Ralstonia solanacearum
બેક્ટેરિયા
5 mins to read
દિવસના સૌથી વધુ તાપમાનવાળા સમયમાં નાના કૂમળાં પાંદડા વળવાનું શરુ થાય છે અને જ્યારે તાપમાન ઓછું થાય છે ત્યારે તે પાંદડા આંશિક રીતે સ્વસ્થ બને છે. અનુકૂળ પરિસ્થિતિઓમાં, આખા છોડ પર આ લક્ષણો જોવા મળે અને કાયમીપણે રહે છે. કરમાયેલાં પાંદડા તેમના લીલા રંગને જાળવી રાખે છે અને દાંડી સાથે જોડાયેલા રહે છે. મૂળ અને દાંડીનો નીચેનો ભાગ ઘાટો છીકણી રંગનો બને છે. ગૌણ બેક્ટેરિયા દ્વારા ચેપ લાગવાના કારણે ચેપગ્રસ્ત મૂળ સડી શકે છે. ચેપગ્રસ્ત દાંડીને કાપતા તેમાંથી સફેદથી પીળા રંગનું, દૂધિયું પ્રવાહી નીકળે છે.
ક્રુસિફેરસ જાતિના તાજાં છોડનો માવો (લીલું ખાતર) જમીનમાં નાખવાથી (બાયોફ્યુમિગેશન) રોગકારક બેકટેરિયા પર નિયંત્રણ મેળવવામાં મદદ થઈ શકે છે. આ લીલા ખાતરને યંત્રની મદદથી અથવા હાથથી જમીનમાં દાટવામાં આવે તે પહેલાં તેને છૂંદી અથવા કાપી શકાય છે. છોડમાંથી બનેલ થાઇમોલ નામનું રસાયણ સમાન અસર દર્શાવે છે. સોલાનેસીસ(solanaceous) જેવા સ્પર્ધાત્મક બેક્ટેરિયા કે જે છોડના મૂળતંત્રમાં વસાહત બનાવે છે તે પણ અસરકારક સાબિત થયેલ છે.
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક ઉપચારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. આ રોગકારક જીવો એટલે કે બેક્ટેરિયાની માટી-જન્ય પ્રકૃતિને લીધે રોગની રાસાયણિક સારવાર બિનવ્યવહારું, ઓછી અસરકારક અથવા બિનઅસરકારક હોઈ શકે છે.
બેક્ટેરિયા જમીનમાં લાંબા સમય સુધી જીવી શકે છે, તે છોડના કચરા અથવા વૈકલ્પિક યજમાનો પર ટકી શકે છે. અચાનક મૂળ ફૂટે તે દરમિયાન તેઓ મૂળતંત્રના ઘા દ્વારા છોડમાં પ્રવેશ કરે છે. વધેલું તાપમાન (૩૦ ° સે થી ૩૫ ° સે સુધી), ભેજનું ઊંચું પ્રમાણ અને જમીનમાંનો ભેજ, અને આલ્કલાઇન માટીનું પીએચ આ રોગના વિકાસની તરફેણ કરે છે. વધુ સમય સુધી પાણી કે ભેજ જાળવી રાખતી સાંદ્રતાવાળી જમીન સહેલાઈથી ચેપગ્રસ્ત બની શકે છે. Ralstonia solanacearum બેક્ટેરિયાના મુખ્ય વૈકલ્પિક યજમાનોમાં ટમેટા, તમાકુ અને કેળા શામેલ છે.