કેપ્સિકમ અને મરચાં

મરીમાં જીવાણુજન્ય મૃદુ સડો

Pectobacterium carotovorum subsp. carotovorum

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • પાંદડામાં ઘેરા રંગની નસ પેશીઓ.
  • પાંદડા પીળા બને છે અને પછી ખરી પડે છે.
  • ફળો, પાંદડાં અને ફળના ડીટાં પર પાણી શોષાવાથી થતા જખમ.
  • ખરાબ વાસ.

માં પણ મળી શકે છે


કેપ્સિકમ અને મરચાં

લક્ષણો

ઘેરા રંગની પેશીઓ અને પાંદડા પર પીળાશ તરીકે રોગના પ્રારંભિક લક્ષણો જોઈ શકાય છે. ફળો, પાંદડાં અને ફળના ડીટાં પર સંકોચન, પાણી શોષાવાથી થતા જખમ દેખાય છે અને ઝડપથી વધે છે. જેમ જેમ રોગ વિકસે છે, ડાળી પર શુષ્ક, ઘેરો બદામી કે કાળા રંગની ઉધઈ જોઈ શકાય છે, અને તેનાથી ઘણીવાર ડાળીઓ તૂટી પણ શકે છે. છેલ્લે, સમગ્ર ફળ પ્રવાહી, નરમ, પાતળું બની જાય છે. તે છોડપર પાણી ભરેલ થેલીની જેવા લટકતા હોય છે. સામાન્ય રીતે, ફળની પેશીઓમાંથી જીવાણુયુક્ત સ્ત્રાવ જોઇ શકાય છે અને ખરાબ ગંધનો અનુભવ થાય છે. અસરગ્રસ્ત છોડ નમી પડે છે અને છેલ્લે મૃત્યુ પામે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

માફ કરશો, અમે Pectobacterium carotovorum subsp. carotovorum સામે કોઇ વૈકલ્પિક સારવાર જાણતા નથી. જો તમે આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે છે તેના વિશે કંઈક જાણતા હોવ તો કૃપા કરીને અમારો સંપર્ક કરો. અમે તમારા તરફથી સાંભળવા માટે આતુર છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. વધુ ફેલાવો થતો અટકાવવા માટે બીજ અને ઉતારી લીધેલ ફળોને સોડિયમ હાઇપોક્લોરાઇટ સાથેની રાસાયણિક સારવાર ઉપયોગી થઇ શકે છે. ઉદાહરણ તરીકે, બીજને 30 સેકન્ડ માટે 1% સોડિયમ હાઇપોક્લોરાઇટના દ્વાવણ (બ્લીચ) માં રાખી અને પછી ચોખ્ખા પાણીથી ધોઈ લેવા.

તે શાના કારણે થયું?

માટીજન્ય જીવાણુ જે મુલાયમ સડો નિર્માણ કરે છે તે પર્યાવરણમાં સર્વવ્યાપક છે. તેઓ સપાટી પરના પાણી અને માટી સાથે સંકળાયેલા છે. ગરમ અને ભેજવાળું હવામાન ચેપ માટે અત્યંત લાભદાયી છે. બેક્ટેરિયા ખેતરમાં કામ કરતી વખતે, જંતુ ડંખ અને સંસ્કાલ્ડ દરમિયાન નિર્માણ થતા જખમો દ્વારા જીવાણુ છોડમાં દાખલ થાય છે. પેક્ટોબેકટેરીય્મ કેરોટેવોર્મ સબ્સ. કેરોટેવોર્મ માટે ઘણા યજમાન છોડ છે, ઉદાહરણ તરીકે બટેટાં, શક્કરિયા, રતાળુ, ડુંગળી, કોબી, ગાજર, ટમેટા, શીંગો, મકાઈ, કપાસ, કોફી અને કેળા.


નિવારક પગલાં

  • ખેતર તૈયાર કરતી વખતે વધારાનું પાણી દૂર કરવા સારી નહેરની વ્યવસ્થા કરો.
  • બટાકા અથવા કોબી પછી મરીની વાવણી ટાળો.
  • ખેડ દરમ્યાન છોડની યોગ્ય કાળજીની ખાતરી કરો.
  • ખેતરની અંદર અને આસપાસ નીંદણ દૂર કરો.
  • ભેજવાળા વાતાવરણમાં ખેતરમાં કામ કરવાનું ટાળો.
  • વધુ નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ અને વધુ સિંચાઈ ટાળો.
  • ખેતરની સ્વચ્છતા (પાણી, કપડાં, સાધનો)ની ખાતરી કરો.
  • હાથ અને સાધનો સાફ કરવા માટે જીવાણુ નાશક ઉત્પાદનોનો ઉપયોગ કરો.
  • લણણી પછી અસરગ્રસ્ત છોડ દૂર કરો અને તેના અવશેષોનો બાળીને નાશ કરો.
  • મકાઇ, કઠોળ અથવા સોયાબીન સાથે પાકની ફેરબદલી કરો.
  • જમીનમાં જીવાણુયુક્ત પદાર્થને દૂર કરવા ઊંડી ખેડ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો