો સમાવેશ થાય છે. તેઓ અસરકારકરીતે વસ્તી નિયંત્રણ કરે છે. છેલ્લે, ગોળ ઘાંસ (મેલીનીઝ મિનટીફ્લોરા) અથવા ગ્રીનલીફ ડેસ્મોડીયમ (ડેસ્મોડીયમ ઇન્ટોરટમ) જેવા છોડ અસ્થિર એજન્ટો પેદા કરે છે કે જે ફુદા ને ઓછા કરે છે. બેસીલસ થુરીનજેનેસીસ, લીમડાના તેલનો અર્ક અથવા બ્યુવરીયા બસ્સીયાનાં પર આધારિત તૈયારીઓ નો પણ જંતુ નિયંત્રણ માટે ઉપયોગ થાય છે.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ઉપજને થતા નુકશાન ની શક્યતાઓ અને વિસ્તારની જૈવવિવિધતાને થતા નુકસાન સામે જંતુનાશકો ના ઉપચાર નો ભારાંક કરવો જોઈએ. ડેલ્ટામેથ્રિન અથવા ક્લોરેન્ટ્રીનીલીપ્રોલ પર આધારિત જંતુનાશકો ના દાણાનો વલયમાં ઉપયોગ ટપકાંવાળાં મકાઈ ના ડાળીના ખણીયા સામે નિયંત્રણ આપી શકે છે.

તે શાના કારણે થયું?

પુખ્ત ફુદા આછા કથ્થઈ રંગના અને 20 થી 25 એમએમ પાંખની લંબાઈવાળા હોય છે. તેમની આગળની પાંખો અમુક ઘાટી રચનાવાળી આછી કથ્થઈ હોય છે જ્યારે પાછળની પાંખો સફેદ હોય છે. પુખ્ત ઈયળો રાત્રે સક્રિય થાય છે અને દિવસ દરમિયાન છોડ અને છોડના અવશેષો પર આરામ કરે છે. સ્ત્રીઓ પાંદડાની સપાટી પર 10-80 ઈંડાના ઝૂમખામાં ક્રીમી સફેદ ઇંડા મૂકે છે. ઈયળોને લાલાશ- કથ્થઈ માથું અને લાંબી ઘાટ્ટી પટ્ટીઓ અને પીઠ પર ઘાટ્ટા ટપકાવાળું આછા કથ્થઈ રંગનું શરીર હોય છે,તેથીજ તેમનું આવું નામ છે. યજમાન છોડની શ્રેણી વિશાળ છે જેમાં જુવાર, બાજરી અને મકાઈનો સમાવેશ થાય છે. ઈયળોના જીવન ચક્ર પર આબોહવાની પરિસ્થિતિઓની નોંધપાત્ર અસર થાય છે. ગરમ અને પ્રમાણમાં ભેજવાળી સ્થિતિ ખાસ સાનુકૂળ છે.સામાન્ય રીતે આ જંતુ ગરમ નીચાણવાળા વિસ્તારોમાં થાય છે અને ભાગ્યેજ 1500 મીટરની ઊંચાઇ પર થાય છે.


નિવારક પગલાં

  • જો સ્થાનિકરીતે ઉપલબ્ધ હોય તો, રોગપ્રતિરોધક જાતોનો ઉપયોગ કરો.
  • ખોરાકને કારણે થતું નુકસાન જાણવામાટે ખેતરનું નિયમિતપણે નિરીક્ષણ કરો.ટપકાવાળા ડાળીના ખાણીયા ની ઈયળો ને નિવારવા માટે કઠોળ, અથવા ચોળા અને ગળ્યું ઘાસ (મેલીનીઝ મિન્યુટીફ્લોરા) સાથે પાકની ફેરબદલી કરો.
  • જંતુને રોકવા માટે છોડની મહત્તમ ગીચતા જાળવો.
  • બધી બાજુઓ પર છટકું પાક ના 2-3 ચાસ ની વાવણી કરો.
  • ખેતરની આસપાસ છોડ અથવા ફેરોમોન છટકાનો ઉપયોગ કરો.
  • ચેપગ્રસ્ત છોડને શરૂઆતમાં જ દૂર કરો.
  • નિંદામણ અને વૈકલ્પિક યજમાન નું નિરીક્ષણ કરો અને તેમને દૂર કરો.
  • જંતુઓની વસ્તીમાં ટોચનો વધારો અને તેમની ટોચની ખોરાક પ્રવૃત્તિ ટાળવા માટે વહેલા અથવા મોડે થી વાવેતર કરો.
  • તાજા ભરાવદાર છોડ મેળવવા માટે સારા ખાતર ખાતરી કરો પરંતુ નાઇટ્રોજન નો વધારે પડતો ઉપયોગ ટાળો જેનાથી જંતુઓનો હુમલો વધી શકે છે.
  • બિન-યજમાન પાક (દાખલા તરીકે કસાવા) સાથે વ્યાપકરીતે પાક ની ફેરબદલ કરો.લણણી પછી પાકના બધા અવશેષો દૂર કરો અને તેમનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો