દાડમ

દાડમમાં બેક્ટેરિયા ના કારણે નુકસાન

Xanthomonas axonopodis pv. punicae

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા, ડાળીઓ અને ફળોને અસર કરે છે.
  • પીળાશ પડતાં, પાણીથી શોષાયેલ, ગોળાકાર ટપકાં દેખાય છે.
  • અકાળે પાનખર નિર્માણ થવી.
  • ફળ ફાટેલા દેખાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

દાડમ

લક્ષણો

ચેપના 2-3 દિવસ પછી પ્રથમવાર લક્ષણો દેખાય છે. છોડના વિવિધ ભાગ પર પીળાશ પડતા સુકાયેલ ટપકાં જોવા મળી શકે છે. ગંભીર કિસ્સાઓમાં પાંદડાં અકાળે ખરી પડે છે. પછીના તબક્કે ગોળાકાર ટપકાં અનિયમિત ઇજાઓ તરીકે દેખાય છે. ધીરે ધીરે, ટપકાંઓનું કેન્દ્ર સુકાઈ જાય છે અને ઘેરા કથ્થાઈ રંગનું બને છે. જીવાણુના કારણે ડાળી અને શાખાઓ ફરતે ગાળીઓ અને ફાટ પણ બની શકે છે. ચેપના છેલ્લા તબક્કે, પાંદડા અને ડાળીઓની પેશીઓ સુકાય છે. આ રોગના કારણે ફાળો ફાટીને ખુલ્લા પડે છે, અને આખરે સમગ્ર ફળ ઘેરા રંગના અને સુકાઈ જાય છે. વિકાસના દરેક તબક્કા દરમિયાન છોડ રોગ પ્રત્યે સંવેદનશીલ રહે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

બેસિલસ સબટિલીસ, સ્યુડોમોનાસ ફ્લોરોસેન્સ અને ટ્રિકોદર્મા હાર્ઝિયનોમ જેવા જૈવિક નિયંત્રકોથી સારવાર કરો. જંતુઓ અને છોડના જીવાણુને નિયંત્રિત કરવા માટે ગૌમૂત્રમાં લીમડાના પાંદડાને ભીંજવીને તેનો છંટકાવ કરો. લિબોડીના તેલ પછી 40% તુલસીના પાંદડાંનો અર્ક લાગુ કરો. લસણની કળી, મીસવાખની ડાળી અને ઈજમેટ ના પાંદડાને 30% સાંદ્રતા સાથે લાગુ કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ રોગ માટે કોઈ અસરકારક રાસાયણિક નિયંત્રણ શોધાયું નથી. એન્ટીબાયોટીક્સ, રસાયણો અને ખેતીની યોગ્ય પદ્ધતિનો અમલ એ કેટલાક સંચાલનના વિકલ્પો ગણવામાં આવ્યાં છે, પરંતુ રાસાયણિક ઉપચાર ઓછું અસરકારક રહે છે. બોર્ડેક્સનું મિશ્રણ, કપ્તાન, કોપર હાઇડ્રોક્સાઇડ, બ્રોમોપોલ, અને એન્ટીબાયોટિક સ્ટ્રેપ્ટોસાઇક્લીન જેવા જેવા રસાયણોનો એકાકી અથવા સંયોજન તરીકે ઉપયોગ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

હવાજન્ય બેક્ટેરિયા ઝેન્થોમોનાસ એક્સોનોપોડિસ પીવી પ્યુનેસી દ્વારા નુકસાન થાય છે. આ જીવ ઉગાડવામાં આવતી ઘણી પ્રજાતિને ચેપ લગાડે છે. બેક્ટેરિયા કુદરતી રીતે ખુલ્લા ભાગ અને ઘા દ્વારા છોડમાં દાખલ થાય છે. ચેપગ્રસ્ત છોડના પાંદડા, ડાળીઓ અને ફળોમાં બેક્ટેરિયા ટકી રહે છે. વરસાદના ઝાપટાં, જંતુઓ અને કાપણી માટે વાપરવામાં આવતા દૂષિત સાધનો રોગને સ્થાનિક રીતે ફેલાવામાં મદદ કરે છે. દિવસ દરમિયાન વધુ તાપમાન અને ઓછો ભેજ જીવાણુની વૃદ્ધિની તરફેણ કરે છે. બેક્ટેરિયાના વિકાસ માટે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન શ્રેષ્ઠ રહે છે. રોગના આગળના ગૌણ ફેલાવા માટે વરસાદ અને ફુવારાના ઝાપટાં, સિંચાઇનું પાણી, કાપણીના સાધનો, મનુષ્યો અને વાહક જંતુઓ જવાબદાર છે. આ રોગ ફળોની વેચાણક્ષમતાને ઘટાડે છે.


નિવારક પગલાં

  • રોપણી માટે રોગ-મુક્ત રોપાઓ પસંદ કરો.
  • વાવેતર યોગ્ય સમયે અને પર્યાપ્ત અંતરે કરવું જોઈએ.
  • ખેતરને સંપૂર્ણપણે જંતુમુક્ત કરો.
  • વૈકલ્પિક યજમાન છોડનો નાશ કરો.
  • માટી પરીક્ષણની ભલામણ મુજબ છાણીયું અને ખાતર પુરા પાડો.
  • પાકના નિર્ણાયક તબક્કાએ (જેમ કે ફૂલો આવવા) પૂરતી સિંચાઈ કરો.
  • પાણીનો ભરાવો ટાળો.
  • છોડના કચરાને ભેગો કરી તેનો નાશ કરો.
  • અસરગ્રસ્ત શાખાઓ અને ફળોને નિયમિતપણે તોડી તેનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો