Pectobacterium carotovorum subsp. carotovorum
બેક્ટેરિયા
5 mins to read
શરૂઆતમાં પાણીપચ્યા ટપકાં નિર્માણ થાય છે. ત્યારબાદ તે મોટા થઇ શોષાયેલ અને નરમ બને છે. ટપકાંની નીચે રહેલ છોડની પેશીઓ ક્રીમ કે કાળા રંગની, પોચી અને વિકૃત બને છે. જો ગંભીર માત્રામાં ચેપ લાગે તો પાંદડા, શાખાઓ અને મૂળ સંપૂર્ણ રીતે સળી શકે છે. એક તીવ્ર ગંધ જણાય છે.
આજ સુધી આ રોગ સામે નિયંત્રણ પૂરું પાડે એવા કોઈપણ જૈવિક નિયંત્રણની પદ્ધતિ ઉપલબ્ધ હોય તેવું અમને ખબર નથી. રોગની ઘટનાઓ અથવા લક્ષણોની તીવ્રતા ઓછી કરી શકે તેવી કોઈપણ સફળ પદ્ધતિ વિષે તમને ખબર હોય, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.
જો ઉપલબ્ધ હોય તો હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. નિયંત્રણના પગલાં નિવારક રીતે લેવામાં આવે છે કારણ કે આ બેક્ટેરિયાનો ઉપચાર થઇ શકતો નથી. બેક્ટેરિયલ પરોપજીવીને રોકવા અને દૂર કરવા માટે કોપર-આધારિત ફૂગનાશકોનો ઉપયોગ કરો. સાયપ્રોફ્લોક્સેસીન પણ રોગ સામે સારો એવો અવરોધ નિર્માણ કરે છે.
પેક્ટોબેક્ટેરિયમ કેરોટોવોરમ બેક્ટેરિયાના કારણે નુકસાન થાય છે, જે જમીન તથા પાકના અવશેષોમાં ટકી રહે છે. તે સાધનો, જંતુઓ, કરાના કારણે નિર્માણ થયેલ ઝખ્મ અથવા કુદરતી છિદ્રો દ્વારા પાકમાં પ્રવેશ કરે છે. સાધનો, ચેપગ્રસ્ત છોડની સામગ્રીનું પરિવહન, માટી અથવા દૂષિત પાણી દ્વારા રોગકારક જંતુઓનો ફેલાવો થાય છે. ભેજવાળા હવામાન અને 25-30 ° સે જેટલા તાપમાન દરમિયાન એક મોટી સમસ્યા બની જાય છે, અને છોડમાં જ્યારે કેલ્શિયમની ઉણપ હોય ત્યારે તે વધુ ગંભીર બને છે. ખેતર તેમજ કોઠારમાં પણ તે નિર્માણ થઇ શકે છે.