બાજરી

ડૂંડાના ખાણિયા

Heliocheilus albipunctella

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • આ ઈયળ બાજરીના વિકાસશીલ ડૂંડામાં થતા દાણા પર નભે છે.
  • બીજનો ગર્ભપાતના લક્ષણ મોરના ડૂંડાની સપાટી પર ઊભા સર્પાકાર રસ્તાથી જોઈ શકાય છે.
  • સામાન્યરીતે ઉપજમાં ઘટાડો, આછા પીળાશ પડતા લાર્વા, જે પાછળથી લાલ અથવા ગુલાબી રંગમાં પરિણમે છે.

માં પણ મળી શકે છે

1 પાક

બાજરી

લક્ષણો

ડૂંડાના ખાણિયા નું જીવન ચક્ર, પૂર્ણપણે બાજરીના છોડ વિકાસ સાથે સંકળાયેલ છે. ઇંડામાંથી બહાર નીકળ્યા બાદ ઈયળ મોરના ડૂંડાને જ ખાય છે અને તેનો લાર્વાના વિકાસનો તબક્કો તેમાં જ પૂર્ણ કરે છે. જયારે બીજનું ડૂંડું વિકસે છે, નાનકડા લાર્વા બાજરીને ફેંદી નાખી અને તેના ફૂલોને ખાય છે, જ્યારે પુખ્ત લાર્વા મોરની ડાળીને કાપે છે જેનાથી દાણાની રચના અટકી જાય છે અથવા તૈયાર થયેલ અનાજ ખરી પડે છે. લાર્વા પુષ્પ અને પુષ્પદંડ વચ્ચેનો ભાગ ખાય જતા હોવાથી, વિકાશ પામતાં ફૂલો અથવા અનાજ ના નુકશાનમાં વધારો કરે છે , જેનાથી બાજરીના ડૂંડા પર સર્પાકાર ભાત નિર્માણ કરે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

હેબ્રોબ્રાકોન હેબિટર ડૂંડાના ખાણીયા માટે એક કુદરતી પરોપજીવી છે અને કેટલાક આફ્રિકાના ઉપદ્રવ પામેલા દેશમાં છોડવામાં આવ્યા હતા, જેથી કેટલાક કિસ્સામાં 97% સુધી મૃત્યુદર પહોંચી ગયો હતો અને અનાજના ઉત્પાદનમાં નોંધપાત્ર લાભ થયો હતો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. અત્યાર સુધીમાં, એવું કોઈ રાસાયણિક યુક્તિ નથી મળી કે જે એચ. એલ્બીપંકટેલા પર અસરકારક અંકુશ પ્રદાન કરે છે.

તે શાના કારણે થયું?

બાજરીના ડૂંડાના ખાણીયા,હેલિયોચેઈલસ, ના કારણે આ લક્ષણો થાય છે. પુખ્ત ફુદા નો સમયગાળો બાજરી મોર અને મોરના ડૂંડાના ઉદભવ સાથે એકરુપ હોય છે. માદા એક અથવા નાના સમૂહમાં પર્ણદંડ અથવા પુષ્પના મૂળમાં અથવા વહેલા પુષ્પ આવવાના કિસ્સામાં પુષ્પદંડ પર ઇંડા મૂકે છે. ઇંડામાંથી બચ્ચાં બહાર આવે પછી, તે પુષ્પાબીજના દંડને ખાય છે, અને જૂના સર્પાકાર બોગદા જેવી લાક્ષણિકતા નિર્માણ કરે છે. પૂર્ણ વિકસિત લાર્વા વળાંક વાળા લાલ અથવા ગુલાબી બને છે અને જમીન પર પડે છે, જ્યાં તે માટીમાં પ્રવેશે છે અને વધે છે. તેઓ નો આખી સૂકી મોસમ દરમ્યાન વિકાસ અટકેલો હોય છે અને પછી વરસાદની મોસમમાં પુખ્ત થઈને બહાર આવે છે. આ જંતુ પશ્ચિમ આફ્રિકાના સાહેલીઅન પ્રદેશમાં મોતી બાજરી ઝૂમખાંમાં સૌથી વધુ નુકસાનકર્તા જંતુ તરીકે નામાંકિત છે.


નિવારક પગલાં

  • મોરના ડૂંડા અને જમીનનું લાર્વા માટે નિયમિત નિરીક્ષણ કરો.
  • મોરના ડૂંડાને દૂર કરો અને ખેતરથી દૂર દફનાવી અથવા બાળીને તેનો નાશ કરો.
  • ટૂંકા ગાળાની બાજરીની જાતો (75 દિવસમાં પરિપક્વ થતી) માટે વાવેતરમાં બે સપ્તાહ વિલંબ કરવાથી પાકના સંવેદનશીલ સમયગાળામાં સુમેળ થતો અટકાવવામાં મદદ કરી શકે છે.
  • લાર્વા અને ઈયળને છતી કરવા, લણણી પછી ઊંડા ખેડાણની ખાતરી રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો