અન્ય

યુરોપિયન નાના લાલ કીડા

Panonychus ulmi

સૂક્ષ્મ જીવાત

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર આછા બ્રોન્ઝ રંગના કણ, જે કાંસા જેવા અથવા કટાઈ ગયેલ-કથ્થઈ રંગ જેવી વિકૃતિ ધારણ કરે છે.
  • પાંદડાઓ વિકૃત બને અથવા ઉપર તરફ વળી જાય છે.
  • લાકડાનો વિકાસ ઓછો થાય છે, ફળો ઓછા પાકે છે અથવા અકાળે ખરી પડે છે.

માં પણ મળી શકે છે

8 પાક
બદામ
સફરજન
જરદાળુ
ચેરી
વધુ

અન્ય

લક્ષણો

હળવા ઉપદ્રવ હેઠળ, મુખ્ય શિરા પાસે પાંદડા પર આછા બ્રોન્ઝ રંગના કણ દેખાય છે. અતિ સૂક્ષ્મ જંતુઓની વસ્તી વધે તેમ, નાના કણો, કે જે કીડાના ચૂસવાની પ્રવૃત્તિથી નિર્માણ થાય છે, તે સમગ્ર પાંદડાં પર ફેલાઈ શકે છે. પાંદડા ઉપર તરફ વળી જાય છે અને પાંદડાની ઘટા કાંસા જેવા અથવા કટાઈ ગયેલ-કથ્થઈ રંગ જેવી વિકૃતિ ધારણ કરે છે. પાંદડાં અને કળીઓને નુકસાન વૃક્ષમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા ઘટે છે અને જે અંકુરની નબળી વૃદ્ધિ, લાકડાનો અપુરતો વિકાસ, ફળો ઓછા પાકવા અથવા અકાળે ખરી પડવામાં પરિણમે છે. આ અંકુરની શિયાળામાં ઠાર પ્રત્યે સંવેદનશીલતા વધારે છે અને પછીની ઋતુમાં ફૂલનું પ્રમાણ ઘટાડે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ફળોની વાડીમાં શિકારી જીવાતના ઉપયોગ સારું જૈવિક નિયંત્રણ પૂરું પાડે છે. ફૂલની ભમરી, લેડીબગ, કેપસિડ બગની કેટલીક જાતો, તેમજ પારદર્શક પાંખવાળા મીરિડ ફૂદાં(હેલીઓડસ વીટ્રીપેનિસ) અથવા સ્ટેથોરસ પંક્તમ નો વધુ કુદરતી પ્રતિસ્પર્ધીઓમાં સમાવેશ થાય છે. મંજૂર થયેલ થોડી ક્ષમતા વાળું તેલ પણ વાપરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો સીમા ઓળંગાઈ જાય, અને જો શિયાળામાં અંકુરની ટોચ પર લાલ ઇંડાની વસાહત જોવા મળે તો, તો એકેરીસાઈડ્સ અથવા સૂક્ષ્મણશાકનો ઉપયોગ કરી શકાય છે. સામાન્ય રીતે, રાસાયણિક સારવારનો ઉપયોગ ઓછામાં ઓછો રાખવા પ્રયાસ કરો. આનાથી લાભદાયક જંતુઓની વસતીને અસર થઇ શકે છે અને આ સૂક્ષ્મ જંતુઓની કેટલાક પ્રજાતિમાં પ્રતિકાર નિર્માણ થઇ શકે છે. તેમની સંખ્યા ઘટાડવા માટે બાગાયાત તેલનો પણ ઉપયોગ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

આ લક્ષણો યુરોપિયન લાલ સૂક્ષ્મ જંતુ(પેનોનીચસ ઉલમી)ની ખોરાકની પધ્ધતિથી નિર્માણ થાય છે, જે મોટી સંખ્યામાં પોમ અને કડક ફળને, તેમજ દ્રાક્ષને નુકશાન કરી શકે છે. નર કીડા પીળાશ પડતાં લાલ રંગના, પીઠ પર બે લાલ ફોલ્લીઓ અને લગભગ 0.30 મીમી લાંબુ હોય છે. માળા સહેજ વધુ લાંબી (0.35 એમએમ) અને નર કરતા વધુ લંબગોળ હોય છે. તે લાલ ઈંટ જેવા રંગનું શરીર અને પીઠ પર મોતી જેવા ટપકાં માંથી બહાર આવતા મજબૂત સફેદ વાળ તેની લાક્ષણિકતા છે. તે મુખ્યત્વે ઉનાળાના દરમ્યાન થડની છાલ, ફળોના પુષ્પકોશ અથવા નિષ્ક્રિય કળીઓમાં અને વસંત દરમ્યાન પાંદડાની નીચેની બાજુ પર લાલ ઇંડા મૂકે છે. દર વર્ષે પેઢીની સંખ્યા તાપમાન અને ખાદ્ય પુરવઠા પર આધાર રાખે છે જે ઠંડા હવામાન દરમ્યાન 2-3 અને હુંફાળી આબોહવામાં 8 સુધીનો હોય છે. નાઇટ્રોજનનો વધુ પડતો પુરવઠો છોડની વૃદ્ધિને ઉત્તેજિત કરે છે અને જંતુની તરફેણ કરે છે. બદલામાં, પવન અને વરસાદ, જંતુઓનો મૃત્યુદર વધારે છે.


નિવારક પગલાં

  • પ્રતિસ્પર્ધીઓની વસતીને ઉત્તેજીત કરવા વધારે માત્રામાં વિભિન્ન છોડનું પ્રમાણ જાળવો.
  • ગંભીર ઉપદ્રવના કિસ્સામાં, છોડના અસરગ્રસ્ત ભાગોને કાપી નાખવા જોઈએ.
  • લાભદાયી જંતુઓ પર વિપરીત અસર ઘટાડવા જંતુનાશકો ઉપયોગ નિયંત્રણમાં કરો.
  • ધૂળિયું વાતાવરણ ટાળવા વૃક્ષોને સારીરીતે પાણી આપો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો