અન્ય

સોયાબીનમાં બેક્ટેરિયાજન્ય ફૂગ

Pseudomonas savastanoi pv. glycinea

બેક્ટેરિયા

ટૂંકમાં

  • પાંદડા પર નાના કથ્થાઈ-પીળા ટપકાં.
  • જે બાદમાં અનિયમિત અથવા કોણીય, અને ઘેરો કથ્થાઈ રંગના બને છે.
  • પીળાશ પડતાં લીલા રંગની “આભા”.
  • જખમ શીંગો પર પણ દેખાય છે.

માં પણ મળી શકે છે


અન્ય

લક્ષણો

બીજમાંથી ફૂટતાં અંકુરણની સપાટી પર કથ્થાઈ રંગના ટપકાંથી મોસમની શરૂઆતમાં ચેપની લાક્ષણિકતા જોઈ શકાય છે. જો વધતી ટોચ અસરગ્રસ્ત હોય તો કુમળા છોડ નો વિકાસ અટકે છે અને નાશ પામે છે. સિઝનમાં પાછળથી ચેપગ્રસ્ત થયેલ છોડના પાંદડા પર નાના કથ્થાઈ-પીળા ટપકાં જોવા મળે છે. જૂના પાંદડાં કરતાં તાજાં પાંદડાં સામાન્યરીતે રોગ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે અને તેના લક્ષણો મુખ્યત્વે ઉપર કે મધ્ય ભાગની ઘટામાં જોવા મળે છે. સમય જતાં, ટપકાં એકરૂપ થતાં, તે ઘેરા કથ્થઈ રંગના, વિવિધ કદના, અનિયમિત અથવા કોણીય જખમમા ફેરવાઇ જાય છે. પીળાશ પડતાં લીલા રંગની “આભા” પાણી શોષાયેલ પેશીઓની ધારની આસપાસ કે જખમની આસપાસ જોવા મળે છે. ઝખમનું કેન્દ્ર ધીમે ધીમે સુકાય છે અને છેવટે ખરી પડે છે, જે પર્ણસમૂહને ખરબચડો દેખાવ આપે છે. જો શીંગો આવવાના તબક્કામાં ચેપ લાગે તો, શીંગો પર પણ જખમ થઇ શકે છે, જે તેમને સંકોચાયેલ અને વિકૃત દેખાવ આપે છે. જોકે, સામાન્ય રીતે બીજમાં લક્ષણો દેખાતા નથી.

ભલામણો

જૈવિક નિયંત્રણ

સોયાબીનમાં બેક્ટેરિયલ ફૂગના નિયંત્રણ માટે કોપર ફુગનાશકનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. સંપૂર્ણપણે અસરકારક રીતે સારવાર માટે તેને રોગના પ્રારંભિક કાળ દરમ્યાન હાથ ધરવી જોઈએ, કે જયારે પ્રથમ વાર રોગના લક્ષણો જોવા મળ્યા હોય.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. કોપર ફુગનાશકનો સોયાબીન પરની બેક્ટેરિયલ ફૂગના નિયંત્રણ માટે ઉપયોગ શકાય છે, પરંતુ અસરકારક બનાવવા તેનો ઉપયોગ રોગની શરૂઆતમાં કરવો જરૂરી છે. જોકે, તે મુખ્ય સંકલિત જંતુને નિયંત્રણમાં રાખવાની પદ્ધતિઓ અનુસરવી જોઈએ કારણ કે ફુગનાશક ઘણીવાર આ રોગ પેદા કરતા જીવાણુ સામે અસરકારક રહેતી નથી.

તે શાના કારણે થયું?

બેક્ટેરિયલ ફૂગ બેક્ટેરિયમ Pseudomonas savastanoiના કારણે થાય છે. તે બીજજન્ય રોગ છે, જે ઠંડી દરમ્યાન ખેતરમાં છોડના અવશેષોમાં ટકી રહે છે. શરૂઆતમાં બીજાંકુરણના તબક્કામાં દેખાતો ચેપ સામાન્ય રીતે દૂષિત બીજની નિશાની છે. જૂના છોડમાં, પ્રારંભિક ચેપ સામાન્ય રીતે જ્યારે નિષ્ક્રિય બેક્ટેરિયા પવન અથવા પાણીના છાંટા ઉડવાથી તેના ટીપાં મારફતે છોડના અવશેષો માંથી નીચલા પાંદડામાં ફેલાય છે. ભીના પાંદડાની સપાટી રોગ પેદા કરતા જીવાણુની તરફેણ કરે છે, જે અમુક સમયે ઘાવ અથવા પાંદડાંના છિદ્રો મારફતે પેશીઓમાં વિકાસ પામે છે. વરસાદ અને પવન પણ છોડની અંદર અથવા બે છોડ વચ્ચે રોગના ફેલાવાની તરફેણ કરે છે. રોગ ઠંડુ (20-25 ° સે), ભેજવાળા અને તોફાની હવામાન (વરસાદનાં ઝાપટાંવાળા) માં ફેલાય છે અને ગરમ અને સૂકા હવામાનમાં મર્યાદિત રહે છે.


નિવારક પગલાં

  • રોગ પ્રત્યે પ્રતિકારક જાતો પસંદ કરો.
  • રોગને ફેલાતો અટકાવવા જયારે ખેતર ભીનું હોય ત્યારે ખેતરમાં કામ કરવાનું ટાળો.
  • આગામી સિઝનમાં શક્યતા ઘટાડવા માટે, લણણી પછી ખેડાણ દ્વારા પાકના અવશેષો ભેગા કરો.
  • મકાઈ, ઘઉં અને અન્ય બિન-કઠોળ જેવા બિન-સંવેદનશીલ યજમાનો સાથે પાકની ફેરબદલીની યોજના કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો