મકાઈ

મકાઇ ના પાંદડા પર જીવાણુજન્ય રેખા

Xanthomonas vasicola pv. vasculorum

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર કથ્થઈ, રાતા , અથવા પીળી રેખાઓ.
  • રેખા ની કિનારીઓ ઊંચી નીચી , ધારદાર, પીળાશ પડતા રંગની હોય છે.
  • નીચલા પાંદડા થી ઉપરની બાજુ.

માં પણ મળી શકે છે


મકાઈ

લક્ષણો

સામાન્ય રીતે પ્રથમ નીચલા પાંદડા પર લક્ષણો નો ઉદભવ થાય અને અનુકૂળ પરિસ્થિતિ દરમ્યાન ઉપર ની બાજુ ફેલાય છે.પાંદડા પર વિવિધ લંબાઈની સાંકડી , નારંગી-કથ્થઈ અથવા રાતી રેખાઓ વિકસે છે. તેઓ અર્ધપારદર્શક અને ઊંચીનીચી કિનારી વાળા અને પીળાશ પડતા રંગના હોય છે , ખાસ કરીને જ્યારે પાંદડા પાછળના ભાગથી પ્રકાશિત કરવામાં આવે ત્યારે સ્પષ્ટ દેખાય છે. કેટલાક કિસ્સાઓમાં, જખમ મધ્ય અથવા ઉપલા પાંદડા પર પ્રથમ દેખાઈ શકે છે. લક્ષણો વર્ણશંકર વચ્ચે વ્યાપકરૂપે બદલાય છે અને નાના જખમ થી માંડી ને 50 % અથવા તેથી વધુ પાંદડાના વિસ્તારને આવરી લે છે. આને કારણે અનાજનું ભરણ અને ઉપજ પર અસર પડી શકે છે. દૂર કરેલા પાંદડા ના વિભાગો પાસેથી ચીકણા પદાર્થનું ઝરવું એ આ રોગની અન્ય નિશાની છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આજ દિન સુધી, આ રોગ માટે કોઈ જ જૈવિક નિયંત્રણ વિકલ્પો ઉપલબ્ધ નથી. તેની ઘટના ટાળવા અને અસર ઘટાડવા માટે પ્રતિબંધક પગલાં જરૂરી છે. જો તમે કંઈક જાણતા હોવ તો કૃપા કરીને અમને જાણ કરશો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. આ રોગ ની અસર અને ઘટના ને નિયંત્રિત કરવા માટે કોઈ જ રાસાયણિક નિયંત્રણ વિકલ્પો ઉપલબ્ધ નથી.

તે શાના કારણે થયું?

લક્ષણો ઝેન્થોમોનાસ વસિકોલા પીવી. વાસ્ક્યુલોરમ ને કારણે થાય છે, એક બેક્ટેરિયમ કે જે શિયાળા દરમ્યાન ચેપી પાકના અવશેષો માં રહી શકે છે. તે વૃદ્ધિની શરૂઆતના તબક્કા દરમિયાન વરસાદ ના છાંટા અને પવન દ્વારા તંદુરસ્ત છોડમાં ફેલાય છે. ચેપી પાકના અવશેષો પણ ખેતરના સાધનો, લણણી ના યંત્ર અથવા દાંડીના ખોરાક સાથે ખેતરો વચ્ચે ફેલાઈ શકે છે. તે કોઇ પણ અગાઉના ઘા થયા વગર, સીધા છોડની પેશીઓમાં દાખલ થઈ શકે છે. જો સંવેદનશીલ છોડ ઉગાડવામાં આવે અને કોઈ પગલાં લેવામાં ના આવે તો ચેપ અનેક વર્ષો સુધી એકજ ખેતરમાં વિકાસી શકે છે.ઉચ્ચ પ્રમાણમાં ભેજ , ભારે વરસાદ અને લાંબા સમય સુધી પાંદડા પર ભીનાશ રોગના વિકાસ માટે અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓ છે. જાણવામાં આવ્યું છે કે ઉપરથી સિંચાઈ અને ગરમ હવામાન દરમિયાન સિંચાઈ પણ રોગની અસર વધારી શકે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક અથવા સહિષ્ણુ છોડ પસંદ કરો.
  • રોગના લક્ષણો માટે ખેતરની નિયમિત ચકાસણી કરો.
  • ચકાસણી દરમ્યાન નીંદણ અને સ્વૈચ્છિક ઉગી નીકળતી વનસ્પતિઓ દૂર કરો.
  • જયારે અલગ અલગ ખેતરોમાં કામ કરવાનું હોય ત્યારે સાધનસામગ્રી થી પાકનો કાટમાળ દૂર કરો.
  • લણણી પછી ખેતર માંથી પાકના અવશેષો દૂર કરો.
  • વૈકલ્પિક રીતે, તેમને હળ દ્વારા જમીન માં દાટી દો.
  • અન્ય ખેતરમાં ફેલાવો અટકાવવા ચેપગ્રસ્ત ખેતરમાં છેલ્લા લણણી કરવી.
  • સોયાબીન અથવા ઘઉં જેવા બિન-યજમાન પાક સાથે પાકની ફેરબદલીની પદ્ધતિ અપનાવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો